ETV Bharat / city

આનંદોઃ રાજકોટ-નાથદ્વારા સ્લીપર કોચ બસ શરૂ કરવામાં આવી

author img

By

Published : Jan 4, 2021, 6:26 PM IST

આનંદોઃ રાજકોટ-નાથદ્વારા સ્લીપર કોચ બસ શરૂ કરવામાં આવી
આનંદોઃ રાજકોટ-નાથદ્વારા સ્લીપર કોચ બસ શરૂ કરવામાં આવી

રાજકોટના ઢેબર રોડ એસ.ટી. બસ પોર્ટ ખાતેથી દરરોજ રાત્રે નવ કલાકે ઉપડતી રાજકોટ-નાથદ્વારા સ્લિપર કોચ બસ સેવા આજથી ફરી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. આ બસ સાંજે 9 વાગ્યે રાજકોટથી ઉપડશે.

  • રાજકોટથી આ બસ રાત્રે 9 વાગ્યે ઉપડશે
  • નાથદ્વારા સહિતના રૂટની બસો આજથી શરૂ
  • સ્લિપિંગ કોચની ટિકિટ 505 અને સિટિંગની 425 રૂપિયા રહેશે

રાજકોટઃ રાજકોટ એસ.ટી. ડિવિઝને કેટલીક લાંબા રૂટની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં સોમવારથી સુરત એક્સપ્રેસ, દાહોદ, મંડોર અને નાથદ્વારા રૂટની બસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ નાથદ્વારા રૂટની સ્લીપર કોચ સેવા સોમવારથી શરૂ કરવામાં આવી છે.

રાત્રી કરર્ફ્યુના સમયમાં ફેરફાર કરતા કર્યો નિર્ણય

રાજકોટમા રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલી થતા રાજકોટ-નાથદ્વારા સ્લિપર કોચ બસ સેવા બંધ કરવા ફરજ પડી હતી, ત્યારે હવે કર્ફ્યુનો સમય રાત્રે 10થી સવારે 6 સુધીનો કરવામાં આવતા રાજકોટ-નાથદ્વારા સહિતના રૂટની બસ પુન:શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.