ETV Bharat / city

કોરોના અંગે 1710 લોકોનો સર્વે, ‘બીમારી કે રોગ કરતા નકારાત્મક વિચારો અને કલ્પના વધુ ભયજનક'

author img

By

Published : May 24, 2021, 10:27 AM IST

કોરોનાનો કલ્પનિક ભય વધુ અસરકારક
કોરોનાનો કલ્પનિક ભય વધુ અસરકારક

કોરોના મહામારી વિશે સાંભળી-સાંભળીને લોકોની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તે અંગે એક કરાયેલા સર્વેમાં અનેક ભયજનક બાબતો સામે આવી છે.

  • કોરોના અંગે 1710 લોકોનો કરાયો સર્વે
  • કોરોનાનો કલ્પનિક ભય વધુ અસરકારક
  • અનેક કિસ્સાઓ આવ્યા ધ્યાનમાં

રાજકોટ: જ્યાં સુધી વાસ્તવિકતામાં જીવતો હોય છે. તે માનસિક સ્વસ્થ હોય છે. કોઈપણ બાબતનો સ્વીકાર કરી શકે છે અને તેની સામે લડી શકે છે, પરંતુ જ્યારે કલ્પનિક ભયમાં રહે છે, તો તેની બહુ ઉંડી નકારાત્મક અસર પડતી હોય છે. કોરોના વિશેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ તથા ડો. ધારા દોશી દ્વારા કરવામાં આવ્યું છે.

કોરોના અંગે 1710 લોકોનો કરાયો સર્વે
કોરોના અંગે 1710 લોકોનો કરાયો સર્વે

કોરોના કરતા તેનો કલ્પનિક ભય વધુ ગંભીર

કોરોના કરતા તેનો કલ્પનિક ભય, તેના વિશેના ફોટાઓ, વિડીયો, મૃત્યુના આંકડા, બીમારીઓ ફેલાવતા કે રુદન કરતા સ્ટેટ્સ અને ભયાનક દ્રશ્યો વગેરે બાબતો વધુ ભય ફેલાવે છે. 1710 લોકો પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો કે, આ સમયમાં તમને કોરોનાનો ભય શા કારણે વધુ લાગ્યો...? આ સર્વેમાં 60 ટકા સ્ત્રીઓ અને 40 ટકા પુરુષોએ ભાગ લીધો હતો. સર્વેના તારણો નીચે મુજબ છે. વિવિધ પ્લેટફોર્મ પર જે મૃત્યુના આંકડા આવતા તેણે સહુથી વધુ ભય ફેલાવ્યો. 24.30 ટકાએ સ્વીકાર્યું કે જે સતત મૃત્યુના આંકડા અને તે આંકડાઓમાં જે રોજ વધારો થતો એ જોઈ સહુથી વધુ ભય લાગ્યો હતો.

કોરોના અંગે 1710 લોકોનો કરાયો સર્વે
કોરોના અંગે 1710 લોકોનો કરાયો સર્વે

આ પણ વાંચો: દિલ્હીમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં 100 ડૉક્ટરના મોત

22.10 ટકા લોકોએ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયામાં નકારાત્મક પોસ્ટ જોઈને લાગ્યો ડર

કિસ્સો:1

‘મારા-પિતા સતત એમ જ રટણ કરે છે કે, હવે જે મૃત્યુના આંકડાઓ વધે છે તે જોઈ એ એમ જ બોલે છે કે, હવે આ આંકડાઓમાં મારો સમાવેશ થશે. કેમ કે આ આંકડાઓ રોજ વધતા જાય છે અને તેમાં ક્યારે વારો આવી જાય કોને ખબર’ 22.10 ટકા લોકોએ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયામાં નકારાત્મક પોસ્ટ, ફોટાઓ, સ્ટેટ્સ, વિડીયો જોઈ ભય લાગતો. ખાસ કરી જે લોકો સ્મશાનના ફોટા, કોઈના મૃત્યુના ફોટા, કોઈની ગંભીર હાલત હોય એ ફોટા, કોઈ માતમ મનાવતું હોય એવા ફોટાઓ મુકતા ત્યારે ખૂબ ભય લાગતો.

19.10 ટકા લોકો એમ્બ્યુલન્સની વેઇટિંગના ફોટા અને સ્મશાનના ફોટા જોઇને લાગ્યો ડર

કિસ્સો: 2

એક નર્સ સ્ટાફ જે સતત કોવિડ ડ્યુટી કરતી તેને ભય નહોતો પણ હમણાંથી જે એમ્બ્યુલન્સની વેઇટિંગના ફોટા અને સ્મશાનના ફોટા જોયા એ જોઈ બીક લાગી અને તબિયત બગડતા કોવિડ ટેસ્ટ કરાવ્યો. જે પોઝિટિવ આવ્યો હતો. 19.10 ટકા લોકોએ જણાવ્યું કે, જ્યારે જ્યારે સાંભળ્યું કે હવે હોસ્પિટલમાં બેડ નથી કે ઓક્સિજન અભાવ છે ત્યારે ભય લાગ્યોના વિચારો આવતા કે જો આપણને કંઈક થશે તો શું કરીશું? ક્યારેક ખૂબ પેનિક થઈ જવાતું જેથી મન પર નિયંત્રણ ન રહેતું.

