ETV Bharat / sitara

અનુરાગ કશ્યપે ફિલ્મ 'ધૂમકેતુ'નો અનુભવ શેર કર્યો

author img

By

Published : May 21, 2020, 8:21 PM IST

અનુરાગ કશ્યપે ફિલ્મ 'ઘૂમકેતુ'નો અનુભવ શેર કર્યો
અનુરાગ કશ્યપે ફિલ્મ 'ઘૂમકેતુ'નો અનુભવ શેર કર્યો

ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ 'ધૂમકેતુ' માં પોલીસ અધિકારીની ભૂમિકા અનુરાગ કશ્યપ ભજવી રહ્યા છે. આ પાત્ર વિશે તેમણે કહ્યું હતું કે, તે સમયે તે અનફિટ હતા તેથી તેમને આળસુ પોલીસ કર્મચારીની ભૂમિકા નિભાવવામાં કોઈ મુશ્કેલી પડી ન હતી.

મુંબઈ: અનુરાગ કશ્યપે 'ધૂમકેતુ'માં પોલીસની ભૂમિકા નિભાવવા પર પોતાનો અનુભવ શેર કર્યો. કોમેડી ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં છે.આ પુષ્પેન્દ્ર નાથ મિશ્રા તથાઅને ફેન્ટમ ફિલ્મ્સ અને સોની પિક્ચર્સ નેટવર્ક (એસપીએન) દ્વારા નિર્મિત કરવામાં આવી છે.આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ અને ઇલા અરૂણ, રઘુબીર યાદવ, સ્વાનંદ કિરકિરે અને રાગિની ખન્ના જેવા કલાકારો જોવા મળશે.

'ધૂમકેતુ' એ એક કોમેડી-ડ્રામા ફિલ્મ છે, જે નવાઝુદ્દીન સિદ્દીકી અભિનિત એક અનુભવી લેખક પર આધારિત છે, જે મુંબઈના ફિલ્મ ઉદ્યોગમાં નામ કમાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. તે જ સમયે, આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ પોલીસની ભૂમિકા ભજવી રહ્યો છે.

તેણે વધુમાં કહ્યું, 'મારે કોઈ પ્રકારની તૈયારી કરવાની જરૂર નહોતી. મને આ પાત્ર ભજવવામાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડી હતી.તો આ સાથે જ તે સમયે હુ ખુબ જ અનફિટ હતો અને આ પાત્ર સાથે મેચ થઇ ગયો હતો.મેં મારી છેલ્લી ત્રણ ફિલ્મમાં પણ પોલીસની ભૂમિકા ભજવી છે.આ ફિલ્મ 22 મેના રોજ રીલિઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.