ETV Bharat / international

India Canada Row : MEA નિવેદન, આતંકવાદી ગતિવિધિઓ વિશે જાણ કર્યા પછી પણ કેનેડાએ પગલાં લીધાં નથી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 8:08 PM IST

India Canada Row : MEA નિવેદન, આતંકવાદી ગતિવિધિઓ વિશે જાણ કર્યા પછી પણ કેનેડાએ પગલાં લીધાં નથી
India Canada Row : MEA નિવેદન, આતંકવાદી ગતિવિધિઓ વિશે જાણ કર્યા પછી પણ કેનેડાએ પગલાં લીધાં નથી

ભારત કેનેડા વિવાદ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કેનેડાને આતંકવાદી ગતિવિધિઓનો સામનો કરવાની ઈચ્છા નથી. તેમણે કહ્યું કે કેનેડાને અપરાધિક ગતિવિધિઓ વિશે જાણ કરવામાં આવી હોવા છતાં તેઓએ કોઈ પગલાં લીધાં નથી.

નવી દિલ્હી : કેનેડામાં ખાલિસ્તાન અલગતાવાદીની હત્યા પર ભારત વિરુદ્ધ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના આક્ષેપોને લઇને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું તે અમે કેનેડાની સરકારને સૂચના આપી હતી કે આપણી પરસ્પર રાજનૈયિક ઉપસ્થિતિમાં સમાનતા હોવી જોઇએ. તેમની સંખ્યા કેનેડામાં અમારી સરખામણીમાં ખૂબ વધુ છે. મને લાગે છે કે કેનેડા તરફથી તે ઓછી કરવામાં આવશે. મને લાગે છે કે કંઇક અંશે પૂર્વગ્રહ છે. કેનેડા સરકારે આરોપ લગાવ્યો છે અને તેના પર કાર્યવાહી કરી છે. અમને લાગે છે કે કેનેડા સરકારના આ આરોપ મુખ્યત્વ રાજનીતિથી પ્રેરિત છે.

પુરાવા આપ્યાં છે : ભારત કેનેડા વિવાદ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે અમને આપવામાં આવેલી કોઇપણ ખાસ જાણકારી પર વિચારણા કરવા તૈયાર છીએ. પરંતુ અમને કેનેડા તરફથી કોઇ વિશિષ્ટ જાણકારી હજુ સુધી મળી નથી. અમારા તરફથી કેનેેડામાં રહેતાં કેટલાક લોકો દ્વારા અપરાધિક ગતિવિધિઓના ખાસ પુરાવા કેનેડાને આપવામાં આવ્યાં છે. પરંતુ તેના પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

  • #WATCH | MEA Spokesperson Arindam Bagchi says, "Safe haven is being provided in Canada, we want the Canadian govt to not do so and take action against those who have terrorism charges or send them here to face justice...We've sought either extradition request or assistance… pic.twitter.com/0ikMJFu8M6

    — ANI (@ANI) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સામાન્ય કામકાજ બાધ્ય થઇ રહ્યું છે : કેનેડામાં વિઝા સેવાઓની હાલની સ્થિતિ અંગે બાગચીએ કહ્યું હતું કે કેનેડામાં અમારા ઉચ્ચાયોગ અને વાણિજ્ય દૂતાવાસો દ્વારા સામનો કરવામાં આવી રહેલા સુરક્ષાના જોખમોથી તમે અવગત છો. આનાથી તેમનું સામાન્ય કામકાજ બાધ્ય થઇ રહ્યું છે. આપણાં ઉચ્ચાયોગ અને વાણિજ્ય દૂતાવાસ અસ્થાયીરુપથી વિઝા આવેદન પર કામ કરવા માટે અસમર્થ છે. અમે નિયમિત આધાર પર સ્થિતિની સમીક્ષા કરીશું.

  • #WATCH कनाडा में रहने वाले भारतीय छात्रों के बारे में विदेश मंत्रालय के प्रवक्ता अरिंदम बागची ने कहा, "हमने सावधानी बरतने के लिए एक एडवाइजरी जारी की है। हमारा वाणिज्य दूतावास वहां काम कर रहा है। हमने कहा है कि अगर उन्हें कोई समस्या आती है, तो वे हमारे वाणिज्य दूतावास से संपर्क… pic.twitter.com/jClrGJOu0a

    — ANI_HindiNews (@AHindinews) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સુરક્ષાની જવાબદારી ત્યાંની સરકારની : કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં સુરક્ષા વધારવાના સવાલના જવાબમાં અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે અમારું માનવું છે કે સુરક્ષા પ્રદાન કરવી યજમાન સરકારની જવાબદારી છે. કેટલીક જગ્યાએ આપણી પોતાની સુરક્ષા વ્યવસ્થા પણ છે. પરંતુ આ અંગે સાર્વજનિક રુપે ચર્ચા કરવી ઠીક નથી. આ ઉચિત સ્થિતિ નથી.

  1. Canada Visa Service Suspend: ભારતે કેનેડાના લોકો માટે વિઝા અરજી પર મુક્યો પ્રતિબંધ
  2. India Canada Tension: ભારત કેનેડા વચ્ચે વિવાદ વકરશે તો કયા દેશને થશે વધુ નુકસાન ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.