ETV Bharat / city

હરિદ્વાર ગયેલા વૃદ્ધે સુરતમાં વેક્સિન લીધી હોવાનું બોગસ સર્ટિફિકેટ બની ગયું, તંત્ર દ્વારા તપાસ શરૂ

author img

By

Published : Mar 16, 2021, 2:48 PM IST

Updated : Mar 16, 2021, 5:07 PM IST

વેક્સિનેશનના દિવસે વૃદ્ધ હરિદ્વારમાં હતા અને સુરતમાં વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ બની ગયું
વેક્સિનેશનના દિવસે વૃદ્ધ હરિદ્વારમાં હતા અને સુરતમાં વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ બની ગયું

સુરતમાં વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ શહેર બહાર જનારા વૃદ્ધનું વેક્સિનેશન માટેનું ઓનલાઈન સર્ટિફિકેટ બની જતા વિવાદ સર્જાયો છે. હેલ્થ સેન્ટરના કર્મચારી દ્વારા વેક્સિનને બારોબાર સગેવગે કરી હોવાના આક્ષેપ સાથે વૃદ્ધના પુત્ર દ્વારા પાંડેસરા પોલીસ મથકે લેખિતમાં અરજી આપીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

  • વેક્સિનેશનના દિવસે સુરતમાં હાજર ન હોવા છતા વેક્સિન લીધી હોવાનું સર્ટિ બન્યું
  • કોઈ બીજી વ્યક્તિને આ વેક્સિન આપીને દુરુપયોગ કરાયો હોવાનો આક્ષેપ
  • હેલ્થ સેન્ટરના મહિલા કર્મચારી મનિષાબેન ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધવા કરી માગ

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા બમરોલી હેલ્થ સેન્ટરમાં વેક્સિન લીધા વગર સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. પાંડેસરા નવજીવન પેલેસમાં રહેતા અનુપ રાજપૂતના પિતા હરિભાનસિંહ રાજપૂતને બમરોલી હેલ્થ સેન્ટરમાં 13 માર્ચના રોજ કોરોના વેક્સિન આપવામાં આવી હોવાનું સર્ટિફિકેટ ઓનલાઈન મૂકવામાં આવ્યું હતુ. અનુપ રાજપૂતના પિતાએ આ વેક્સિન લીધી ન હોવા છતાં તેમના નામે સર્ટિફિકેટ ઇશ્યૂ કરાતા ભારે વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો: ચૂંટણી પછી વકરતો કોરોના, જવાબદાર કોણ ?


વેક્સિનની એપોઇન્ટમેન્ટના સમયે હરિદ્વારમાં હતા

13 માર્ચના રોજ હરિભાનસિંહ સુરતમાં ન હોવા છતાં આ સર્ટિફિકેટ ઈશ્યૂ થતા હેલ્થ સેન્ટર દ્વારા વેક્સિનના નામે ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનો આક્ષેપ તેમના પરિવારજનો દ્વારા કરાયો છે. અનુપભાઈ રાજપૂતના પિતા વેક્સિનની એપોઇન્ટમેન્ટના સમયે હરિદ્વારમાં હોવા છતાં પણ તેમને વેક્સિન મળી ગઈ હોવાનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. વેક્સિન ન આપી હોવા છતાં સર્ટિફિકેટ ઈશ્યૂ કરનારા બમરોલી હેલ્થ સેન્ટરના કર્મચારી મનીષા ગોહિલ વિરુદ્ધ વેક્સિનના દુરુપયોગ બદલ ફોજદારી કાર્યવાહી કરવાની માગ હરિભાનસિંહના પુત્ર દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: વેક્સિન લીધા પછી પણ સુરત મનપા વિકાસ વિભાગના ત્રણ ઈજનેરોને થયો કોરોના


પુત્રએ પાંડેસરા પોલીસ મથકે લેખિતમાં આપી અરજી

હરિભાનસિંહના પુત્રએ પાંડેસરા પોલીસ મથકે લેખિત અરજી આપીને હેલ્થ સેન્ટરના મહિલા કર્મચારી મનિષાબેન ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધવાની માગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, તેમના પિતા અને મિત્રની સાસુ નિર્મલાબેન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં તેમને 13 માર્ચના રોજ એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. પરંતુ પિતાને ત્વરિત હરિદ્વાર જવાનું થતા વેક્સિન લીધા વગર જ હરિદ્વાર જતા રહ્યા હતા. હાલ પણ તેઓ હરિદ્વારમાં જ હોવા છતા વેક્સિન લીધા વગર તેમના નામે સર્ટિફિકેટ કેવી રીતે ઇશ્યૂ કરાયુ? અને તેમના નામે કોઈ બીજી વ્યક્તિને આ વેક્સિન આપીને દુરુપયોગ કરાયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ સિવિલમાં વેક્સિન લીધા બાદ 50 ટકા લાભાર્થીઓમાં સામાન્ય લક્ષણ દેખાયા


IT ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે: મ.ન.પા. કમિશનર

આ બાબતે ETV Bharat દ્વારા સુરત મ.ન.પા. કમિશનર બંછાનિધિ પાની સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, સમગ્ર મામલે અમારી IT ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ ટેક્નિકલ કારણોસર આ ઘટના બની હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ OTP વગર સર્ટિફિકેટ કેવી રીતે મળ્યું તે દિશામાં તપાસ આરંભી છે.

વેક્સિનેશનના દિવસે વૃદ્ધ હરિદ્વારમાં હતા અને સુરતમાં વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ બની ગયું
Last Updated :Mar 16, 2021, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.