ETV Bharat / city

ચૂંટણીઓ પહેલાં જ અનેક બેઠક પર ભાજપ બિનહરીફ વિજયી

author img

By

Published : Feb 13, 2021, 8:30 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રસાકસી જામશે તેમ માનવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી હજુ નવી છે, જ્યારે કોંગ્રેસને તો હજુ ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કેટલીય બેઠક ઉપર બિનહરીફ જાહેર થઈ રહ્યા છે.

ચૂંટણીઓ પહેલાં જ અનેક બેઠક પર ભાજપ બિનહરીફ વિજયી
ચૂંટણીઓ પહેલાં જ અનેક બેઠક પર ભાજપ બિનહરીફ વિજયી

  • અનેક બેઠક પર ભાજપ બિનહરીફ
  • પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આપ્યા અભિનંદન
  • કોંગ્રેસને ઉમેદવાર શોધવામાં ફાંફા

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રસાકસી જામશે તેમ માનવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી હજુ નવી છે, જ્યારે કોંગ્રેસને તો હજુ ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કેટલીય બેઠક ઉપર બિનહરીફ જાહેર થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત નારણપુરા વોર્ડમાં બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા હતા. ત્યારબાદ આજે શનિવારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કેટલીક બેઠકો પર ભાજપના કેટલાક ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

બિનહરીફની યાદી
બિનહરીફની યાદી

કઈ બેઠકો પર ભાજપ બિનહરીફ?

આજે શનિવારે ભુજ નગરપાલિકામાં ભાજપના 2 ઉમેદવાર અને ધાંગધ્રા નગરપાલિકમાં ભાજપના 5 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, જ્યારે જિલ્લા પંચાયત અંતર્ગત જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના એક-એક ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે, જ્યારે તાલુકા પંચાયતમાં સુરતના ઓલપાડ અને ચોર્યાસીમાં એક-એક, અમદાવાદના દસક્રોઈમાં 02, કચ્છના ભુજમાં 01, જૂનાગઢ તાલુકા પંચાયતમાં 01, ભાવનગરના ઉમરાળા તાલુકા પંચાયતમાં 02, સુરેન્દ્રનગરના લીંબડીમાં 01, વઢવાણમાં 01, ધાંગધ્રા 02, જ્યારે થાનગઢમાં 5 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.

અત્યાર સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના 27 ઉમેદવાર બિનહરીફ

આમ, ભાજપને કોઈ જ મહેનત કર્યા વિના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 01, જિલ્લા પંચાયતમાં 02, તાલુકા પંચાયતમાં 17, નગરપાલિકામાં 07, એમ કુલ મળીને અત્યાર સુધીમાં 27 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.

બિનહરીફની યાદી
બિનહરીફની યાદી

સી.આર.પાટીલે આપી શુભેચ્છા

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજની 2021ની ચૂંટણી અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારો પર પ્રજાએ વિશ્વાસ અને પ્રેમ જીતીને ચૂંટણીઓમાં બિનહરીફ જાહેર થયા છે તે બદલ અભિનંદન પાઠવી, સૌ વિજયી ઉમેદવારો અને તેમના મત વિસ્તારની સ્વર્ણિમ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.