હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ, ગોઠવાયો પાલીસ બંદાબસ્ત

author img

By

Published : Sep 13, 2022, 6:55 PM IST

હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ, ગોઠવાયો પાલીસ બંદાબસ્ત

સુરતના બારડોલી તાલુકાના હરિપુરા ગામે (Haripura village Bardoli taluka Surat) તાપી નદી પર આવેલો કોઝવે પાણીમાં ડૂબી (Tapi River Haripura Causeway submerged) જતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે આથી નદીની જળ સપાટીમાં વધારો થતા કોઝવે પાણીમાં ડૂબી ગયો છે. અંદાજિત 14 જેટલા ગામોને 25 કિલોમીટર જેટલો ચકરાવો મારી કડોદ પહોંચવું પડી રહ્યું છે

સુરત બારડોલી તાલુકાના હરિપુરા ગામે (Haripura village Bardoli taluka Surat) ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા (Ukai Dam Water revenue increased) 97,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી તાપી નદીની જળ સપાટીમાં (Tapi river Water level) વધારો નોંધાયો છે. જેને પગલે બારડોલી તાલુકાના કડોદ નજીક આવેલા હરીપુરા કોઝવે (Bardoli Haripura Causeway near Kadod) પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

  • સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માંડવી તથા બારડોલી તાલુકાના નીચે જણાવેલ રસ્તાઓ પાણી ભરાવાને કારણે બંધ કરેલ હોય તેની સામે દર્શાવેલ વૈકલ્પિક રસ્તા નો ઉપયોગ કરવા વિનંતી છે. @CMOGuj @pkumarias pic.twitter.com/bboIphdj5J

    — Collector Surat (@collectorsurat) September 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચોમાસામાં કોઝવે વારંવાર ડૂબી જાય છે ચોમાસાની સિઝનમાં વારંવાર રસ્તો બંધ થતો હોય નદીને સામે પાર આવેલા માંડવી તાલુકા 14થી વધુ ગામોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોસાડી, ગોદાવાડી, ઉન, ખંજરોલી, ઉમરસાડી, ગવાછી, ખરોલી સહિતના ગામના લોકોએ દર વર્ષે આ હાલાકી વેઠવી પડે છે. ચોમાસામાં વારંવાર રસ્તો બંધ થવાથી ખાસ કરીને વિદ્યાર્થીવર્ગ અને નોકરિયાત વર્ગની હાલત કફોડી થઈ જાય છે.

કલેક્ટરે કોઝવે ન જવા સુચના ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી કોઝવે પરથી પસાર થવા લાગતા સુરત જિલ્લા કલેક્ટરે (Surat District Collector) ટ્વીટરના માધ્યમથી કોઝવે પરથી અવર જવર ન કરવાની સુચના વહેતી કરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તે માટે કોઝવેની બંને તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

ગ્રામજનોને કરવો પડે છે હાલાકીનો સામનો હરીપુરા કોઝવે પર દર ચોમાસે વારંવાર પાણી ફરી વળતા હોય કડોદ સાથે જોડાયેલા માંડવી તાલુકાના 14થી વધુ ગામોએ હાલાકી વેઠવાનો વારો આવે છે. કોઝવે ડૂબી જતા વિસ્તારના ગામોએ 25 કિલોમીટરથી વધુનો ચકરાવો લગાવવાની ફરજ પડે છે. સ્થાનિક નેતાગીરી આ બાબતે ધ્યાન આપી ઊંચો પુલ બનાવી લોકોની મુશ્કેલી હળવી કરે તેવી માંગ (People demand to build high bridge) ઉઠવા પામી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.