ETV Bharat / city

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને મીડિયાને કર્યુ સંબોધન, કોરોનાની ત્રીજી લહેરની બતાવી તૈયારી

author img

By

Published : Jun 3, 2021, 2:22 PM IST

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર માટે જિલ્લા વહીવટી તંત્રની તૈયારી અંગે પ્રેસ કોંફરન્સ કરી મીડિયાને સંબોધન કર્યુ છે. કહ્યુ કોરોનાની ત્રીજી લહેર માટે વહિવટી તંત્ર દ્વારા 23 ઓક્સિઝન પ્લાન્ટ અને 14 હજાર બેડની તૈયારી કરવામાં આવશે.

  • રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેરને તંત્ર સજ્જ
  • જિલ્લા કલેકટર મીડિયા સમક્ષ કર્યુ સંબોધન
  • ત્રીજી લહેરમાં 14 હજાર જેટલા બેડની તૈયારીઓ

રાજકોટઃ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર માટે જિલ્લા વહીવટી તંત્રની તૈયારી અંગે પ્રેસ કોંફરન્સ કરી મીડિયાને સંબોધન કર્યુ છે. કહ્યુ કોરોનાની ત્રીજી લહેર માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. જિલ્લા અને શહેરમાં 23 જેટલા ઓક્સિજન પ્લાન્ટ સ્થપવામાં આવશે. આરોગ્ય માટે કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવશે. ત્યારે બીજી લહેરમાં બેડની અછતના કારણે ત્રીજી લહેરમાં 14 હજાર જેટલા બેડની તૈયારીઓ કરવામાં આવશે. ગામડાંઓમાં ગેરમાન્યતાઓને લીધે વેક્સીન નથી લેવામાં આવતી. આથી સામાન્ય નાગરિકને જાગૃત કરવા અધિકારીઓ સત્તત કાર્યરત છે.

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને મીડિયાને કર્યુ સંબોધન

અત્યાર સુધીમાં માત્ર 63 ટકા લોકો જ લીધી વેક્સીન

જિલ્લાના ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. ગામડાંઓમાં વેક્સીનની અછત નથી તેના પર ધ્યાન આપવામાં આવશે. યુવાનો માટે જ્યારે સરકાર કહેશે ત્યારે જિલ્લામાં વેક્સીનેશન શરૂ કરવામાં આવશે. જો કે ગામડાઓમાં હજુ પણ અમુક માન્યતાઓના કારણે 45 વર્ષથી ઉપરના લોકો વેક્સીન લેતા નથી. અત્યાર સુધીમાં માત્ર 63 ટકા લોકોએ જ વેક્સીન લીધી છે. જે ગામડાંઓમાં ગેરમાન્યતાઓને લીધે વેક્સીન નથી લેવામાં આવતી ત્યાં અધિકારીઓ જઈને લોકોને જાગૃત કરે છે. આ સાથે જ મ્યુકરમાઇકોસીસ માટેના ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.