ETV Bharat / sports

IND vs ENG: પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ 329 રન બનાવ્યા, પંતની અડધી સદી

author img

By

Published : Feb 14, 2021, 12:06 PM IST

IND vs ENG
IND vs ENG

ભારતનો પ્રથમ દાવ બીજી ટેસ્ટના બીજા દિવસે સમાપ્ત થયો છે. ટીમે 10 વિકેટ ગુમાવીને 329 રન બનાવ્યા હતા.

  • ઇશાંત શર્મા અને કુલદીપ યાદવ 0 રને આઉટ થયા
  • ભારતે સ્કોર બોર્ડ પર બનાવ્યા 300 રન
  • મોઇન અલીએ પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ લીધી

ચેન્નાઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતે 329 રન બનાવીને તમામ વિકેટ ગુમાવી દીધી હતી. બીજા દિવસે ઋષભ પંત અને અક્ષર પટેલ મેદાનમાં આવ્યા હતા. અક્ષર પટેલે પાંચ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. તે પછી ઇશાંત શર્મા અને કુલદીપ યાદવ 0 રને આઉટ થયા બાદ પરત ફર્યા હતા.

ચેતેશ્વર પૂજારા 58 બોલમાં 21 રન બનાવી આઉટ થયો

અંતે મોહમ્મદ સિરાજ મેદાનમાં ઉતર્યો હતો. તેમણે બે બોલનો સામનો કર્યો હતો. એક બોલમાં ફોર લગાવી બીજા બોલ પર આઉટ થયો હતો. તે જ સમયે, પંતે તેની અડધી સદી પૂર્ણ કરી. તે 58 રન બનાવીને નોટઆઉટ રહ્યો. આપને જણાવી દઈએ કે, ભારતના દાવના પહેલા જ દિવસે શુભમન ગિલ ત્રીજા બોલમાં આઉટ થઈ થયો, ત્યારબાદ રોહિત શર્માને ટેકો આપવા આવેલા ચેતેશ્વર પૂજારાએ 58 બોલમાં 21 રન બનાવ્યા હતા. જો કે, પૂજારા પણ લાંબા સમય સુધી ક્રિઝ પર રહી શક્યો ન હતો અને સ્લિપ પર ઉભેલા સ્ટોક્સને તેનો કેચ આપી આઉટ થયા હતા.

161 રન બનાવી રોહિતે બચાવી મેચ

આ પછી કેપ્ટન કોહલી આવ્યો, જે એક વર્ષ બાદ તેના સાથી રોહિત શર્મા સાથે રમી રહ્યો હતો, પરંતુ મોઇન અલીની જાળીમાં ફસાઈ ગયા બાદ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. આ મુદ્દા સુધી, મેચ ઇંગ્લેન્ડની તરફેણમાં જણાય છે, પરંતુ ઉપ-કપ્તાન રહાણેએ એક છેડે રોહિતને ટેકો આપ્યો હતો અને અડધી સદી ફટકારી હતી. 161ના સ્કોરે પહોંચેલા રોહિત તેની ડબલ સદી માટે જઈ રહ્યો હતો ત્યારે તે સ્વીપ શોટ રમીતા આઉટ થયો હતો અને રહાણે પણ થોડી વારમાં બોલ્ડ થઈ ગયો હતો. બંનેની પેવેલિયન પરત ફરતાં ભારતીય ઇનિંગ થોડી અસ્થિર દેખાઈ હતી. જોકે, દિવસની રમત સમાપ્ત થાય ત્યાં સુધી ભારતે સ્કોર બોર્ડ પર 300 રન બનાવ્યા હતા. મોઇન અલીએ પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ લીધી હતી. તેમના સિવાય ઓલી સ્ટોને ત્રણ વિકેટ અને જો રુટને એક વિકેટ મળી હતી. સાથે જ જેક લીચે પણ બે વિકેટ ઝડપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.