ETV Bharat / sports

વિરાટ કોહલીને T20 ની કેપ્ટનશીપ કેમ છોડવી પડી?

author img

By

Published : Sep 30, 2021, 10:57 AM IST

વિરાટ કોહલી તાજેતરમાં જ T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાની ટી -20 ની કપ્તાની છોડી દે છે. આ કેસમાં નવું જાણાવા મળ્યુ છે કે કોહલીની કપ્તાનીથી રહાણે અને પુજારા ખુશ નથી. આ મામલે જય શાહને કોહલી ફરીયાદ થઈ હતી.

વિરાટ કોહલીને ટી 20 ની કેપ્ટનશીપ કેમ છોડવી પડી?
વિરાટ કોહલીને ટી 20 ની કેપ્ટનશીપ કેમ છોડવી પડી?

  • કોહલીએ T20 વર્લ્ડકપમાં ગેર વર્તનના કારણે પસંદગીકારો પણ નાખુશ
  • બે બેસ્ટમેનોએ જય શાહને ફોન કરી કોહલીની ફરીયાદ
  • રવિચંદ્રન અશ્વિન કોહલીના વલણથી નારાજ

હૈદરાબાદ: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી ચુક્યા છે. T20 વર્લ્ડ કપ બાદ કોહલી રમતના સૌથી ટૂંકા ફોર્મેટનું કેપ્ટનિંગ કરતો જોવા મળશે નહીં, પરંતુ શું તમે જાણો છો કે વિરાટ કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હાર બાદ કેપ્ટનશિપમાંથી હટી જવા માટે ટીમના ડ્રેસિંગ રૂમમાં ચર્ચા કરવામાં આવી હતી? ત્યાર બાદ સિનિયર ખેલાડી અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાએ બીસીસીઆઈના સચિવ જય શાહને ફોન કર્યો હતો.

આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર ટીમ ઇન્ડિયા અને કેપ્ટન વિરાટ કોહલી માટે મોટો ગેમ ચેન્જર સાબિત થયો. જાણવામાં આવી રહ્યું છે કે ઓછામાં ઓછા બે સિનિયર બેસ્ટ્સમેનો BCCIના સચિવ જય શાહ સુધી પહોંચ્યા હતા અને કોહલીની કેપ્ટનશીપ સામે વાંધો ઉઠાવ્યો છે.

અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાની ભારે ટીકા

અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાની ન્યૂઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શન માટે ભારે ટીકા થઈ હતી. પૂજારાને ખાસ કરીને બેટિંગ માટે નિશાન બનાવવામાં આવ્યો હતો. પૂજારાએ પ્રથમ ઈનિગમાં54 બોલમાં 8 રન અને બીજા ઈનિગમાં80 બોલમાં 15 રન બનાવ્યા હતા, જ્યારે રહાણેએ પ્રથમ ઈનિગમાં 117 અને બીજા ઈનિગમાં 40 બોલમાં 15 રન બનાવ્યા હતા

વલ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હાર્યા બાદ વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, માનસિકતા રન બનાવવાની અને રન બનાવવાના રસ્તા શોધવાની હોવી જોઈએ. આઉટ થવા માટે બહુ ચિંતિત ન થઈ શકો, કારણ કે પછી તમે બોલરને રમતમાં સંપૂર્ણપણે લાવી રહ્યા છો. બાદમાં કોહલીએ પુજારા અને રહાણે બંનેને ખેંચ્યા હતા જ્યારે છેલ્લા દિવસે ભારત 170 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, છેલ્લી આઠ વિકેટ માત્ર 99 રનમાં પડી હતી. ન્યૂઝીલેન્ડને 139 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડે ભારતને આઠ વિકેટે હરાવીને પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.

પૂજારા અને અજિંક્ય રહાણેએ જય શાહ સાથે વાત કરી હતી.

મળતી માહિતી મુજબ, વિરાટ કોહલીએ ડ્રેસિંગ રૂમમાં વર્તન કર્યા બાદ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ જય શાહ સાથે વાત કરી હતી. જય શાહ સાથે વિરાટની કેપ્ટનશિપ અંગે વાત કરી હતી, ત્યારબાદ બીસીસીઆઈએ આ પગલું ભર્યું હતું. બે સિનિયર ખેલાડીઓની ફરિયાદ બાદ, બીસીસીઆઈએ ટીમના અન્ય ખેલાડીઓ પાસેથી પ્રતિસાદ માંગ્યો અને પ્રવાસ પૂરો થયા બાદ તેના પર કાર્યવાહી કરવાનું નક્કી કર્યું. આ વર્ષના અંતમાં ટી 20 વર્લ્ડ કપ બાદ ટી 20 કેપ્ટન પદ છોડવાનો કોહલીનો નિર્ણય આ સાથે જોડાયેલો હોઈ શકે છે.

વિરાટ કોહલીએ ભલે વર્કલોડ મેનેજમેન્ટને ટાંક્યું હોય અને રાજીનામું આપવાના કારણો તરીકે તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય, તેમ છતાં ઇંગ્લેન્ડમાં ફરિયાદ અને કેપ્ટનશીપ છોડવાનો મુદ્દો જોડાયેલો માનવામાં આવે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વર્લ્ડ કપ બાદ તેની વનડે કેપ્ટનશિપ અંગે પણ નિર્ણય લેવામાં આવશે. વિરાટ કોહલીએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે ચાલુ સીઝન બાદ તેની આઇપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આગેવાનીથી દૂર થઇ જશે

રવિચંદ્રન અશ્વિન કોહલીના વલણથી નાખુશ

મળતી માહીતી અનુસાર, રવિચંદ્રન અશ્વિન પણ સિનિયર ખેલાડીઓમાંથી એક છે જે ટીમની અંદર કોહલીના વલણથી નાખુશ છે. ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો ભાગ રહેલા અશ્વિનને પ્રવાસમાં એક પણ મેચ રમવાનો વારો આવ્યો ન હતો. સુત્રો અનુસાર કોહલીએ કોચ રવિ શાસ્ત્રીની ચોથી ટેસ્ટ માટે અશ્વિનને પસંદ કરવાની સલાહની અવગણના કરી હતી. કોહલી ટી 20 વર્લ્ડ કપ માટે ઓફ સ્પિનર ​​પસંદ કરવા પર પસંદગીકારો પણ ખુશ નહોતો.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશના ક્રિકેટર સાથે ETV ભારતની એક્સક્લુઝિવ વાતચીત, જુઓ..

આ પણ વાંચોઃ કોહલીની કેપ્ટનશીપથી નાખુશ હતા ઈન્ડિય ક્રિકેટ ટીમ મેમ્બર્સ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.