ETV Bharat / science-and-technology

ChatGPT Accuracy: ChatGPTની વિશ્વનિયતા પર સવાલ, આ વિષય પરના અડધાથી વધુ પ્રશ્નોના ખોટા જવાબો આપ્યા

author img

By

Published : Aug 14, 2023, 12:35 PM IST

Etv BharatChatGPT Accuracy
Etv BharatChatGPT Accuracy

OpenAI ChatGPT ની શરૂઆત થઈ ત્યારથી, તેની ચોકસાઈ પર પ્રશ્નો ઉભા થયા છે. હવે તેણે સોફ્ટવેર એન્જિનિયરિંગના લગભગ અડધા પ્રશ્નોના ખોટા જવાબો આપ્યા છે.

ન્યૂયોર્ક: ઈન્ટરનેટ અને ટેકનોલોજીની દુનિયામાં ચેટ જીપીટીની ખૂબ જ ઝડપથી ચર્ચા થઈ રહી છે. ત્યારે Open AIના ચેટજીપીટીએ લગભગ 52 ટકા સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રશ્નોના ખોટા જવાબો આપ્યા છે, જેનાથી તેની ચોકસાઈ અંગે પ્રશ્નો ઉભા થયા છે. યુ.એસ.માં પરડ્યુ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું કે, ChatGPTની લોકપ્રિયતા હોવા છતાં, સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રશ્નોના જવાબોની ગુણવત્તા અને ઉપયોગિતાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી નથી. આ તફાવતને દૂર કરવા માટે, ટીમે સ્ટેક ઓવરફ્લો (SO) પર 517 પ્રશ્નોના ChatGPTના જવાબોનું વિસ્તૃત વિશ્લેષણ કર્યું હતું.

ભૂલો થવાનું કારણઃ સંશોધકોએ પેપરમાં લખ્યું હતું કે, "અમારી તપાસ દર્શાવે છે કે, OpenAI ChatGPTના 52 ટકા જવાબોમાં ભૂલો હતી અને 77 ટકા શબ્દો અસ્પષ્ટ હતા," મહત્વપૂર્ણ રીતે, ટીમે શોધી કાઢ્યું કે, 54 ટકા સમયની ભૂલો ChatGPT પ્રશ્નોના ખ્યાલને ન સમજી શકવાના કારણે હતી. તેમણે કહ્યું કે, ChatGPT જે પ્રશ્નોને સમજે છે, તે તેને ઉકેલવામાં પણ નિષ્ફળ રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં ભૂલો થઈ છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે, ChatGPT ને તર્કમાં મર્યાદાઓ છે.

ભૂલોને સુધારવાની જરૂર છે: સંશોધકોએ જણાવ્યું હતું કે, "ઘણા કિસ્સાઓમાં, અમે અવલોકન કર્યું છે કે ChatGPT દૂરદર્શિતા અથવા પરિણામો વિશે વિચાર્યા વિના ઉકેલો, કોડ્સ અથવા સૂત્રો પ્રદાન કરે છે. પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ અને હ્યુમન-ઇન-ધ-લૂપ ફાઇન-ટ્યુનિંગ સમસ્યાને સમજવા માટે ચેટજીપીટીના પરીક્ષણમાં અમુક અંશે મદદરૂપ થઈ શકે છે, પરંતુ જ્યારે LLM (લોજિક લર્નિંગ મશીન)માં તર્કશાસ્ત્ર મૂકવાની વાત આવે છે, તો તે હજુ પણ અપૂરતી છે. તેથી, ભૂલના પરિબળોને સમજવું તેમજ તર્કની મર્યાદામાંથી ઉદ્ભવતી ભૂલોને સુધારવાની જરૂર છે."

ChatGPT પ્રતિભાવો ખૂબ જ ઔપચારિક છેઃ આ ઉપરાંત, ChatGPT અન્ય ગુણવત્તા સમસ્યાઓથી પણ પીડાય છે જેમ કે વર્ડ ટ્રેપ્સ, અસંગતતા વગેરે. ઊંડાણપૂર્વકના મેન્યુઅલ વિશ્લેષણના પરિણામોએ ચેટજીપીટી પ્રતિસાદોમાં મોટી સંખ્યામાં વૈચારિક અને તાર્કિક ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું. ભાષાકીય પૃથ્થકરણના પરિણામો દર્શાવે છે કે, ChatGPT પ્રતિભાવો ખૂબ જ ઔપચારિક છે અને ભાગ્યે જ નકારાત્મક લાગણીઓનું ચિત્રણ કરે છે. ” તેમ છતાં, વપરાશકર્તાઓ તેની સામાન્યતા અને સ્પષ્ટ ભાષા શૈલીને કારણે ChatGPT પ્રતિસાદોને 39.34 ટકા પસંદ કરે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, "આ તારણો OpenAI ChatGPTમાં સાવચેતીપૂર્વકની ભૂલ સુધારણાની જરૂરિયાત પર ભાર મૂકે છે, તેમજ સચોટ જવાબો સાથે સંકળાયેલા સંભવિત જોખમો વિશે વપરાશકર્તાઓમાં જાગૃતિ ફેલાવે છે.

આ પણ વાંચોઃ

  1. ZUCK MUSK Cage Fight: એલોન મસ્ક સામે ફાઈટ કરવા માટે માર્ક ઝકરબર્ગની તૈયારી, જાણો જુ-જિત્સુ અને કેજ ફાઈટ શું છે
  2. Chandrayaan 3: ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ અંગે ઈસરોના વડાએ કહી આ મોટી વાત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.