ETV Bharat / city

Diwali 2021: રાજકોટ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની પરની ભીડ, શું કોરોનાને ફરી નિમંત્રણ આપશે?

author img

By

Published : Nov 4, 2021, 9:56 PM IST

Diwali 2021: રાજકોટ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની પરની ભીડ, શું કોરોનાને ફરી નિમંત્રણ આપશે?
Diwali 2021: રાજકોટ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની પરની ભીડ, શું કોરોનાને ફરી નિમંત્રણ આપશે?

ચાલુ વર્ષે કોરોના(Corona)નાં કેસ કાબુમાં આવતા રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ(Exemption by State Government) આપવામાં આવતાં લોકો આ વર્ષે દિવાળી પર વિવિધ જગ્યાએ ફરવા માટે પણ જઈ રહ્યા છે. આ સાથે જ રાજકોટ ખાતે અન્ય રાજ્યોમાંથી ધંધા રોજગાર માટે આવેલા લોકો પણ દિવાળીનાં તહેવાર(Diwali festival)ને લઈને પોતાનાં વતનમાં જઈ રહ્યા છે. જેને લઈને બસ સ્ટેશનમાં અને રેલવે સ્ટેશનમાં લોકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી(Large crowds were seen at the bus station and at the railway station) રહી છે. જ્યારે રેલવે પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સત્તત પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

  • રાજકોટમાં આવતાં લોકોનું સ્થળ પર જ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે
  • રાજકોટ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં ભારે ભીડ જોવાં મળી
  • કોરોના ગાઇડ લાઈનનો ભંગ થતો જોવા મળી મળ્યો

રાજકોટ : રાજકોટમાં કોરોના(Corona)નાં કેસ કાબુમાં છે ત્યારે દિવાળી(Diwali)માં સરકાર દ્વારા અમુક છૂટછાટ આપવામાં આવતા મોટી સંખ્યામાં લોકો વિવિધ જગ્યાએ ફરવા માટે જઈ રહ્યા છે. ત્યારે દિવાળી બાદ રાજકોટમાં કોરોના સંક્રમણ વધે નહિ તે માટે રાજકોટ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation)ની ટિમ દ્વારા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર રાજકોટમાં આવતાં લોકોનું સ્થળ પર જ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈપણ લોકોને કોરોનાનાં લક્ષણ જોવા મળે તો તેનો તાત્કાલિક કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. આમ રાજકોટમાં દિવાળી બાદ પણ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Diwali 2021: રાજકોટ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની પરની ભીડ, શું કોરોનાને ફરી નિમંત્રણ આપશે?

રેલવે સ્ટેશનમાં મુસાફરોની સંખ્યામાં વધારો

દિવાળીના તહેવારને લઈને રાજકોટ રેલવે સ્ટેશનમાં પણ મોટી સંખ્યામાં મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે. જ્યારે આ વર્ષે ફરવાનાં સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યાં છે ત્યારે લોકો પણ બહાર ફરવા માટે જઈ રહ્યા છે. રેલવે સ્ટેશન ખાતે હાલ ભારે ભીડ જોવાં મળી રહી છે અને સાથો સાથ કોરોના ગાઇડ લાઈનનો ભંગ પણ થતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : સચિવાલય 3 દિવસ સુધી બંધ: સીએમ ભુપેન્દ્ર પટેલ જાહેર જનતા સાથે ઉજવશે નવું વર્ષ

આ પણ વાંચો : દિવાળીના દિવસે આવકની અસ્થિરતા વાળા લોકોએ દેવી લક્ષ્મીને દીપદાન અર્પણ કરવું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.