ETV Bharat / city

સુરતમાં મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર

author img

By

Published : Aug 5, 2021, 7:10 PM IST

સુરતના ઉગત વિસ્તારમાં એક મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી હતી. એટલું જ નહી, કાગડાઓએ નવજાત શિશુના હોઠ પણ કોતરી ખાધા હતા. બીજી તરફ આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ શરુ કરી હતી.

સુરત
સુરત

  • ખુલ્લા મેદાનમાં એક નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું
  • કાગડાઓએ નવજાત શિશુના હોઠ કોતરી ખાધા
  • ઘટના અંગે પોલીસે તપાસ શરુ કરી

સુરત: સુરતના ઉગત વિસ્તારમાં આવેલી માધવ શિશુ મંદિર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં એક નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. એટલું જ નહી ત્યાં કાગડાઓનું ટોળું પણ હતું અને કાગડાઓએ મૃત બાળકના હોઠ પણ કોતરી ખાધા હતા. સ્થાનિકોને પ્રથમ કોઈ પક્ષી અથવા પ્રાણી હોવાનું અનુમાન હતું, જેથી આ મામલે મનપાને જાણ કરાઈ હતી.

બાળકને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયું

મનપાના અધિકારીઓએ ઘટના સ્થળે આવી તપાસ કરતા તે એક નવજાત બાળક હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ મામલે મનપાના અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. બીજી તરફ બનાવની જાણ થતા રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નવજાત બાળક હોવાને કારણે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ અન્ય કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી હતી.

આ પણ વાંચો- પાલનપુરમાં રેલવે સ્ટેશન પાસે મૃત હાલતમાં નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી

લોકોએ માતા પર ફિટકાર વરસાવી

રાંદેર વિસ્તારમાં આ વાત વાયુવેગે ફેલાઈ જતા લોકોનું ટોળું પણ ત્યાં આવી પહોચ્યું હતું. ફૂલ જેવા માસુમ બાળકને ત્યજી દેનાર માતા સામે લોકોએ ફિટકાર વરસાવી છે. તેમજ આ ઘટના અંગે પોલીસે તપાસ પણ શરુ કરી છે. ત્યારે બાળકને ત્યજી દેનારી માતા પરિણીતા છે કે પછી અન્ય કોઈ કારણ છે તે પોલીસ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.