ETV Bharat / city

વડોદરા: કોરાનાના ભયના કારણે દશરથમાં 5મેથી સ્વૈચ્છીક લોકડાઉન

author img

By

Published : Apr 25, 2021, 12:24 PM IST

રાજ્યામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હાલ રાજ્યના મહાનગરો અને શહેરોમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે પણ હજુ સુધી ગામડાઓમાં કોરોના ફેલાયો નથી. ગામડાઓમાં કોરોના ન ફેલાય તે માટે પંચાયતો સ્યભૂં લોકડાઉનનો રસ્તો અપનાવી રહ્યા છે. વડોદરાના દશરથ ગામમાં પણ 5 મેથી સ્યભૂં લોકડાઉન કરવામાં આવશે.

lokdown
વડોદરા: કોરાનાના ભયના કારણે દશરથમાં 5મેથી સ્વૈચ્છીક લોકડાઉન

  • વડોદરા શહેર જીલ્લામાં કોરોના આતંક
  • દશરથ ગ્રામપંચાયતે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો
  • તા.5 મી મે સુધી દશરથ ગામની તમામ ખાણીપીણીની બપોરે 3 થી સાંજના 6 સુધી દુકાનો બંધ રહેશે

વડોદરા: જિલ્લાના દશરથ ગામમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી તારીખ 5મી મે સુધી ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો હતો. જેમાં બપોરે 3 કલાકેથી સવારે 6 કલાક સુધી ગામની તમામ દુકાનો તથા ખાણી પીણીની દુકાનો બંધ રહેશે. જ્યારે દૂધ ડેરી સાંજના 6 વાગ્યા સુધી શરૂ રહેશે અને દવાની દુકાન નિયમોનુસાર શરૂ રાખી શકાશે.

lokdown
વડોદરા: કોરાનાના ભયના કારણે દશરથમાં 5મેથી સ્વૈચ્છીક લોકડાઉન
સ્વૈચ્છિક લોકડાઉન કરવા ગ્રામપંચાયતે ગ્રામજનોને નોટિસ આપી વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે વધતા જતા કેસો સામે લડત આપવાના ભાગરૂપે હવે લોકડાઉન જરૂરી બન્યું છે.જોકે રાજ્ય સરકાર તરફથી લોકડાઉન કરવા અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. હવે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે. ગુરુવારે વડોદરા શહેર નજીક આવેલ દશરથ ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવા અંગેની ગ્રામજનોને નોટિસ આપી હતી.

આ પણ વાંચો : વલસાડ જિલ્લામાં સ્વૈચ્છીક લોકડાઉનનો ફિયાસ્કો, 4 દિવસમાં 233 પોઝિટિવ, 21ના મોત

દૂધ ડેરી સાંજના 6 તેમજ દવાની દુકાનો નિયમોનુસાર શરૂ રાખી શકાશે

હાલ દેશમાં અને વિદેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને હાલ ગામમાં કોરોના કેસોમાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે.જેથી તમામ ગ્રામજનોને સરકારની ગાઈડલાઈન મુજબ લોકોએ માસ્ક પહેરવું તેમજ સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. તા.5-5-2021 સુધી ગામમાં સ્વયંમભૂ લોકડાઉનનું પાલન કરી ગામની તમામ દુકાનો તથા ખાણીપીણીની દુકાનો બપોરે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાનું નક્કી કર્યું છે. દૂધ ડેરી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.જ્યારે દવાની દુકાન નિયમોનુસાર શરુ રાખી શકાશે. તમામ આદેશોના ગામના તમામ લોકોએ પાલન કરવાનું રહેશે.

વડોદરા: કોરાનાના ભયના કારણે દશરથમાં 5મેથી સ્વૈચ્છીક લોકડાઉન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.