ETV Bharat / state

અમદાવાદમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યુ પ્લાઝમા ડોનેટ

author img

By

Published : Jul 22, 2020, 9:14 PM IST

એક જ પરિવારના 4 સભ્યોએ કર્યુ પ્લાઝમા ડોનેટ
એક જ પરિવારના 4 સભ્યોએ કર્યુ પ્લાઝમા ડોનેટ

અમદાવાદ ક્રિષ્ના નગર વિસ્તારમાં ઉદ્યોગપતિ અનલ વાઘેલાના પરિવારના 4 સભ્યોએ કોરોનાને માત આપ્યા બાદ પ્લાઝમા ડોનેટ કરીને સમાજ પ્રત્યેનું ઉત્તર ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

અમદાવાદ: ક્રિષ્ના નગર વિસ્તારના ઉધોગપતિ અનલ વાધેલાના પરિવારમાં 12 સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. તમામે કોરોનાને માત આપ્યા બાદ બુધવારના રોજ આ વાઘેલા પરિવારના કુલ 4 લોકોએ એકસાથે પ્લાઝમા ડોનેટ કરીને સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

પરિવારજનોમાંથી પ્લાઝામાં ડોનેટ કરવા માટેના નિર્દેશોમાં 4 જણા બંધબેસતા હોવાથી આ 4 જણાએ ગર્વભેર પ્લાઝમા ડોનેટ કરીને કોઈકના પરિવારનો દીવો પ્રજવલ્લિત રાખવી મદદ કરી હતી.

એક જ પરિવારના 4 સભ્યોએ કર્યુ પ્લાઝમા ડોનેટ
એક જ પરિવારના 4 સભ્યોએ કર્યુ પ્લાઝમા ડોનેટ
પવિત્ર શ્રાવણ માસમાં દાનનો મહિમા જણાવતા અનલ વાધેલા કહે છે કે, "આપણા શાસ્ત્રોમાં દાનનો મહિમાં અનેરો રહ્યો છે. રક્તદાનને આજના યુગમાં મહાદાન ગણવામાં આવે છે. પરંતુ આજે દેશ વ્યાપી કોરોના મહામારી વચ્ચે પ્લાઝામાં દાન શ્રેષ્ઠ દાન સાબિત થઈ રહ્યું છે.”
એક જ પરિવારના 4 સભ્યોએ કર્યુ પ્લાઝમા ડોનેટ
એક જ પરિવારના 4 સભ્યોએ કર્યુ પ્લાઝમા ડોનેટ
રાજ્યમાં કોરોનાથી સંક્રમિત થવાના કારણે મુશકેલી વેઠી રહેલા ઘણા દર્દીઓ, કોરોના વોરિયર્સ સમા તબીબો, પેરામેડિકલ સ્ટાફ મિત્રો કે જેઓ પોતે કોરોનાગ્રસ્તની સારવાર કરતા કરતા સંક્રમિત થયા છે. તેમને આજે પ્લાઝમાની ખાસ જરૂર છે. આવા સમયે અમારા પરિવારજનો પ્લાઝામાં ડોનેટ કરીને અન્ય માટે મદદરૂપ બનવા સંકલ્પ બદ્ધ થયા છે. આગામી સમયમાં પણ જો કોઈ જરૂરિયાતમંદને પ્લાઝામાંની જરૂર જણાઈ આવશે તો ચોક્કસપણે પ્લાઝામાં દાન કરીશું. તેઓ જણાવે છે કે, પ્લાઝામાં ડોનેટ કરવું ખૂબ જ સરળ છે. તેના દ્વારા તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની લોહીની ઉણપ ઉભી થતી નથી માટે જેઓ કોરોનાને માત આપીને સાજા થયા છે તેમણે અચૂક જન ઉપયોગી બનવા પ્લાઝમા દાન કરવું જોઈએ.નિનાદ વાઘેલા કહે છે કે, મને અસિમ્ટેમેટીક લક્ષણો જણાઈ આવતા મેં હોમ આઈસોલેશનમાં રહીને જ સિવિલના તબીબોના માર્ગદર્શન મુજબ સારવાર લઈને ચાર દિવસમાં જ કોરોનાને માત આપી હતી. ત્યારબાદ એન્ટીબોડી ટેસ્ટ કરાવતા પ્લાઝામાં ડોનેટ કરવા લાયક ઠર્યો. આજે પ્લાઝમા ડોનેટ કરીને ગર્વ અનુભવી રહ્યો છું. પ્લાઝામાં ડોનેટ કરીને આવ્યા બાદ રાત્રે ખૂબ જ સરસ અને ગર્વસભર ઉંઘ આવી હતી.નિનાદે આજના યુવાનો કે જેઓ કોરોનાને માંત આપીને સાજા થયા છે તેઓને પણ પ્લાઝમા ડોનેટ કરીને કોરોના સામેની જંગમાં, લોકકલ્યાણરૂપી યજ્ઞમાં સહભાગી બનવાની અપીલ કરી છે.કોરોનાની મહામારીમાં જે લોકો સંક્રમિત થઈને સાજા થયા છે. તે બધા લોકોએ પોતાની નૈતિક ફરજ સમજીને વાધેલા પરિવારની જેમ આગળ આવી હાલ કોરોના સામે ઝઝૂમી રહેલા કોરોનાગ્રસ્તને નવજીવન બક્ષવા મદદરૂપ બનવું જોઈએ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.