Har Ghar Tiranga : વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશનનો અનોખો દેશભક્તિ પ્રેમ

author img

By

Published : Aug 3, 2022, 6:28 PM IST

Har Ghar Tiranga : વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશનનો અનોખો દેશભક્તિ પ્રેમ

હર ઘર તિરંગા (Har Ghar Tiranga) અભિયાન જન જનનું અભિયાન બને તેવા પ્રયત્નો રંગ લાવી રહ્યાં છે. વડોદરામાં રાષ્ટ્રભક્તિની મીઠાશને (Har Ghar Tiranga in Vadodara) ઘર ઘર સુધી પહોંચાડવા વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશન (Vadodara Sweets Shops Association) દ્વારા હર ઘર તિરંગા અભિયાનની થીમ પર વિવિધ ખાદ્યપદાર્થો (Tricolor Sweets)બનાવવામાં આવ્યાં છે.

વડોદરાઃ દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષને " હર ઘર તિરંગા " (Har Ghar Tiranga)અંતર્ગત દેશના લોકો પોતાના ઘર,ઓફિસ,સરકારી કચેરી,ખાનગી મિલકત જેવી જગ્યા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરવામાં આવી રહી છે.

હર ઘર તિરંગા અભિયાનની થીમ પર વિવિધ ખાદ્યપદાર્થો બનાવવામાં આવ્યાં

આ પણ વાંચોઃ Har Ghar Tiranga Campaign: લોકભાગીદારી સાથે દરેક ઘર પર તિરંગો ફરકાવવામાં આવશે

તિરંગાની પ્રતીકાત્મક આકૃતિ દોરી - વડોદરા ફરસાણ એસોસિએશને આ અપીલ ઝીલી લીધી છે. વડોદરા શહેર એ સંસ્કારી અને કલાનગરી છે ત્યારે કલાનગરીના કલાકારો દ્વારા વિશેષ કલાના માધ્યમથી મીઠાઈ ફરસાણ એસોસિએશનના (Vadodara Sweets Shops Association) વેેપારીઓ અવનવી મીઠાઈ (Tricolor Sweets) પર પણ હર ઘર તિરંગાની (Har Ghar Tiranga)થીમ પર અવનવી ખાદ્ય સામગ્રી પર તિરંગાની પ્રતીકાત્મક આકૃતિ દોરી આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણીમાં (Har Ghar Tiranga in Vadodara) સહભાગી થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Har Ghar Tiranga : તિરંગા અભિયાનમાં સર્વ ધર્મ સમભાવનો પ્રચંડ પ્રેમનો નજારો

ત્રિરંગી મીઠાઈ દ્વારા દેશભક્તિ - મીઠાઈ ફરસાણના વેેપારી રાકેશભાઈએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી સમગ્ર મીઠાઈ ફરસાણ એસોસિએશન(Vadodara Sweets Shops Association) દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં જોડાવાનો એક અવસર મળ્યો છે. અમે અમારી મીઠાઈ શોપમાં ત્રિરંગી પેંડા (Tricolor Sweets) બનાવ્યા છે સાથે અન્ય એક ફરસાણના વેપારીએ ત્રિરંગી ખમણ બનાવ્યું હતું. સાથે ત્રિરંગી બરફી જેવા વિવિધ ખાદ્ય પદાર્થોમાં હાલમાં દેશભક્તિ (Har Ghar Tiranga) જોવા મળી રહી છે. સાથે આવનાર 15 ઓગસ્ટ સુધીમાં અવનવી વિવિધ મીઠાઈઓમાં પણ દેશભક્તિના રંગોથી સજાવવામાં આવશે. સાથે ફરસાણમાં પણ અનેક વેરાયટીઓ બનાવી આઝાદીના અમૃત મહોત્સવમાં (Har Ghar Tiranga in Vadodara) સહભાગી સમગ્ર મીઠાઈ ફરસાણ એસોસિએશન થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.