સુરતમાં 84 દિન વીતી ગયા છતાં 85 હજાર લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નહીં

author img

By

Published : Aug 26, 2021, 3:28 PM IST

સુરતમાં 84 દિન વીતી ગયા છતાં 85 હજાર લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નહીં

સુરતમાં 80 ટકા જેટલા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. કોરોના રસીકરણ માટે યોગ્ય 33,52,000 જેટલા લોકોમાંથી 26,82,000 વેકસીનેટ કરવામાં આવ્યાં છે. પરંતુ 85 હજાર આવા લોકો છે કે જેઓએ બીજો ડોઝ લીધો નથી. પ્રથમ ડોઝના 84 દિવસ વીતી ગયા છતાં આ લોકોએ બીજો ડોઝ નહીં લેતાં હવે સુરત મહાનગરપાલિકા તમામને મેસેજ અને સર્વલન્સ વર્કર થકી બીજો ડોઝ લેવા માટે માહિતીગાર કરશે.

  • 85 થી 90 હજાર લોકોનો બીજો ડોઝ ડ્યૂ થઈ ગયો છે
  • 80 ટકા જેટલા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે
  • મેસેજ અને સર્વેલન્સ વર્કર થકી બીજો ડોઝ લેવા માટે માહિતીગાર કરાશે

સુરત : રસીકરણની પ્રક્રિયા અંગે વધુ જણાવતાં ડૉ આશિષ નાયકે જણાવ્યું કે સુરત કોર્પોરેશન વિસ્તારમાં 33,52,000 જેટલા એલિજેબલ 26,82,000 પોપ્યુલેશનને વેકસિનેટ કરવાના હતાં.તે પૈકી એટલેકે 80 ટકા જેટલા લોકોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. સાથે 9,00,000 જેટલા લોકોને સેકન્ડ ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સેકન્ડ ડોઝના જે 85 થી 90 હજાર લોકોના કે જેમના બીજો ડોઝ ડ્યૂ થઈ ગયાં છે એટલે કે 84 દિવસ કરતાં ઉપર થઈ ગયા છે તેઓ દ્વારા ડોઝ લેવાયો નથી. આ તમામને મોબાઇલ એસએમએસ અથવા મોબાઇલથી જાણ કર્યા બાદ સર્વલન્સ વર્કર દ્વારા તેઓના ઘરે જઈને પણ જાણ કરવામાં આવશે અને નજીકના વેકસિન સેન્ટરોને માહિતગાર કરીને વેકસીન વિશે સમજવાનો પ્રયત્ન સુરત કોર્પોરેશન કરી રહી છે.

મેસેજ અને સર્વલન્સ વર્કર થકી બીજો ડોઝ લેવા માટે માહિતીગાર કરાશે
અઠવા ઝોન ઈસ્ટ ઝોન-૨માં સારું એવું વેકસિનેશન થયું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સાથે જે લોકોના ફર્સ્ટ ડોઝ બાકી છે તે લોકોને પણ ફર્સ્ટ ડોઝ લેવા માટે માહિતગાર કરી તેઓને પણ નજીકના હેલ્થ સેન્ટર ઉપર કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યત્વે જોઈએ તો રાંદેર ઝોન, સાઉથ વેસ્ટ ઝોન તેમજ અઠવા ઝોન ઈસ્ટ ઝોન-૨માં સારું એવું વેકસિનેશન થયું છે. સુરતની શહેરની 80% એવરેજને ગણીએ તો તેના સાપેક્ષમાં લિંબાયત ઝોન, સાઉથ ઝોન અને નોર્થ ઝોનમાં વેકસિનેશનની કામગીરી શહેરની એવરેજમાં ઓછી હોવાને લઈને છેલ્લા વીસ દિવસની અંદર આ જગ્યા ઉપર વેક્સિનેશનમાં વધારો કરવાની સાથે વેકસીનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સુરતમાં આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખી ગોવિંદા મંડળોએ મટકીફોડ કાર્યક્રમો કર્યા રદ્દ

આ પણ વાંચોઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,164 નવા કેસો નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.