HAPPY BIRTHDAY AISHWARYA: ઐશ્વર્યા રાય બચ્ચન 48 જન્મદિવસ પરિવાર સાથે ઉજવશે

author img

By

Published : Nov 1, 2021, 3:42 PM IST

HAPPY BIRTHDAY AISHWARYA: ઐશ્વર્યા રાય બચ્ચન 48 જન્મદિવસ પરિવાર સાથે ઉજવશે

ઐશ્વર્યા રાય બચ્ચન(Aishwarya Rai Bachchan)નો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ થયો હતો. ઐશ્વર્યાએ નાનપણથી જ મોડલિંગ(Modeling) શરૂ કર્યું હતું. 1994 માં, વિશ્વ સુંદરતાના બિરુદથી તેના માટે ફિલ્મોના દરવાજા ખુલ્યા. લુક્સની વાત કરીએ તો મોડલિંગના દિવસોથી લઈને અત્યાર સુધી તેના લુકમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે

  • ઐશ્વર્યા રાય બચ્ચન 48 જન્મદિવસ પરિવાર સાથે ઉજવશે
  • ગુરુ ફિલ્મના સેટ પર અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું
  • ઐશ્વર્યાની કૃત્સ્ન આલમમાં અલગ ઓળખ

મુંબઈઃ પૂર્વ મિસ વર્લ્ડ(Miss World) ઐશ્વર્યા રાય બચ્ચન પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે આ વખતે એશ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે ઉજવશે. ગયા વર્ષે ઐશ્વર્યાનો જન્મદિવસ રોમમાં ઉજવ્યો હતો જ્યાં તે એક બ્રાન્ડ ઇવેન્ટમાં ભાગ લેવા ગઈ હતી. ઐશ્વર્યા રાય(Aishwarya Rai) બચ્ચનનો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ મેંગ્લોરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણરાજ રાય આર્મીમાં જીવવિજ્ઞાની હતા.

અભિનેત્રીએ પોતાનું શિક્ષણ મુંબઈથી કર્યું છે. શાળાના દિવસો દરમિયાન, ઐશ્વર્યા રાય બચ્ચન તબીબી અભ્યાસ તરફ વધુ ઝુકાવ કરતી હતી અને તેનો પ્રિય વિષય પ્રાણીશાસ્ત્ર હતો. જ્યારે તે નવમા ધોરણમાં હતી ત્યારે ટીવી કમર્શિયલમાં જોવા મળી હતી. તે પછી ઐશ્વર્યા રાય બચ્ચને પણ આર્ટિસ્ટ બનવાનું મન બનાવ્યું અને તેણે તેના માટે કોલેજમાં પ્રવેશ પણ લીધો. આ માટે તેણે રચના સંસદ એકેડમીમાં એડમિશન લીધું હતું, પરંતુ તે પછી તેનું મન મોડલિંગમાં તરફ વળ્યું હતું.

ઐશ્વર્યાનો બોલિવુડથી હોલીવુડ સુધી રુઆબ

ઐશ્વર્યા રાયે બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ પોતાનો દબદબો બતાવ્યો છે. ઐશ્વર્યા રાયે 20 એપ્રિલ 2007ના રોજ અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. 16 નવેમ્બર 2011ના રોજ પુત્રી આરાધ્યા બચ્ચનનો જન્મ થયો હતો. ઐશ્વર્યા પોતાના પરિવારને પ્રાથમિકતા આપે છે. વિલ સ્મિથની એક ફિલ્મ છોડવા અંગે તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે પરિવાર તેની પ્રથમ પ્રાથમિકતા છે.

અભિષેક અને ઐશ્વર્યાએ પહેલીવાર વર્ષ 2000માં ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમ કેમાં સાથે કામ કર્યું હતું અને તે સમયે તેઓ સારા મિત્રો બની ગયા હતા. આ પછી બંનેએ ના કહો, બંટી ઔર બબલી, ઉમરાવ જાન, ધૂમ 2 અને ગુરુમાં સાથે કંઈક કર્યું. ગુરુ ફિલ્મના સેટ પર અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. લગ્ન બાદ સરકાર રાજ અને રાવણ બંને ફિલ્મો રિલીઝ થઈ હતી.

બે વાર ફિલ્મફેર એવોર્ડ, 2009માં પદ્મશ્રીથી નવાજીશ

ઐશ્વર્યાએ દીકરીના જન્મ બાદ પાંચ વર્ષનો બ્રેક લઈ ફિલ્મ જઝબા (2015)થી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું હતું. ત્યારબાદ સરબજીત અને એ દિલ હૈ મુશ્કિલ, ફન્ને ખાનમાં જોવા મળી હતી. બે વાર ફિલ્મફેર એવોર્ડ અને ભારત સરકાર દ્વારા 2009માં પદ્મશ્રી અને 2012માં ફ્રાન્સ સરકાર દ્વારા ઓડ્રે ડેસ આર્ટસ એટ ડેસ લેટ્રેસથી પુરસ્કાર મળ્યો હતો. ઐશ્વર્યા રાય છેલ્લા 18 વર્ષથી કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ચમકી રહી છે.

ઐશ્વર્યાએ ઈરુવર ફિલ્મથી કરિયરની શરુઆત કરી

ઐશ્વર્યા રાય બચ્ચને વર્ષ 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું હતું. આ પછી ઐશ્વર્યા રાયે આખી દુનિયામાં એક ખાસ અને અલગ ઓળખ મળી. મોડલિંગ પછી તેણે અભિનયની દુનિયામાં આવવાનું નક્કી કર્યું. વર્ષ 1997માં મણિરત્નમની ફિલ્મ ઈરુવરથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું.

આ પણ વાંચોઃ ઐશ્વર્યા મીમ પોસ્ટ : વિવેક ઓબોરોયએ ટ્વિટ ડિલીટ કરી માંગી માફી

આ પણ વાંચોઃ Bollywood Gossip: જૂઓ શા માટે ઐશ્વર્યા રાયે સલમાન ખાનને કહ્યો સૌથી હેન્ડસમ મેન?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.