ETV Bharat / sitara

Punjab Vidhanshaba Election Result 2022: પંજાબ ચૂંટણીમાં હારવાથી શું સિધ્ધુ પરત ફરશે ધ કપિલ શર્મા શો'માં

author img

By

Published : Mar 10, 2022, 5:58 PM IST

Updated : Mar 11, 2022, 11:48 AM IST

Punjab Vidhanshaba Election Result 2022: પંજાબ ચૂંટણીમાં હારને કારણે ટ્રોલ થયા સિદ્ધુ, ટ્રોલર્સે કહ્યું....
Punjab Vidhanshaba Election Result 2022: પંજાબ ચૂંટણીમાં હારને કારણે ટ્રોલ થયા સિદ્ધુ, ટ્રોલર્સે કહ્યું....

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ખરાબ રીતે પંજાબ વિધાનસભામાં ચૂંટણીમાં (Punjab Vidhanshaba Election Result 2022) હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ સિદ્ધુએ એક ટ્વિટ કર્યું (Navjot singh Sidhu Tweet) છે. આ ટ્વીટને લઈને સિદ્ધુ જોરદાર ટ્રોલ (Navjot Singh Sidhu troll) થઈ રહ્યો છે. આ હાર પછી લગભગ રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ, પરંતુ એક ખુરશી છે જે તેના માટે સંપૂર્ણપણે યોગ્ય છે, તે છે 'ધ કપિલ શર્મા' શોમાં જજની ખુરશી. શું સિધ્ધુ પરત ફરશે ધ કપિલ શર્મા શો'માં?

ન્યૂઝ ડેસ્ક: 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં (Punjab Vidhanshaba Election Result 2022) સત્તારૂઢ કોંગ્રેસની હાલત કફોડી બની છે. પંજાબમાં આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમતી મેળવી સત્તા કબજે કરવા જઈ રહી છે, જ્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ મોટા વોટીંગ અંતરથી હારી ગયા છે. આ બાદ તેમને સોશિયલ મીડિયા પર ભારે મુશ્કેલી પડી રહી છે. નવજોત સિંહ સિદ્ધુ અને બિક્રમ સિંહ મજીઠિયા વચ્ચે મોટો મુકાબલો માનવામાં આવી રહ્યો હતો, પરંતુ હાર બાદ લોકો અટકળો લગાવી રહ્યું છે કે,શું સિધ્ધુ પરત ફરશે ધ કપિલ શર્મા શો'માં (Siddhu Return To Kapil Sharma Show)?

આ પણ વાંચો: UP Election Results 2022: 'બિકીની ગર્લ' અર્ચના ગૌતમ પાછળ, જાણો કોણ છે આ ગર્લ

આ હાર બાદ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને લખ્યું, 'લોકોનો અવાજ ભગવાનનો અવાજ છે, પંજાબના લોકોના અભિપ્રાયને નમ્રતાથી સ્વીકારો, AAPને અભિનંદન'. સિદ્ધુના આ ટ્વિટ પર ટ્રોલ્સ ઝાટકણી કાઢી રહ્યા છે. એકે લખ્યું, 'સિદ્ધુ સાહેબ હવે વેલે (ખાલી) થઈ ગયા છે. પંજાબમાં સિદ્ધુની હાર પર એક યુઝરે સિદ્ધુ અને કપિલની એક સાથે તસવીર શેર કરી અને લખ્યું, 'ચાલો કપિલના શોમાં જઈએ'.

લોકોને એવું લાગે છે કે....

સિદ્ધુ ઘણા વર્ષો સુધી 'ધ કપિલ શર્મા શો'માં જજ રહી ચૂક્યો છે. તેના ગયા પછી અર્ચના પુરણ સિંહે શોની શોભા વધારી છે. કપિલ પણ સિદ્ધુની વાપસી અંગે અર્ચનાને ટોણા મારતો રહે છે, જ્યારે ટીમના અન્ય સભ્યો પણ સિદ્ધુના વાપસીનો ઉલ્લેખ કરીને અર્ચનાને ચીડવવાનો કોઈ મોકો છોડતા નથી. હવે સોશિયલ મીડિયા પર પણ લોકોને એવું લાગવા માંડ્યું છે કે,સિદ્ધુ ક્યાંક ફરી શોમાં એન્ટ્રી ના કરે.

જાણો કેમ અર્ચના માટે આ મુશ્કેલ સમય છે

ટ્વિટર યુઝર્સનું માનવું છે કે, અર્ચના માટે આ મુશ્કેલ સમય છે, સિદ્ધુનું પંજાબના સીએમ બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે, ત્યારે હવે તે ફરી ટીવી તરફ ક્યાંક આગળ ના વધે. આ સંજોગોમાં તેમની પ્રથમ નજર અર્ચના પર હશે. . જોકે સિદ્ધુએ વિધાનસભા ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે, પરંતુ તેમણે હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે, તેમનું આગામી પગલું શું હશે. કપિલ શર્મા શોમાં રહેતાં પણ સિદ્ધુ ઘણી વખત વિવાદોમાં ફસાયા હતા. પીઓકેના વડા પ્રધાનને ગળે મળવાથી લઈને ઈમરાન ખાન સાથેની મિત્રતા સુધીની ઘણી ચર્ચાઓ થઈ છે.

આ પણ વાંચો: Assembly Election Result 2022: યૂપીમાં ફરી યોગીનો ઝંડો લહેરાયો તો ટ્રોલ થયો કમાલ આર ખાન

Last Updated :Mar 11, 2022, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.