ETV Bharat / state

અરવલ્લી લાંચ કેસમાં ફરાર PSI વિરુદ્ધ ACBની લાલ આંખ

author img

By

Published : Aug 9, 2019, 3:16 AM IST

અમદાવાદ: ACBએ અરવલ્લીના મોડાસા ટાઉન ખાતેના PSI કેતન બ્રહ્મભટ્ટની ધરપકડ માટે છટકું ગોઠવ્યું હતું. જે દરમિયાન આરોપી PSIએ લાંચ લઇને પોતાની ગાડીમાં નાસી ગયા હતા. જે અંગે ACBએ ગુનો નોંધીને ફરાર PSIની તજવીજ હાથ ધરી છે.

અરવલ્લી લાંચ કેસમાં ફરાર PSI વિરુદ્ધ ACBની લાલ આંખ

મળતી વિગત મુજબ, ફરિયાદીના સંબંધી વિરુદ્ધ 2019માં માલપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયો હતો. તે સમયે માલપુર પોલીસ સ્ટેશનમાં PSI તરીકે કેતન બ્રહ્મભટ્ટ ફરજ બજાવતા હતા. તે વખતે ફરિયાદીના સંબંધીના ગુનામાં રાહત આપવા તથા હળવા કેસ કાગડો કરવા માટે PSIએ 3 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાંથી 2 લાખ જે તે સમય દરમિયાન જ આપી દીધા હતા અને 1 લાખ આપવાના બાકી હતા. તે પૈસા લેવા PSI વારંવાર ફોન કરતા હતા. જેમાંથી અંતે 45 હજાર આપવાના નક્કી કર્યા હતા. જે પૈકીના 25 હજાર અગાઉ આપી દીધા હતા. જ્યારે 20 હજાર આપવાના બાકી હતા. જે ફરિયાદીને આપવા નહોતા માટે ACBનો સંપર્ક કર્યો હતો.

અરવલ્લી લાંચ કેસમાં ફરાર PSI વિરુદ્ધ ACBની લાલ આંખ

ACBએ આ અંગે છટકું ગોઠવ્યું હતું અને આરોપીને લાંચ લેતા ઝડપી લેવાની તૈયારી કરી હતી. પરંતુ આરોપી PSIએ લાંચના નાણાં લઈ લીધા હતા અને ACBના છટકાની શંકા જતા પોતાની ગાડી લઈને નાસી ગયા હતા. આ અંગે ACBએ ગુનો નોંધ્યો હતો. ACBએ ફરાર PSIને શોધવા તેમના મિત્રો તથા સબંધીઓના ઘરે પણ તપાસ કરી હતી. સંભવિત તમામ જગ્યાએ PSIને શોધવાના પ્રયાસો કર્યા હતા. હજુ પણ ACB ફરાર PSIની શોધખોળ કરી રહી છે.

Intro:અમદાવાદ: એસીબીએ અરવલ્લીના મોડાસા ટાઉન ખાતેના પીએસઆઈ કેતન બ્રહ્મભટ્ટ માટે છટકું ગોઠવ્યું હતું જે દરમિયાન આરોપી પીએસઆઇ લાંચ લઈને પોતાની ગાડીમાં નાસી ગયા હતા જે અંગે એસીબીએ ગુનો નોંધ્યો હતો અને ફરાર પીએસઆઇની શોધખોળ માટે પણ તજવીજ હાથ ધરી છે.


Body:મળતી વિગત મુજબ ફરિયાદીના સંબંધી વિરુદ્ધ 2019માં માલપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયો હતો તે સમયે માલપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે કેતન બ્રહ્મભટ્ટ ફરજ બજાવતા હતા.તે વખતે ફરિયાદીના સંબંધીના ગુનામાં રાહત આપવા તથા હળવા કેસ કાગડો કરવા માટે પીએસઆઇએ 3 લાખની લાંચની માંગણી કરી હતી જેમાંથી 2 લાખ જે એ સમય દરમિયાન જ આપી દીધા હતા અને 1 લાખ આપવાના બાકી હતા તે લેવા માટે પીએસઆઇ વારંવાર ફોન કરતા હતા.જેમાંથી રાકઝાકના અંતે 45 હજાર આપવાના નક્કી કર્યા હતા જે પૈકીના 25 હજાર અગાઉ આપી દીધા હતા જ્યારે 20 હજાર આપવાના બાકી હતા જે ફરિયાદીને આપવા નહોતા માટે એસીબીનો સંપર્ક કર્યો હતો..


એસીબીએ આ અંગે છટકું ગોઠવ્યું હતું અને આરોપીને લાંચ લેતા ઝડપી લેવાની તૈયારી કરી હતી પરંતુ આરોપી પીએસઆઇએ લાંચના નાણાં લઈ લીધા હતા અને એસીબીના છટકાની શંકા જતા પોતાની ગાડી લઈને નાસી ગયા હતા.આ અંગે એસીબીએ ગુનો નોંધ્યો હતો એસીબીએ ફરાર પીએસઆઇને શોધવા તેમના મિત્રો તથા સબંધીઓના ઘરે પણ તપાસ કરી હતી અને સંભવિત તમામ જગ્યાએ પીએસઆઇને શોધવાના પ્રયાસો કર્યા હતા,હજુ ઓણ એસીબી ફરાર પીએસઆઇની શોધખોળ કરી રહી છે.


બાઈટ-ડી.પી.ચુડાસમા(Dy.sp.-એસીબી)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.