આ પણ વાંચો: સરકારે કોરોનાની જાદુઈ દવા પર કેમ લગાવ્યો પ્રતિબંધ ?

15.07 ટકા લોકો શ્રદ્ધાંજલિના ફોટાઓના પેઇઝ વધતા લાગ્યો ડર

કિસ્સો: 3

‘મારા મામા હોમ આઇસોલેટ છે. તેને કંઈ ગંભીર કોરોના નથી એવું ડોકટર કહેલું પણ જ્યારથી તેને ખબર પડી કે હોસ્પિટલમાં બેડ ફૂલ છે અને ઓક્સિજન નથી મળતું તો ત્યારથી એને શ્વાસમાં તકલીફ પડે છે. અમે ઓક્સિજન માપી તો લેવલ બરાબર જ આવે છે પણ એ નથી સમજતા.’ દિવસે દિવસે છાપામાં જે શ્રદ્ધાંજલિના ફોટાઓના પેઇઝ વધતા જતા હતા એ જોઈ 15.07 ટકા લોકો ભયભીત થયા છે. ઘણી વખત એ ફોટાઓમાં તેમને તેમના પોતાના સ્વજનો અને પોતાના મોઢા દેખાતા. રાત્રે સ્વપ્નમાં પણ એવા ફોટા જોઈ ગભરામણ થતી.

10.08 ટકા લોકો એમ્બ્યુલન્સના સાયરનથી ડર્યા

કિસ્સો: 4

‘અમારા ઘરે ન્યુઝ પેપર આવે છે. તેમાં જે શ્રદ્ધાંજલીના ફોટાઓ આવે એ જોઈ મારો ભાઈ ખૂબ ડરે છે. સાથે મોબાઈલમાં પણ કોઈની મૃત્યુની નોંધ વાંચે તો પણ ડરી જાય છે. ઘણી વખત રાત્રે ઊંઘમાં પણ ૐ શાંતિ બોલે છે ને રડવા લાગે છે. 10.08 ટકા એમ્બ્યુલન્સના સાયરનથી ખૂબ વ્યગ્ર થઈ જતા. ખાસ કરીને જ્યારે રાત્રે એમ્બ્યુલન્સના અવાજ આવતા ત્યારે ખૂબ ભય લાગતો અને આખી રાત એ અવાજ કાનમાં ગુંજતો. આ અવાજથી બાળકો પણ ખૂબ ભયભીત થતા.

6.01 ટકા લોકોને અંતિમયાત્રાના રથની ધૂન સાંભળી લાગ્યો ડર

કિસ્સો: 5

‘મારુ બાળક રાત્રે એમ્બ્યુલન્સનો અવાજ સાંભળી ખૂબ ડરી જાય છે. એ બસ એક જ રટણ કરે કે તમને લોકોને તેમાં લઈ જશે તો હું શું કરીશ?’ 6.01 ટકા લોકોને અંતિમયાત્રાના રથની ધૂન સાંભળી ભયનો અનુભવ થયો. એ ધૂન જ્યારે જ્યારે સાંભળવામાં આવી ત્યારે આખી રાત ઊંઘ ન આવી એવા કિસ્સા પણ ધ્યાનમાં આવ્યા.

ખોટી અફવાઓ વગેરે કારણે 3.33 ટકા લોકોને ભય

કિસ્સો: 6

‘જ્યારે પણ મારા ઘર પાસે અંતિમયાત્રાના રથ નીકળે તો મારા બા ને ક્યાંય ચેન પડતું નથી. ત્યાં સુધી કે ઘરમાં જો કોઈ ભૂલથી કઈ ધૂન વિશે બોલે તો ખીજાય જાય અને વસ્તુ ના ઘા કરવા લાગે.’ અન્ય કારણો કે જેણે લોકોને ભયભીત કર્યા એ જોઈએ તો લોકોએ કરેલી વાત, સગા બીમાર પડ્યા તો પોતે પણ પડશે એવા વિચાર, ખોટી અફવાઓ વગેરે કારણે 3.33 ટકા લોકોને ભય અનુભવાયો. આમ જોઈએ તો કોરોના કરતા કોરોનાના ભય દ્વારા લોકો માનસિક ગડમથલ અને માનસિક રોગના ભોગ બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.