Kidnapping Of Trader In Ahmedabad: પૈસાની લેતી દેતીમાં જીરાના વેપારીનું અપહરણ

author img

By

Published : Dec 24, 2021, 7:21 AM IST

Kidnapping Of Trader In Ahmedabad: પૈસાની લેતી દેતીમાં જીરાના વેપારીનું અપહરણ

સાળા બનેવી વચ્ચે થયેલા જીરાના વ્યાપાર (Kidnapping Of Trader In Ahmedabad) બાદ, રૂપિયાની લેતી દેતી અંગે ખટરાગ થયો હતો. બનેવીએ કાવતરું રચી સાળા અને તેના પાર્ટનરને અમદાવાદ બોલાવી અપહરણ (kidnapping of Cumin trader in unza) કર્યુ હતુ, જે ગુનામા સરખેજ પોલીસે અપહરણ કરનાર 2 આરોપીની ધરપકડ (accused of kidnapping arrested)કરી બન્ને વેપારી અપહ્યુતને મુક્ત કરાવ્યા છે. જોકે મુખ્ય કાવતરાખોર બનેવી હજી પોલીસ પકડથી દૂર છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ: 21 ડિસેમ્બરના રોજ બપોરે SG હાઇવે પરથી જીરાના વેપારી (Kidnapping Of Trader In Ahmedabad) ભરત પટેલ અને તેમના પાર્ટનર પાર્થ પટેલનુ અપહરણ થતાં શહેરભરની પોલીસ દોડતી થઇ હતી. પોલીસ તપાસમાં ભરતના પુત્રએ માહિતી આપી કે, અમદાવાદમાં વેપારીને જીરાનો (kidnapping of Cumin trader in unza) માલ આપવાના બહાને બોલાવવામાં આવ્યા, અને ત્યાંથી ગાડીમાં અપહરણ કરી (Kidnapping of trader in gujarat) રાજકોટ જામનગર તરફ લઈ જવામાં આવ્યા, સાથે જ પોલીસે ગાડીના નંબર અને CCTVના આધારે તપાસ કરતાં જાવેદ સુમરા અને નદીમ સુમરાની રાજકોટ પોલીસની મદદથી ધરપકડ (accused of kidnapping arrested) કરવામાં આવી છે.

પૈસાની લેતી દેતીમાં જીરાના વેપારીનું અપહરણ

અપહરણનું માસ્ટરમાઈન્ડ પ્રભુલાલ ભેસદડિયા છે

જાવેદ સુમરા અને નદીમ સુમરાની અપહરણના ગુનામાં ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા સામે આવ્યું કે, અપહરણનું માસ્ટરમાઈન્ડ પ્રભુલાલ ભેસદડિયા છે, જેણે ભરત પટેલ અને પાર્થ પટેલને વેપારના બહાને અમદાવાદ બોલાવ્યા (Cumin traders abducted from ahmedabad) હતા, અને તેમનું અપહરણ કરાવ્યું હતું, જે અંગે પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે, અગાઉ સાળા ભરત પટેલ અને બનેવી પ્રભુલાલ એક સાથે જીરાનો વેપાર કરતા હતા, જે હિસાબના રૂપિયા 25 લાખ પ્રભુભાઈને લેવાના હતા, તે બાબતે આ અપહરણ કરવામા આવ્યુ હતુ.

અપહરણ કરનારની ધરપકડ કરવામા આવી

2 વેપારીના અપહરણના ગુનામાં પોલીસે અપહ્યુતને તો છોડાવી લીધા, સાથે જ અપહરણ કરનારની પણ ધરપકડ કરવામા આવી છે. જોકે અપહરણનો પ્લાનીંગ કરનાર બનેવી હજી ફરાર છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે, ત્યારે જોવુ એ રહ્યુ કે, આખરે પોલીસ તપાસમા અન્ય કોઈ વિગત સામે આવે છે કે કેમ ?

સાળાએ જ બનેવીનું અપહરણ કરાવ્યું

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક શહેરભરમાં નાકાબંધી (Citywide blockade in rajkot) કરાવી હતી. તેમજ અપહરણકારોને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પૈસાની લેતી-દેતી મામલે જામનગર (crime in jamnagar) ખાતે રહેતા વેપારીના સાળાએ પોતાના બનેવી અને તેમના ભાગીદાર એમ કુલ 2 લોકોનું અપહરણ (Kidnapping Of Trader In Ahmedabad) કરાવ્યું હતું.

આ પણ વાંચો:
Kidnapping Of Trader In Ahmedabad: પૈસા માટે સાળાએ કરાવ્યું અપહરણ, ચાલું કારે જીવ બચાવવા કૂદ્યો વેપારી

Robbery Case In Morbi:મોરબીના હળવદમાં દેવું વધી જતા આંગડીયા પેઢીના કર્મચારીએ જ ચોરીનું રચ્યું તરકટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.