આ મોટી કંપની ગરીબ વિદ્યાર્થીઓને ટેકનિકલ તાલીમ આપશે

author img

By

Published : Sep 27, 2022, 10:05 AM IST

Etv Bharatઆ મોટી કંપની ગરીબ વિદ્યાર્થીઓને ટેકનિકલ તાલીમ આપશે

સેમસંગ ઇનોવેશન કેમ્પસ ભારતના પછાત અને ગરીબ વિદ્યાર્થીઓ (underprivileged students) ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IoT, બિગ ડેટા, કોડિંગ અને પ્રોગ્રામિંગના ક્ષેત્રમાં ભવિષ્યની તકનીકી તકો માટે તૈયાર કરશે. સેમસંગે તેનો CSR પ્રોગ્રામ સેમસંગ ઈનોવેશન કેમ્પસ ભારતમાં લોન્ચ કર્યો છે. કેમ્પસનો ઉદ્દેશ્ય 18 થી 25 વર્ષની વયજૂથના યુવાનોને ભવિષ્યવાદી ટેક્નોલોજીમાં તાલીમ (samsung training for students) આપવાનો અને તેમની રોજગાર ક્ષમતામાં વધારો કરવાનો છે.

નવી દિલ્હી: સેમસંગ ઇનોવેશન કેમ્પસ ભારતના પછાત અને ગરીબ વિદ્યાર્થીઓ (underprivileged students) ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IoT, બિગ ડેટા, કોડિંગ અને પ્રોગ્રામિંગના ક્ષેત્રમાં ભવિષ્યની તકનીકી તકો માટે તૈયાર (samsung training for students) કરશે. ભારતના 3000 પછાત વિદ્યાર્થીઓની પ્રથમ બેચને તાલીમ આપવા માટે સેમસંગ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વચ્ચે પણ કરાર કરવામાં આવ્યો છે. કૌશલ્ય વિકાસ રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ઑનલાઇન તાલીમ: સેમસંગે તેનો CSR પ્રોગ્રામ સેમસંગ ઈનોવેશન કેમ્પસ ભારતમાં લોન્ચ કર્યો છે. કેમ્પસનો ઉદ્દેશ્ય 18 થી 25 વર્ષની વયજૂથના યુવાનોને ભવિષ્યવાદી ટેક્નોલોજીમાં તાલીમ આપવાનો અને તેમની રોજગાર ક્ષમતામાં વધારો કરવાનો છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે આ સૌથી મહત્વપૂર્ણ તકનીકી કુશળતા છે. પ્રોગ્રામ માટે નોંધાયેલા યુવાનો વર્ગખંડ અને ઑનલાઇન તાલીમમાંથી પસાર થશે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, બિગ ડેટા અને કોડિંગ અને પ્રોગ્રામિંગમાંથી તેમના પસંદ કરેલા ટેકનિકલ ક્ષેત્રોમાં ઉપયોગી કેપસ્ટોન્સ બનશે અને પ્રોજેક્ટ પૂર્ણ કરશે.

ડિજિટલ તકો: આ પ્રસંગે બોલતા કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, દેશમાં પ્રતિભાની કોઈ કમી નથી, તો બીજી તરફ પ્રતિભાશાળી અને કુશળ ભારતીયોની માંગ પણ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહી છે. કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, કૌશલ્ય માત્ર યુવાનોને રોજગારીયોગ્ય બનાવવા માટે ન હોવું જોઈએ, પરંતુ તે તેમની સમૃદ્ધિ માટે પાસપોર્ટ જેવું હોવું જોઈએ, જ્યાં અન્યને રોજગારી આપી શકાય અને રોજગારની નવી તકો ઊભી કરી શકાય. કૌશલ્ય જેટલું વધુ રોજગારી યોગ્ય હશે, તેટલા વિદ્યાર્થીઓ અને યુવા ભારતીયો તેની તરફ આકર્ષિત થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે, ડિજિટલ તકો દરેક ભારતીય માટે સમાન રીતે ઉપલબ્ધ હોવી જોઈએ. વડાપ્રધાન ઇચ્છે છે કે, આવા પ્રયાસો માત્ર દેશની શ્રેષ્ઠ સંસ્થાઓમાં જ નહીં, તે ટાયર 2 અને ટાયર 3 શહેરોની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ દ્વારા પણ થવું જોઈએ.

તકનીકી વિકાસ: સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઇઓ કેન કાંગે જણાવ્યું હતું કે, સેમસંગ ભારતમાં 26 વર્ષથી હાજર છે અને દેશના વિકાસમાં પ્રતિબદ્ધ ભાગીદારની ભૂમિકા નિભાવવા રહ્યું છે. અમે દેશના તકનીકી વિકાસ માટે સરકારના વિઝન સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. સેમસંગ ઇનોવેશન કેમ્પસ દ્વારા, અમારો હેતુ યુવાનોને સશક્ત કરવાનો અને ભવિષ્યના ટેક્નોલોજી ક્ષેત્રમાં તેમના માટે તકો ઊભી કરવાનો છે. આ પ્રયાસ સાથે અમે ભારતને ઝડપી વિકાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.