ETV Bharat / state

રક્ષાબંધનના પવિત્ર દિવસે મુસ્લિમ પરિવારે કોમી એકતાનો સંદેશો આપ્યો

author img

By

Published : Aug 11, 2022, 3:33 PM IST

રક્ષાબંધનના પવિત્ર દિવસે મુસ્લિમ પરિવારે કોમી એકતાનો સંદેશો આપ્યો
રક્ષાબંધનના પવિત્ર દિવસે મુસ્લિમ પરિવારે કોમી એકતાનો સંદેશો આપ્યો

રક્ષાબંધનના પવિત્ર( Raksha Bandhan 2022 )દિવસે મુસ્લિમ પરિવાર દ્વારા એકતાનો સંદેશો આપીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસ સ્વામીજીને રાખડી બાંધીને કોમી એકતાનું ખૂબ જ સુંદર ઉદાહરણ પૂરું આપ્યું હતું. ઈકબાલભાઈએ આજરોજ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરતા કોમી એકતાનો સંદેશો પાઠવ્યો હતો.

અમદાવાદ આજના રક્ષાબંધનના પવિત્ર ( Raksha Bandhan 2022 )દિવસે અમદાવાદના એક મુસ્લિમ પરિવાર દ્વારા ખૂબ જ અનોખી રીતે કોમી એકતાનો સંદેશો આપીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં(Communal unity in Raksha Bandhan ) આવી હતી. ભારત તહેવારપ્રિય દેશ છે કે જ્યાં બધા જ તહેવારો ખૂબ જ ધામધૂમથી અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. સાથે સાથે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે કે જ્યાં બધા જ ધર્મના લોકો રહે છે.

આ પણ વાંચો રક્ષાબંધન પર તમારા ભાઈને ખવડાવો આ વાનગીઓ, મનોકામના થશે પુરી

કોમી એકતાના સંદેશો કોઈપણ વાર કે તહેવાર હોય ત્યારે, એકબીજાના ધર્મના તહેવારોને માન આપીને લોકો ઉજવણી કરતા હોય છે. એવા ઘણા બધા કોમી એકતાના સંદેશાઓ આપણને જોવા મળતા હોય છે. આજે રક્ષાબંધનના ભાઈ બહેનના પ્રેમરૂપી તહેવારના દિવસે અમદાવાદના ઈકબાલભાઈ દ્વારા અમદાવાદના જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસ સ્વામીજીને રાખડી બાંધીને કોમી( Muslim family celebrated Raksha Bandhan)એકતાનું ખૂબ જ સુંદર ઉદાહરણ પૂરું આપ્યું હતું. સામાજિક જાગૃતિ, સ્વાસ્થ્ય કેળવણી સંદર્ભે અવનવી અને નિતનવી રાખડીઓ અને પતંગ બનાવવા માટે જાણીતા ઈકબાલભાઈએ આજરોજ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરતા કોમી એકતાનો સંદેશો પાઠવ્યો હતો.

આ પણ વાંચો CM ભુપેન્દ્ર પટેલે વિવિધ સમાજના જ્ઞાતીની બહેનો સાથે રક્ષાબંધનની કરી ઉજવણી

રાખડી બાંધીને કોમી એકતાનો સંદેશો આપ્યો ઈકબાલ ભાઈની દીકરીએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને રાખડી બાંધીને કોમી એકતાનો સંદેશો આપ્યો હતો. આજના રક્ષાબંધનના તહેવારને લઈને ઈકબાલભાઈએ જણાવ્યું હતું કે રક્ષાબંધન એક એવો તહેવાર છે કે જે બધી જગ્યાએ પ્રેમભાવના રહેલી જોવા મળે છે. તેથી એવી જ રીતે અમે વર્ષોથી કોમી એકતાના સંદેશા રૂપ જગનાથ મંદિરના મહંતજીને રાખડી બાંધતા આવ્યા છીએ. અમે એવો સંદેશો આપવા માંગીએ છીએ કે સૌ કોઈ આપસી મતભેદ ભૂલીને પ્રેમભાવનાથી રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.