ETV Bharat / city

સુરતમાં વધતા કોરોનાના કેસોના કારણે લેવાયો મહત્વનો નિર્ણય, ચેતી જજો નહીં તો..

author img

By

Published : Jul 10, 2022, 8:52 AM IST

સુરતમાં કોરોનાના કેસો વધતા ચાર કરતા વધારે વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો
સુરતમાં કોરોનાના કેસો વધતા ચાર કરતા વધારે વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો

સુરતમાં કોરોનાનાં કેસોમાં સતત થઈ રહેલા (Corona Case In Surat) વધારા અને શહેરની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં (Ban on gathering of more than four persons In Surat) આવ્યું છે, જેમાં ચાર કરતા વધારે વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

સુરત : કેટલાક દિવસથી સુરતમાં વધી રહેલા કોરોના કેસો અને શહેરમાં (Ban on gathering of more than four persons In Surat) કોરોનાની વર્તમાન પરિસ્થિતિ તેમજ આગામી દિવસોમાં આવતાં તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 11 જુલાઈ 2022 થી લઈ 25 જુલાઈ 2022 સુધી ચાર કરતા વધારે વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી (Corona Case In Surat) દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Corona cases in Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 668 પોઝિટિવ કેસ

કમિશનરે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું: શહેરમાં યોજાતા ધરણા/રેલીઓને ધ્યાને લઈ જાહેર (Increase in Corona case in Surat) શાંંતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેર પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી પોલિસ કમિશનર વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ સભા બોલાવવી કે સરઘસ કાઢવા ઉપર તા.11 જુલાઈ ડિસેમ્બર 2022થી 25મી જુલાઈ 2022 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરમાં ઉજવણી નહી થઈ શકે: અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જ્યારે શહેરમાં કોરોનાના કેસો (Gujarat Corona Update) વધી રહ્યા હતા, ત્યારે પણ પોલીસ કમિશનર અજય તોમર દ્વારા જાહેરનામું બહાર પડી ચાર લોકો જાહેર સ્થળ પર ભેગા ન થાવા પર પ્રતિબંધો મૂક્યો હતો.

આ પણ વાંચો:ચોરી કરવા ચડેલા ચોરને ભાગવું મુશ્કેલ બન્યું, ચોથા માળે લટકી ગયો જુઓ વીડિયો

હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે: પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના પગલે જાહેરમાં કોઈપણ પ્રકારની ઉજવણી થઈ શકશે નહી. કમિશનરના જાહેરનામા પ્રમાણે અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.