ETV Bharat / sports

New Captain Of Indian Cricket Team: કેપ્ટનશિપ મળતા જ વિરાટના રોહિતે કર્યા ભરપેટ વખાણ, ટીમમાં કોહલીની ભૂમિકા વિશે પણ બોલ્યો

author img

By

Published : Dec 13, 2021, 4:03 PM IST

New Captain Of Indian Cricket Team: કેપ્ટનશિપ મળતા જ વિરાટના રોહિતે કર્યા ભરપેટ વખાણ, ટીમમાં કોહલીની ભૂમિકા વિશે પણ બોલ્યો
New Captain Of Indian Cricket Team: કેપ્ટનશિપ મળતા જ વિરાટના રોહિતે કર્યા ભરપેટ વખાણ, ટીમમાં કોહલીની ભૂમિકા વિશે પણ બોલ્યો

વિરાટ કોહલીના હાથમાંથી ભારતીય વનડે ટીમની કમાન (indian cricket team odi captain) છીનવી લેતા BCCIએ રોહિત શર્માને સુકાનીપદ (New Captain Of Indian Cricket Team) સોંપી દીધું છે. તેને ટી-20 ટીમની કમાન પહેલેથી જ મળી ગઈ હતી. ભારતની T20 અને ODI ટીમના કેપ્ટન બન્યા બાદ રોહિતે પહેલીવાર વિરાટ કોહલીની કેપ્ટન્સી (virat kohli captaincy) પર નિવેદન આપ્યું છે.

  • વિરાટે ભારતીય ટીમનું શાનદાર રીતે નેતૃત્વ કર્યું
  • કોહલી દુનિયાના સૌથી સારા બેટ્સમેનમાંથી એક
  • ભારતીય ટીમની નજર વર્લ્ડ કપ પર, પ્રોસેસ પર ફોકસ

નવી દિલ્હી: ODI અને T-20 ફોર્મેટના નવા કેપ્ટન (New Captain Of Indian Cricket Team) બન્યા બાદ પ્રથમ વખત રોહિત શર્માએ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. રોહિતે વર્લ્ડ કપ, રાહુલ દ્રવિડ અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

વિરાટે શાનદાર રીતે ટીમનું નેતૃત્વ કર્યું

રોહિતે કોહલીની જોરદાર પ્રશંસા (rohit praising virat kohli) કરી અને બેટ્સમેન તરીકે ટીમમાં તેની ભૂમિકા વિશે જણાવ્યું. BCCI સાથેની વાતચીત દરમિયાન રોહિતે કોહલી વિશે કહ્યું કે, "વિરાટે ભારતીય ટીમનું નેતૃત્વ (virat kohli captaincy) ખૂબ જ શાનદાર રીતે કર્યું છે. ટીમ એવી જગ્યાએ પહોંચી ગઈ છે જ્યાંથી પાછું વળીને જોવાનું નથી." રોહિતે કહ્યું, "કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને એક જ સંદેશ હતો કે આપણે માત્ર અને માત્ર જીતવા માટે જ રમવાનું છે."

ટીમ તરીકે વધુ સારું કરવાનો પ્રયત્ન કરીશું

રોહિત શર્માએ કહ્યું, "હું વિરાટ સાથે ઘણું ક્રિકેટ રમ્યો છું ત્યારથી અત્યાર સુધી મને ખૂબ મજા આવી છે. અમે એક ટીમ તરીકે આગળ વધીશું અને વધુ સારું કરવાનો પ્રયાસ કરીશું." ઉલ્લેખનીય છે કે જ્યારે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમ (indian cricket team for south africa tour 2021)ની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે વનડેના કેપ્ટન બદલવા (odi captain of india 2021)ની પણ જાહેરાત કરવામાં આવી હતી. T-20 વર્લ્ડ કપ બાદ કોહલીએ T-20 ફોર્મેટમાં કેપ્ટન્સી છોડી દીધી (kohli stepping down from captaincy) હતી. રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી જ કમાન સંભાળી હતી.

પ્રોસેસ પર ફોકસ, વર્લ્ડ કપ પર નજર

રોહિત શર્માએ ટી-20ની કેપ્ટનસી (rohit sharma t20 captaincy) સંભાળ્યા બાદ પણ વિરાટ કોહલીને લઇને મોટી વાત કહી હતી. રોહિતે કહ્યું હતું કે, વિરાટ દુનિયાના સૌથી સારા બેટ્સમેનોમાં (worlds best batsman)થી એક છે. તે ટીમમાં એક લીડર છે. આવામાં બેટ્સમેન તરીકે તેન ભૂમિકા ઘણી મહત્વની છે. ઉલ્લેખનીય છે કે, આ ઇન્ટરવ્યૂમાં રોહિતે ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડને લઇને પણ વાત કરી છે. સાથે જ આવનારા વિશ્વ કપને લઇને પોતાનો પ્લાન જણાવ્યો છે. રોહિતે કહ્યું કે, ટીમ ઇન્ડિયાની નજર જરૂર તમામ વર્લ્ડ કપ પર છે, પરંતુ અમારું ફોકસ પોતાની પ્રોસેસ પર છે.

આ પણ વાંચો: Asian Rowing Championship 2021: ભારતે થાઈલેન્ડમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા

આ પણ વાંચો: Beijin 2022 Winter Olympics:રશિયા પણ વિન્ટર ઓલિમ્પિકમાં ROC તરીકે ભાગ લેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.