ETV Bharat / city

ભાજપની ગુંડાગીરી : આપના કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઢીકા પાટુનો માર, જૂઓ વીડિયો

author img

By

Published : May 8, 2022, 11:33 AM IST

Updated : May 8, 2022, 4:18 PM IST

સુરતમાં ભાજપના કાર્યકર્તાઓની ગુંડાગર્દી, આમ આદમી પાટીઁ દ્વારા આયોજીત કાયઁક્રમમાં હોબાળો
સુરતમાં ભાજપના કાર્યકર્તાઓની ગુંડાગર્દી, આમ આદમી પાટીઁ દ્વારા આયોજીત કાયઁક્રમમાં હોબાળો

સુરત શહેરના સીમાડા નાકા ખાતે આવેલ અંતર્ગત વાલમ નગરમાં ગતરોજ રાતના સમય દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત જનસંવાદ કાર્યક્રમનું (public dialogue program organized by Aadmi Patiya) આયોજન કરવામાં (BJP workers thus attacked Aam Aadmi Party programs) આવ્યું હતું. જોકે આ કાર્યક્રમમાં એકાએક ભાજપના 25 થી 30 કાર્યકર્તાઓએ કાર્યક્રમની અંદર આવી હલ્લો મચાવ્યો (Attack by BJP workers) હતો.

સુરત: શહેરના સીમાડા નાકા ખાતે આવેલ અંતર્ગત વાલમ નગરમાં ગતરોજ રાતના સમય દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં (public dialogue program organized by Aadmi Patiya) આવ્યું હતું. જોકે આ કાર્યક્રમમાં એકાએક ભાજપના 25 થી 30 કાર્યકર્તાઓએ કાર્યક્રમની અંદર આવી હલ્લો મચાવ્યો (Attack by BJP workers) હતો, તે ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઢીકા-પાટુનો મુંઢમાર મારી, અપશબ્દો બોલી, પ્રચારમાં નિકળશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી (public dialogue program organized by aam aadmi party) હતી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન પ્રધાન રામ ધડુક, પ્રદેશ સહમંત્રી રાજેન્દ્ર વાસાણી, આકાશ ઇટાલીયા સહીતના 7 થી 8 કાર્યકર્તાઓ પર હુમલો કરી ભાગી છૂટયા હતા. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ હોવા છતાં હજી સુધી સરથાણા પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: માત્ર 5 વર્ષની ઉંમરે કેવી રીતે બની આ દિકરી માતા, આજે પણ તે રહસ્ય જ રહ્યું

પોલીસે કોઈ કાર્યવાહી કરી નહિ: આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત હાલતમાં સમગ્ર બાબતને લઈને સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં સરથાણા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના ઉપર હુમલો કર્યો છે. CCTV ફુટેજમાં સ્પષ્ટ દેખાઇ રહેલા ભાજપના ગુંડાઓ દિનેશ દેસાઇ અને કલ્પેશ દેવાણી સહિતના ભાજપના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. સરથાણા પોલીસને જાણ હોવા છતા પણ ધટના બન્યાના બાદ પણ હજુ સુધી કોઇપણ આરોપી વિરુધ્ધ ફરીયાદ નોધંવાની કે તેમને પકડવા જવાની પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સરથાણા પોલીસ સ્ટેશનના પગાણમાં આખી રાત વિતાવી હતી. તેમ છતાં હજી સુધી સરથાણા પોલીસે આ બાબતે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી.

આ પણ વાંચો: International Mother Day 2022 : એકલતાની વચ્ચે ખુમારીપૂર્વક જીવતી માતાઓએ સંતાનોને પાઠવી આકરા શબ્દોમાં શુભકામનાઓ

આપ એ તમામ પ્રુફ પોલીસ સમક્ષ મૂક્યા: સુરતમાં થોડા દિવસ પહેલાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સુરત મહાનગરપાલિકાના સભાખંડમાં આખી રાત ગુજારી હતી અને બીજે દિવસે મહાનગરપાલિકાના માર્શલ ગાર્ડ દ્વારા તમામ કાર્યકર્તાઓને ખેંચીને બહાર કઢાયા હતા અને તેમાં હાથાપાઈ પણ થઈ હતી અને મહિલાઓના કપડા પણ ફાડવામાં આવ્યા હતા. જે બાબતને લઈને પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા. આમ આદમી પાર્ટીએ તમામ પ્રકારના પ્રુફ પોલીસ સમક્ષ મૂક્યા હતા, તેમ છતાં પોલીસે ફરિયાદ લીધી ન હતી. જોકે અંતે આ બાબતને લઈને સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.

Last Updated :May 8, 2022, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.