ETV Bharat / city

રાજકોટ સ્કૂલે વાલીને 20 પેઇજની શો કોઝ નોટિસ ફટકારી હોવાનું આવ્યું સામે

author img

By

Published : May 31, 2021, 8:56 PM IST

રાજકોટ સ્કૂલે વાલીને 20 પેઇજની શો કોઝ નોટિસ ફટકારી હોવાનું આવ્યું સામે
રાજકોટ સ્કૂલે વાલીને 20 પેઇજની શો કોઝ નોટિસ ફટકારી હોવાનું આવ્યું સામે

રાજકોટની મોદી સ્કૂલની વધુ એક મનમાની સામે આવી છે. મોદી સ્કૂલે એક વાલીને 20 પેઇજની શો કોઝ નોટિસ ફટકારી હોવાનું બહાર આવ્યું છે. નોટિસમાં વાલીને સ્કૂલ સામે આંદોલન કરો છો, સ્કૂલ વિરુદ્ધ અન્ય વાલીઓને ઉશ્કેરો છો, વ્હોટ્સ એપ ગ્રૂપમાં અન્ય વાલીઓ સમક્ષ સ્કુલની છબી ખરડો છો તેવું લખવામાં આવ્યું છે.

  • રાજકોટમાં એક સ્કૂલે વાલીને ફટકારી મસમોટી નોટિસ
  • 20 પેઇજની શો કોઝ નોટિસ ફટકારી હોવાનું આવ્યું સામે
  • સ્કૂલની છબી ખરડતાં હોવાનો કર્યો આક્ષેપ

    રાજકોટઃ રાજકોટની અંબિકા ટાઉનશિપમાં સ્થિત મોદી સ્કૂલમાં ભણતાં બાળકના વાલીને 20 પેઇજની નોટિસ આપવામાં આવી હતી. અવારનવાર મોદી સ્કુલ વિવાદોમાં આવી રહી છે. નોટિસમાં સાત દિવસમાં નોટિસનો જવાબ નહી આપો તો તેમના સંતાનને સ્કૂલમાંથી કાઢી મૂકીશું તેવી ચીમકી પણ આપી હતી. આંદોલન કરતા વાલીઓના સંતાનોને પ્રવેશ આપવાની સ્કૂલે મનાઈ ફરમાવી છે.
    આંદોલન કરતા વાલીઓના સંતાનોને પ્રવેશ આપવાની સ્કૂલે મનાઈ ફરમાવી
    આંદોલન કરતા વાલીઓના સંતાનોને પ્રવેશ આપવાની સ્કૂલે મનાઈ ફરમાવી

આ પણ વાંચોઃ રાજકોટ ગ્રામ્ય પોલીસ હત્યાના આરોપી અંગે માહિતી આપનારને 15 હજારનું ઈનામ આપશે

જિલ્લા શિક્ષણ અધિકારીને પાસે આવી કોઈ માહિતી નથી

ત્યારે સમગ્ર મામલે મીડિયા સમક્ષ જિલ્લા શિક્ષણાધિકારી બી એસ કૈલા પાસે આવી કોઈ માહિતી નથી. સ્કૂલમાં કોઈ બીજી કોઇ સમસ્યાના કારણે નોટિસ આપી છે કે કેમ તે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જો આવી કોઈ બાબત સામે આવશે તો અમે કાર્યવાહી કરીશું અને જરૂર પડ્યે સ્કૂલની માન્યતા પણ રદ કરવાની કાર્યવાહી હાથ ધરીશું. હાલ શિક્ષણ અધિકારી સુધી આવી કોઈ ફરિયાદો નથી તેવો પણ ખુલાસો કર્યો હતો.

સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલા પાસે આવી કોઈ માહિતી નથી

આ પણ વાંચોઃ રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહમાં છેલ્લા ત્રણ મહિનામાં 2220 મૃતકોના અગ્નિસંસ્કાર કરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.