AMCની સામાન્ય સભામાં મેયરે કહ્યું લઠ્ઠાકાંડ નહીં શહેરના વિકાસની વાત કરો

author img

By

Published : Jul 27, 2022, 9:38 PM IST

AMCની સામાન્ય સભામાં મેયરે કહ્યું લઠ્ઠાકાંડ નહીં શહેરના વિકાસની વાત કરો

અમદાવાદ કોર્પોરેશન મળેલી સામાન્ય સભાનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં (Protest in Ahmedabad Corporation meeting )આવ્યો હતો. સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં કાળા કપડાં પહેરી માથે કાળી પટ્ટી બાંધીને મેયરના રાજીનામાની માંગ સાથે સભા શરૂઆત કરવામાં આવી હતી. વિપક્ષ નેતા આક્ષેપ કરતા સભામાં જણાવ્યું હતું કે ભાજપનો વિકાસ પાગલ નહીં પણ પાતાળમાં ગયો છે.

અમદાવાદઃ શહેરની કોર્પોરેશન આજ (Ahmedabad Corporation meeting)મળેલી સામાન્ય સભામાં ભારે ગરમાવા સાથે શરૂઆત થઇ હતી. વિપક્ષ દ્વારા સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં કાળા કપડાં પહેરી માથે કાળી પટ્ટી બાંધીને મેયરના રાજીનામાની માંગ સાથે સભા શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશન દ્વારા દર વર્ષે 9000 કરોડથી વધારે બજેટ ફાળવવા આવે છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં ચોમાસામાં જનતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી.

અમદાવાદ કોર્પોરેશન સભા

સભા શરૂ થાય તે પહેલાં મેયરના રાજીનામાની માંગ - કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા પ્રિ મોન્સૂન કામગીરી(Pre Monsoon operations) નિષફળ રહી હતી. વિપક્ષ દ્વારા કોર્પોરેશન મળેલી સામાન્ય સભામાં શહેર ઉદભવેલી સમસ્યા (Protest in Ahmedabad Corporation meeting )લઈ સવાલો કર્યા હતા. અમદાવાદ કોર્પોરેશન સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં કૉંગ્રેસ દ્વારા કાળા કપડાં પહેરીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન સાથે સભાખંડ પહોંચ્યા હતા. જેમાં મેયરની સામે આવીને આજને આજ મેયર રાજીનામું આપે તેવી માગણી કરવામાં આવી હતી. વિપક્ષ નેતા આક્ષેપ કરતા સભામાં જણાવ્યું હતું કે ભાજપનો વિકાસ પાગલ નહીં પણ પાતાળમાં ગયો છે.

આ પણ વાંચોઃ ગૃહપ્રધાને દર્દીને પૂછ્યું, "કેવી છે તબિયત ?, દર્દીએ કહ્યું- પોટલી આપોને..."

છેલ્લા 1 વર્ષમાં CCTV પાછળ 23.50 કરોડના ખર્ચે - વિપક્ષ નેતા શહેઝાદ ખાને સામાન્ય સભાની શરૂઆતમાં જ શહેરમાં CCTVની કામગીરી લઈને સવાલો કર્યા હતા. છેલ્લા 1 વર્ષમાં 23.50 કરોડના ખર્ચે માત્ર CCTV કેમરા પાછળ કરવામાં આવ્યું છે. તેમ છતાં શહેરના અમુક વિસ્તારમાં CCTV કેમેરા જોવા મળી આવે છે. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરને સાંધાઈ બનવાની વાત કરવામાં આવતી હતી પરંતુ ચોમાસાના પ્રથમ વરસાદમાં શાંઘાઈ નહીં પણ તરતું શહેર એટલે કે વેનિસ બની ગયું હતું.

આ પણ વાંચોઃ ખુલ્લેઆમ ધમધમતી મદિરા માર્કેટ, વિડીયો વાયરલ

લઠ્ઠાકાંડ મુદ્દે નહીં વિકાસની વાત કરવી - સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા બોટાદ,બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડ મુદ્દે શોક પ્રસ્તાવ લઈને નિવેદનો કરવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા મુદ્દે લેવામાં આવ્યો કે રાજ્યમાં કોઈ રાજકીય નેતા અવસાન થાય તો શોક પ્રસ્તાવ મુકવામા આવે છે. તો ગુજરાતમાં આટલી મોટી ઘટના થાય છે તો સામાન્ય સભામાં શોક પ્રસ્તાવ મુકવાની વાત કરવામા આવી હતી. પરંતુ મેયર લઠ્ઠાકાંડ મુદ્દે નહીં પણ અમદાવાદ વિકાસની વાત કરો જેને લઈને ભારે હોબાળો થતા સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.