પાકિસ્તાન પોતાના ક્ષેત્રમાંથી અફઘાનિસ્તાનને ઘઉં મોકલવાની ભારતને આપશે પરવાનગી: ઇમરાન ખાન

author img

By

Published : Nov 23, 2021, 3:52 PM IST

પાકિસ્તાન પોતાના ક્ષેત્રમાંથી અફઘાનિસ્તાનને ઘઉં મોકલવાની ભારતને આપશે પરવાનગી: ઇમરાન ખાન

રેડિયો પાકિસ્તાન (radio pakistan)ના એક સમાચાર પ્રમાણે બેઠક દરમિયાન ઇમરાન ખાને (imran khan) અફઘાનિસ્તાન (afghanistan)ને માનવીય સહાયતા તરીકે 50,000 મેટ્રિક ટન ઘઉં (wheat) આપવાના ભારતના પ્રસ્તાવ (india's proposal)ને પરવાનગી આપવાના પાકિસ્તાન (pakistan)ના નિર્ણયની જાહેરાત કરી છે.

  • ઇમરાન ખાને AICCની સર્વોચ્ચ સમિતિની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી
  • અફઘાનિસ્તાનને સમર્થન આપવા આંતરરાષ્ટ્રીય સમુદાયને કરી ટકોર
  • ભારતે પાકિસ્તાનથી પસાર થવાની પરવાનગી રજૂઆત કરી હતી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને (prime minister of pakistan imran khan) સોમવારના જાહેરાત કરી કે તેમની સરકાર પરિવહનની રીતોને અંતિમ ઓપ આપ્યા બાદ ભારત (india)ને પોતાના ક્ષેત્રથી પાડોશી દેશ અફઘાનિસ્તાન (afghanistan)ને 50,000 મેટ્રિક ટન ઘઉં (wheat)ની માનવીય મદદ મોકલવાની પરવાનગી આપશે. ઇમરાન ખાને (imran khan) ઇસ્લામાબાદ (islamabad)માં અફઘાનિસ્તાન ઇન્ટર-મિનિસ્ટ્રીયલ કોઓર્ડિનેશન સેલ (AICC)ની સર્વોચ્ચ સમિતિની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી.

આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ કરી ટકોર

આ તક પર ઈમરાને અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સંકટ (humanitarian crisis)ની સ્થિતિને ટાળવા અને પડકારોના આ સમયમાં તેને સમર્થન આપવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય (international community)ને તેની સામૂહિક જવાબદારીની પણ યાદ અપાવી. રેડિયો પાકિસ્તાનના એક સમાચાર પ્રમાણે બેઠક દરમિયાન, ઇમરાન ખાને અફઘાનિસ્તાનને માનવીય સહાયતા તરીકે 50,000 મેટ્રિક ટન ઘઉં આપવાના ભારતના પ્રસ્તાવને પરવાનગી આપવાના પાકિસ્તાનના નિર્ણયની જાહેરાત કરી. ભારતે પાકિસ્તાનથી પસાર થવાની પરવાનગી રજૂઆત કરી હતી.

અત્યારે ફક્ત અફઘાનિસ્તાનને જ માલ નિકાસ કરવાની પરવાનગી

પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે, જેવું ભારતીય પક્ષ સાથે રીતોને અંતિમ રૂપ આપવામાં આવશે, આ નિર્ણય લાગુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં પાકિસ્તાન ફક્ત અફઘાનિસ્તાનને ભારતને માલ નિકાસ કરવાની પરવાનગી આપે છે, પરંતુ સરહદ પારથી કોઈ અન્ય દ્વિ-માર્ગીય વેપારને મંજૂરી નથી આપતું. ગત મહિને ભારતે માનવીય સહાયતા તરીકે અફઘાનિસ્તાન માટે 50,000 મેટ્રિક ટન ઘઉંની જાહેરાત કરી અને પાકિસ્તાનને વાઘા બોર્ડરથી ખાદ્યપદાર્થો મોકલવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચો: દેશની 'સર્વોચ્ચ ન્યાયાલય' દ્વારા લોકોના સંરક્ષણ માટે લેવાયા પગલા

આ પણ વાંચો: ઘાસચારા કૌભાંડ કેસ: લાલુ યાદવ સહિત 28 આરોપીઓ આજે સ્પેશિયલ કોર્ટમાં રહેશે હાજ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.