ગરબા આયોજકોએ કરી પ્લોટની માગણી તો મહાનગરપાલિકાએ કરી દીધા ખુશ

author img

By

Published : Sep 13, 2022, 3:18 PM IST

ગરબા આયોજકોએ કરી પ્લોટની માગણી તો મહાનગરપાલિકાએ કરી દીધા ખુશ

વડોદરા મહાનગરપાલિકાએ ગરબા આયોજકો માટે વિશેષ આયોજન કર્યું છે. હવે શહેરના ગરબાના 25થી વધુ આયોજકોને પ્રતિદિન માત્ર 1 રૂપિયાના ટોકન ભાડા પેટે મેદાનો ફાળવવામાં આવ્યા છે. એટલે હવે

વડોદરા શહેરમાં નવરાત્રિના ગરબા રાજ્યભરમાં પ્રખ્યાત છે. જોકે હવે તો નવરાત્રિના પવિત્ર અવસરને હવે ગણતરીના દિવસો (navratri festival 2022) બાકી છે. તેવામાં હવે વડોદરા મહાનગરપાલિકામાં (Vadodara Municipal Corporation) આવેલી માગણીના આધારે 25થી વધુ ગરબા આયોજકોને (Navratri organizers in Vadodara) પ્રતિદિન 1 રૂપિયાના ટોકન ભાડા પેટે મેદાનો ફાળવવામાં આવ્યા છે.

ગરબા આયોજકો સાથે શહેરીજનોને પણ ફાયદો થવો જોઈએઃ વિપક્ષ

નજીવા ભાવમાં મળ્યા મેદાન આ મેદાનો મહાનગરપાલિકા (garba ground in vadodara ) દ્વારા સાવ જ નજીવા ભાવમાં ફાળવવામાં આવે છે, પરંતુ ગરબા આયોજકો (Navratri organizers in Vadodara) દ્વારા ગરબા રસિકો પાસેથી લાખો રૂપિયા જમા કરવામાં આવે છે. જો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવે અને યોગ્ય દર નક્કી કરી ખેલાયાઓએ વધુ પૈસા ન ચૂકવવા પડે અને વડોદરા મહાનગરને આવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ પણ થઈ શકે છે.

ગરબા આયોજકો સાથે શહેરીજનોને પણ ફાયદો થવો જોઈએઃ વિપક્ષ આ અંગે પ્રતિક્રિયા આપતા વિપક્ષનાં નેતા અમી રાવતે (VMC opposition leader Amee Rawat ) જણાવ્યું હતું કે, ગરબા એ સંસ્કારી નગરીની ઓળખ છે. ત્યારે વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા આયોજકો દ્વારા કેટલાક આયોજકો ફ્રીમાં (Navratri organizers in Vadodara) આયોજન કરે છે, પરંતુ મોટા ભાગના આયોજકો કોમર્શિયલ હોય છે. તો કોર્પોરેશનને ફાયદો શું તે સવાલ નથી, પરંતુ શહેરના નાગરિકને શું ફાયદો. આયોજકો માત્ર બિઝનેસ કરી પ્રોફિટ કમાય છે. તો આયોજકો જો ગરબા રસિકો પાસેથી પૈસા લેતા હોય તો મહાનગરપાલિકાએ પણ આવા આયોજકો પાસેથી ભાડું વસૂલવું જોઈએ કાં તો નાગરિકોને નજીવા દરે ગરબા રમવા દેવા જોઈએ.

2 વર્ષ પછી પણ ઉત્સાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાળવણી મહાનગરપાલિકાના (garba ground in vadodara) સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 2 વર્ષની કોરોનાની મહામારી પછી જે પ્રકારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વર્ષે ગરબા આયોજકો દ્વારા મહાનગરપાલિકા હસ્તકના પ્લોટની (garba ground in vadodara) માગણી કરી છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરીજનો માટે ગરબા આયોજકોને (Navratri organizers in Vadodara) સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

શહેરીજનોને સુવિધા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આયોજકોની અરજીના આધારે 20થી 25 મેદાનો ફાળવવામાં આવ્યા છે. શહેરીજનોના હિતમાં નજીકના સ્થળે સુવિધા મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારના આયોજનથી ગરબા મેદાનમાં ઘણા લોકોને રોજીરોટી પણ ઉપલબ્ધ થતી હોય છે. શહેરમાં તમામ તહેવારની જેમ નવરાત્રિનો તહેવાર પણ ઉત્સાહથી ઉજવાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

બાળકો માટે ફ્રીમાં આયોજન કરતા આયોજકો શહેરમાં અનેક મેદાનોમાં ગરબા આયોજકો (Navratri organizers in Vadodara) દ્વારા આયોજન કરી લાખો રૂપિયા એકત્ર કરવામાં આવે છે. ત્યાં કેટલાક એવા પણ આયોજક (Navratri organizers in Vadodara) છે, જે એક પણ રૂપિયો લીધા વિના આયોજન કરી ગરબા રમવા માટે આમંત્રણ આપવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને બાળકો માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. શહેરનું અલૈયા બલૈયા ગૃપ છેલ્લા 25 વર્ષથી નિઃશુલ્ક 16 વર્ષ સુધીના બાળકો માટે આ પ્રકારનું આયોજન કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.