ETV Bharat / city

સુમૂલ ડેરીના ડિરેક્ટરે ઘી અને આઇસ્ક્રીમ પર GST ઘટાડવાની કરી માગ

author img

By

Published : Feb 24, 2021, 10:35 PM IST

Surat
Surat

સુરત સુમૂલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલેને કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામણને એક પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં ઘી અને આઈસ્ક્રીમ પર જે રીતે 18% GST લગાડવામાં આવ્યો છે તે ઘટાડી 5 ટકા કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે.

  • ઘી અને આઇસ્ક્રીમ પર GSTમાં ઘટાડો કરવા માગ
  • 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવા માગ
  • કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામણને પત્ર લખવામાં આવ્યો

સુરત: કેન્દ્ર સરકાર દ્વારા ધી તથા આઈસ્ક્રીમની પ્રોડક્ટ પર રૂપિયા 18% GST વસૂલવામાં આવે છે. હાલ જે રીતે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, તેની સીધી અસર અહીં જોવા મળી રહી છે સાથોસાથ અન્ય અસર ખેડૂતોની આવક પર પડી છે. ખેડૂતોને ધ્યાનમાં રાખીને સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા એક પત્ર કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામણને લખવામાં આવ્યો છે. જેમાં કોરોના બાદ ખેડૂતોની અસર તથા હાલમાં વસૂલવામાં આવી રહેલા GST દરમાં ઘટાડો કરવાની માગ કરવામાં આવી છે.

ઘી અને આઇસ્ક્રીમ પર GST ઘટાડવાની માગ

વ્યવસાયી કાર્યોને તેનો સીધો લાભ જોવા મળશે

હાલ ચાલી રહેલા 18% GST ઘટાડીને 5 ટકા GST વસૂલવા માંગ કરવામાં આવી છે. GST ઘટાડાથી ખેડૂતો તથા અન્ય વ્યવસાયી કાર્યોને તેનો સીધો લાભ જોવા મળશે અને તેની આવકમાં પણ વધારો થવા પામ્યો છે.

સુરત
સુરત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.