ETV Bharat / city

કોરોના: ઇન્સ્યોરન્સ કંપનીની દાદાગીરી, ગ્રાહકની ફરિયાદ બાદ કોર્ટે 9 ટકાના વ્યાજ સાથે પૈસા ચૂકવવા કહ્યું

author img

By

Published : Nov 15, 2021, 9:05 PM IST

કોરોના: ઇન્સ્યોરન્સ કંપનીની દાદાગીરી, ગ્રાહકની ફરિયાદ બાદ કોર્ટે 9 ટકાના વ્યાજ સાથે પૈસા ચૂકવવા કહ્યું
કોરોના: ઇન્સ્યોરન્સ કંપનીની દાદાગીરી, ગ્રાહકની ફરિયાદ બાદ કોર્ટે 9 ટકાના વ્યાજ સાથે પૈસા ચૂકવવા કહ્યું

5 લાખ સુધીની કોરોના કવચ પોલિસી (Corona cover policy) હોવા છતાં સારવાર દરમિયાન 2,21,271 રૂપિયાના ખર્ચ સામે ઇન્સ્યોરન્સ કંપની (Insurance company)એ માત્ર 1,01,185 રૂપિયા ચૂકવતા ગ્રાહકે ગ્રાહક કોર્ટ (consumer court)નો સંપર્ક કર્યો હતો. કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને બાકીના પૈસા 9 ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો છે.

  • ઇન્સ્યોરન્સ કંપનીએ 221271 સામે ફક્ત 101185 રૂપિયા જ ચૂકવ્યા
  • કૉર્ટે બાકીના પૈસા 9 ટકા વ્યાજ સાથે આપવા કહ્યું
  • માનસિક હેરાનગતિ અને અરજીના પણ પૈસા ચૂકવવાનો કૉર્ટનો આદેશ

વડોદરા: કોરોનાની બીજી લહેર (Corona Second Wave) દરમિયાન 5 લાખ સુધીની કોરોના કવચ પોલિસી (Corona cover policy) હોવા છતાં સારવાર દરમિયાન 2,21,271 રૂપિયાના ખર્ચ સામે ઇન્સ્યોરન્સ કંપની (Insurance company)એ મેડીક્લેમ (Mediclaim)ના માત્ર 1,01,185 રૂપિયા ચૂકવતા ગ્રાહકે ગ્રાહક કોર્ટ (consumer court)નો સંપર્ક કરતા કોર્ટે બાકીના પૈસા 9 ટકા વ્યાજ સાથે તેમજ અરજદારને થયેલા માનસિક હેરાનગતિ તેમજ અરજી પેટેના 10 હજાર ચૂકવવા આદેશ કર્યો છે. આ ઉપરાંત કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને જો યોગ્ય લાગે તો ઇન્સ્યોરન્સ કંપની VMC દ્વારા હૉસ્પિટલ (Hospital) સામે કાર્યવાહી કરી શકશે તેવું કહ્યું છે.

હૉસ્પિટલે કરેલા ચાર્જને Not Payble ડિક્લેર કર્યો હતો

મહત્વનું છે કે બીજી લહેર દરમિયાન સમગ્ર વિશ્વ કોરોના (Coronavirus)માં ફસાયેલું હતું, ત્યારે ધ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (The Insurance Regulatory and Development Authority of India)એ કોરોના માટે પણ ઇન્સ્યોરન્સની જોગવાઈ કરી હતી, પરંતુ અનેક કેસો સામે આવ્યા છે જેમાં હૉસ્પિટલે કરેલા કેટલાક ચાર્જને ઇન્સ્યોરન્સ કંપનીએ Not Payble ડિક્લેર કરીને પૈસા ચૂકવ્યા નથી. એક તરફ વ્યક્તિ કોરોનાથી ભયભીત હોવાના કારણે હૉસ્પિટલમાં સારવાર લેતો હોય, ત્યારે હૉસ્પિટલ પણ કેટલાક ટેસ્ટ કરવાના નામે ચાર્જ વસૂલ કરતી હોય છે.

