SVNIT રિસર્ચ : માઈક્રોવેવ સેન્સર બેઝડ સોઈલ એનલાઈઝરથી માટીમાં કેટલો ભેજ છે તે અંગેની જાણકારી માત્ર ગણતરીના મિનિટોમાં મેળવી શકાશે

author img

By

Published : Aug 18, 2021, 12:47 PM IST

surat

વિશ્વની સર્વોચ્ચ અવકાશીય સંસ્થા નાસા અન્ય ગ્રહો પર માઇક્રોવેવ સેન્સર થકી મેપિંગ કરીને ત્યાંની માટી અંગેની જાણકારી લેતી હોય છે. પરંતુ સુરત ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિભાગના એસોસિએટ પ્રોફેસર અને પીએચડીના વિદ્યાર્થીએ હાલમાં જ જે માઇક્રોવેવ સેન્સર બેઇઝડ સોઇલ એનેલાઇઝરને પેટર્ન કરાવ્યું છે તે આજ પદ્ધતિથી માટીમાં કેટલો ભેજ છે તે અંગેની જાણકારી માત્ર ગણતરીના મિનિટોમાં મેળવી શકે છે. જે આવનાર દિવસોમાં ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

  • એસોસિએટ પ્રોફેસર અને પીએચડીના વિદ્યાર્થીએ હાલમાં જ જે માઇક્રોવેવ સેન્સર બેઇઝડ સોઇલ એનેલાઇઝરને પેટર્ન કરાવ્યું
  • આવનાર દિવસોમાં ખેડૂતો માટે એક ક્રાંતિ સાબિત થઇ શકે છે
  • આ ડિવાઈસમાં સો ગ્રામ મા માટી મૂક્યા બાદ તરત જ રીઝલ્ટ હાથમાં આવી જાય છે

સુરત: પીપલોદ ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર પિયુષ પટેલ અને તેમના પીએચડીના વિદ્યાર્થી પરેશ સાગરે હાલમાં જ ભારત સરકાર પાસે જે ડિવાઇસ પેટન કરાવ્યું છે, જે આવનાર દિવસોમાં ખેડૂતો માટે એક ક્રાંતિ સાબિત થઇ શકે છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિવાઇસ ગણતરીના મિનિટોમાં ખેડૂતોના ખેતીની જમીનમાં કેટલો ભેજ છે અને તેઓ પોતાની ખેતીમાં કયા પાકને ઉત્પાદન કરી શકે તે ગણતરીની મિનિટોમાં જાણી શકાશે.

માટીમાં ભેજનુ પ્રમાણ ખબર પડી શકશે

આ અંગે ડો .પિયુષ પટેલે જણાવ્યું હતું કે, આ જે અમારૂ રિસર્ચ માઈક્રોવેવ સેન્સર બેઝડ સોઈલ એનલાઈઝર છે તેમાં માટીન એનાલિસિસ કરવામાં આવે છે. એમાં સાઈટ પરથી ત્રણ થી ચાર સેમ્પલ લેવામાં આવે છે અને ત્યારબાદ તેનું વજન કર્યા બાદ તેને ઓવનમાં ડ્રાય કરવામાં આવે છે. બાદમાં તેનું ફરીથી વજન કરવામાં આવે છે અને ગ્રેવીઓમેટ્રિક પદ્ધતિથી તેનું એનાલિસિસ કરવામાં આવે છે કે તેમાં કેટલો ભેજ છે. અમે જે સેન્સર બનાવ્યું છે તે કેવિટી બેઝ સેન્સર છે. જેમાં બે અલગ અલગ સેન્સર એરે મૂક્યા છે. આ બન્ને વચ્ચે કેવિટીની અંદર સોઇલ મૂકીએ છીએ અને માટીમાં જે ભેજ હશે તે તરત જ ખબર પડી જશે . અન્ય પદ્ધતિ છે તેમાં આ જાણકારી મેળવવામાં સમય લાગતો હોય છે. અમારા ડિવાઈસના કારણે ઓછા સમયમાં તમામ જાણકારીઓ મળી રહેશે.. આ ડિવાઇસને સાઇટ પર લઈ જઈને પણ તમામ જાણકારી મેળવી શકાય છે.

SVNIT રિસર્ચ : માઈક્રોવેવ સેન્સર બેઝડ સોઈલ એનલાઈઝરથી માટીમાં કેટલો ભેજ છે તે અંગેની જાણકારી માત્ર ગણતરીના મિનિટોમાં મેળવી શકાશે

આ પણ વાંચો : CM રૂપાણીની અધ્યક્ષતા હેઠળ યોજાશે કેબિનેટ બેઠક, જાણો કયા-કયા મુદ્દાઓની થશે ચર્ચા

ખેડૂતો માટે કયો પાક ઉત્પાદન કરી શકાય તેની જાણકારી ઝડપી મળી રહેશે

તેઓએ વધુમાં આ એક આરએફ એટલે માઇક્રોવેવ પદ્ધતિ છે. તરત જ રીઝલ્ટ આપી દેતી હોય છે. જેથી તેની એકયુરસી પણ વધશે અને રિપોર્ટ ઝડપી મળશે. ખેડૂતો માટે હાલ જ વડાપ્રધાન દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ બહાર પાડવામાં આવ્યો છે અને અમે જે ડીવાઈઝ બનાવ્યું છે તેના થકી ભેજની જાણ થશે. ખેડૂતો માટે કયો પાક ઉત્પાદન કરી શકાય તેની જાણકારી ઝડપી મળી રહેશે. એટલું જ નહીં બિલ્ડર પણ નિર્માણ કાર્ય પહેલાં સોઈલ ટેસ્ટિંગ કરતા હોય છે તેમની માટે પણ આ ઉપયોગી થશે. આગળ માટીમાં જે ન્યુટ્રીશન જે હોય છે તેનું પણ એનાલીસીસ તમે કરી શકીએ એની ઉપર રિસર્ચ ચાલશે. જેથી આવનાર દિવસોમાં ખેડૂતોને ખબર પડી શકે તેમની સોઈલમાં કેટલું ન્યુટ્રિશિયન છે.

આ પણ વાંચો : મેઘાલયમાં કર્ફ્યુ દરમિયાન હિંસા, રાજ્યપાલના કાફલા પર હુમલો

ડિવાઈસમાં 100 ગ્રામ મા માટી મૂક્યા બાદ તરત જ રીઝલ્ટ હાથમાં

તેઓએ સાથે જણાવ્યું હતું કે, નાસા કોઈ પણ ગ્રહ પર માઇક્રોવેવ એનલાઈઝર થકી મેપિંગ ઓફ લેન્ડ કરતા હોઈએ છે. પરંતુ આ પોઇન્ટ કેર મેથડ છે અમે આ ડિવાઇસને સ્થાને લઈ જઈને તરત જ એનાલિસિસ કરતા હોઈએ છીએ. તેઓ મેપિંગ કરે કરતા હોય છે અને અમે સ્થળ પર જ સેમ્પલ લઇ તમામ જાણકારીઓ મેળવી લઈએ છે. નાસા જે એનાલિસિસ કરે છે તે ઈમેજ ઉપર આધારિત હોય છે. ટ્રેડિશનલ રીતે કરવામાં આવે છે તેની પ્રક્રિયામાં જ 24 કલાક લાગતા હોય છે અને આ ડિવાઈસમાં સો ગ્રામ મા માટી મૂક્યા બાદ તરત જ રીઝલ્ટ હાથમાં આવી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.