ETV Bharat / city

સુરતમાં કોરોનાએ માથું ઉચક્યું, આવિષ્કાર એપાર્ટમેન્ટમાં એક જ અઠવાડિયામાં 11 કોરોના કેસ નોંધાયા

author img

By

Published : Sep 29, 2021, 3:14 PM IST

11 corona cases were reported in avishkar apartment of surat
સુરતમાં કોરોનાએ માથું ઉચક્યું

શહેરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, ત્યારે ફરી મહામારી (Surat corona update)એ માથું ઉચક્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પિપલોદ વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ સાથે આ એપાર્ટમેન્ટમાં અઠવાડિયામાં જ 11 કેસ પોઝિટિવ (Corona Positive Cases ) કેસ નોંધાયા છે.

  • આવિષ્કાર અપાર્ટમેન્ટના 5 બાળકો સહિત કુલ 11 વ્યક્તિને કોરોના પોઝિટિવ
  • 5 દિવસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 3 એપાર્ટમેન્ટને સીલ કરાયા
  • રાંદેર ઝોનમાં 4 કેસ પોઝિટિવ નોંધાયા, એક ઘરમાંથી 2-2 કેસ સામે આવ્યા

સુરત : શહેરમાં જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ બાદ કોરોનાના કેસ(Surat corona update )માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, સુરતના પિપલોદ વિસ્તારના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ (Corona Positive Cases )આવ્યા છે, આ એપાર્ટમેન્ટમાં અઠવાડિયામાં જ 11 કેસ પોઝિટિવ આવતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.

કોરોના કેસ વધતા એપાર્ટમેન્ટ સીલ

આવિષ્કાર અપાર્ટમેન્ટના 11 કેસમાં 5 બાળકો સહિત 6 વ્યક્તિઓને કોરોના થયો છે. 18થી વધુ વયના 6 પૈકી 5 જણાએ બન્ને ડોઝ લઈ લીધા છે. અગાઉ સુરતના પાલ રોડ સુમેરુ સિલ્વર લિફ એપાર્ટમેન્ટમાં 3 બાળકો સહિત 5 કેસ પોઝિટિવ નોંધાયા હતા. એપાર્ટમેન્ટના A વિભાગના 44 અને વિભાગના 44 મળી કુલ અહીં 88 ફ્લેટ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફ્લેટમાં રહેતા 18 વર્ષથી નીચેના 77 બાળકોના રેપીડ ટેસ્ટ કરવામાં હતા. કોરોનાના 5 કેસ મળતાં એપાર્ટમેન્ટના રહીશોને ક્વોરન્ટાઇનમાં રહેવા સુચના આપી છે. 5 દિવસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 3 એપાર્ટમેન્ટને કોરોના કેસ વધતા સીલ કરવામાં આવ્યા છે.

આવનારા તહેવારોની ઉજવણી માટે લાલબત્તી સમાન

સુરત શહેરમાં ઓગસ્ટ મહિનામાં કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો, જ્યારે સપ્ટેમ્બરમાં 103 થઈ ગયા છે. સુરતના અઠવા અને રાંદેરમાં કોરોના કેસ બાળકો સિવાયના તમામ દર્દીઓ વેક્સિનેટ છે. જોકે અત્યાર સુધીમાં આવેલા પોઝિટિવ કેસમાં કોઈ દર્દી ગંભીર ન હોવાથી ઘરે સારવાર મેળવી રહ્યા છે. રાંદેર ઝોનમાં 4 કેસ પોઝિટિવ નોંધાયા છે, એક ઘરમાંથી 2-2 કેસ છે. સુરતમાં પર્યુષણ અને ગણપતિના તહેવારો બાદ કોરોનાના રોજિંદા દર્દીઓમાં આંશિક વધારો થઈ રહ્યો છે, જે આવનારા તહેવારોની ઉજવણી માટે લાલબત્તી સમાન છે.

આ પણ વાંચો;

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.