હૉસ્પિટલે 69,000 રૂપિયાનું બિલ બનાવ્યું હતું

બીજી તરફ હૉસ્પિટલે લગાવેલા ચાર્જીસ ઇન્સ્યોરન્સ કંપની ન ચુકવતા દર્દીએ હૉસ્પિટલના બિલ અને ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે દોડવું પડે છે. VMCએ નક્કી કરેલી લિમિટ મુજબ થોડા દિવસમાં 51,000 રૂપિયાની સામે હૉસ્પિટલે 69,000 રૂપિયાનું બિલ બનાવ્યું હતું. કોરોના દરમિયાન હૉસ્પિટલ દ્વારા દર્દીઓ પાસે લેવાના મહત્તમ ચાર્જના દર નક્કી કરવામાં આવ્યા હતા. VMCએ આ માટે 8,500 રૂપિયા દૈનિક ચાર્જનું ધોરણ નક્કી કર્યું હતું. આમ મયંકભાઇ એ 6 દિવસની લીધેલી સારવારના કુલ 51,000 રૂપિયા થવા જોઈતા હતા, પરંતુ હૉસ્પિટલે તેની સામે 69,000 રૂપિયા વસૂલ કર્યા હતા.

VMCએ નક્કી કરેલા ચાર્જ કરતા હૉસ્પિટલે વધારે પૈસા લીધા

એડવોકેટ રિકીન જે રાણાએ જણાવ્યું હતું કે, VMCએ નક્કી કરેલા ચાર્જ કરતા હૉસ્પિટલે વધુ પૈસા લીધા છે. કૉર્ટે ગ્રાહકને તમામ પૈસા ચૂકવવા ઈન્સ્યોરન્સ કંપનીને આદેશ કર્યો છે. વધુમાં ઈન્સ્યોરન્સ કંપનીને એમ લાગે કે હૉસ્પિટલે વધારાના ચાર્જ વસૂલ કર્યા છે તો તેઓ VMCની મદદથી હૉસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકશે. કોરોના કવચની 5 લાખની પોલિસી હોવા છતાં હોસ્પિટલના ખર્ચ પેટે 120086 રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવ્યા નહોતા.

પોલિસી અંતર્ગત પ્રીમિયમના 12,313 રૂપિયા ચૂકવ્યા હતા

મહત્વનું છે કે વડોદરાના અલ્પાબેન ફડીયાએ 15 જુલાઈ 2020થી 25 એપ્રિલ 2021 સુધી કોરોના કવચ પોલિસી અંતર્ગત પ્રીમિયમના 12,313 રૂપિયા ચૂકવ્યા હતા. આ પોલિસીથી 5 લાખ સુધીનું Mediclaim કવર થઈ શકતું હતું. બીજી લહેર દરમિયાન જ્યારે તેમના પતિ મયંકભાઈ ફડીયાને કોરોનાની સારવાર માટે હૉસ્પિટલે રૂપિયા 2,21,271 રૂપિયાનું બિલ આપ્યું. આ બિલ તેમણે ઇન્સ્યોરન્સ કંપનીને આપતા ઇન્સ્યોરન્સ કંપનીએ 120086 રૂપિયાની કપાત કરી માત્ર 101185 રૂપિયા જ ચૂકવ્યા.

ઇન્સ્યોરન્સ કંપનીએ અનેક ચાર્જ Not Payble કહીને કપાત કરી

ઇન્સ્યોરન્સ કંપનીએ કુલ 9 જેટલા ખર્ચ જેમાં રજિસ્ટ્રેશન ચાર્જીસ, MRD ચાર્જીસ, પેકેજ ચાર્જ, સ્પેશિયલ ઇન્જેક્શન થેરાપી ચાર્જ, લેબ ચાર્જ મેડિસિન ચાર્જીસ, એમ્બ્યુલન્સ સર્વિસ ચાર્જ, કેલ્ક્યુલેશન મિસ્ટેક જેવા કેટલાક ચાર્જ નોટ પેયેબલ હોવાનું કહી પૈસાની કપાત કરી હતી. આ કામે અરજદાર ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે કપાત કરેલી રકમ 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. ગ્રાહક કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને હૂકમ કર્યો હતો કે તેણે ગ્રાહકના કપાત કરેલા 120086 રૂપિયા ગ્રાહકને 9 ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા. આ સાથે ગ્રાહકને થયેલી માનસિક હેરાનગતિના 5000 રૂપિયા અને અરજી પેટેના થયેલા ખર્ચના 5000 રૂપિયા પણ ચૂકવી આપવા કહ્યું છે. આ ઉપરાંત ઓર્ડરમાં કૉર્ટે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ઇન્સ્યોરન્સ કંપની હૉસ્પિટલ સામે VMCના નોટિફિકેશન છતાં વધારાના પૈસા વસૂલ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરી શકશે.

આ પણ વાંચો: ડ્રગ્સ કાંડ કોંગ્રેસ સાશિત રાજ્યોમાં વધુ: વડોદરા ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં પાટીલે કહ્યું

આ પણ વાંચો: જૂનાગઢ શહેરના માર્ગો પર નોન-વેજ અને ઈંડા લારીઓ દૂર કરવા મનપાનો આદેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.