ETV Bharat / city

survey: ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ 81 ટકા મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ નથી કરતી

author img

By

Published : Jun 16, 2021, 2:31 PM IST

ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ 81 ટકા મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ નથી કરતી
ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ 81 ટકા મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ નથી કરતી

સ્ત્રીને જાગૃત કરવી ખૂબ જરૂરી છે. સ્ત્રી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવી પણ જરૂરી છે. છતાં કેમ હજુ કેટલીક સ્ત્રીઓ નિરાશ છે. અહીં સ્ત્રીના શરીરમાં થતા કુદરતી શારીરિક ફેરફારને લગતો એક સર્વે કરવામાં આવ્યો છે. આજે પણ 81 ટકા મહિલાઓ માસિકધર્મ વખતે સેનેટરી પેડનો ઉપયોગ કરતી નથી. કેટલી સ્ત્રીઓ સેનેટરી પેડ્સનો ઉપયોગ કરે છે અને કેટલી સ્ત્રીઓ આ પેડ્સનો ઉપયોગ નથી કરતી એ જાણવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

  • ગ્રામ્ય વિસ્તારોમાં 81 ટકા મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ નથી કરતી
  • ગામડાની સ્ત્રીઓ માસિકધર્મના દિવસો દરમિયાન કપડાનો ઉપયોગ કરે છે
  • માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓએ સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવો જોઈએ

રાજકોટઃ આજે ભારત દેશનો વિકાસ ખૂબ થયો છે અને આધુનિક બનવા લાગ્યો છે. છતાં અમુક ગામડાઓમાં આજેપણ ખોટો ભય અને અંધશ્રદ્ધા જોવા મળી રહ્યા છે. ગામડાઓમાં સર્વે કરતા માલુમ થયું કે આજે પણ 81 ટકા મહિલાઓ માસિકધર્મ વખતે સેનેટરી પેડનો ઉપયોગ કરતી નથી અને તેઓ ખોટી માન્યતાઓ ધરાવે છે. ગ્રામ્ય વિસ્તારમાંથી હજુ રૂઢિચુસ્ત માન્યતાઓનું વલણ દૂર થતું નથી.

સ્ત્રીને જાગૃત કરવી ખૂબ જરૂરી

સ્ત્રીને જાગૃત કરવી ખૂબ જરૂરી છે. સ્ત્રી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવી પણ જરૂરી છે. છતાં કેમ હજુ કેટલીક સ્ત્રીઓ નિરાશ છે. અહીં સ્ત્રીના શરીરમાં થતા કુદરતી શારીરિક ફેરફારને લગતો એક સર્વે કરવામાં આવ્યો છે. કેટલી સ્ત્રીઓ સેનેટરી પેડ્સનો ઉપયોગ કરે છે? અને કેટલી સ્ત્રીઓ આ પેડ્સનો ઉપયોગ નથી કરતી એ જાણવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓએ સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવો જોઈએ આ બાબત કેટલાક લાંબા સમયથી ચાલી રહી છે. આજે પણ ગામડાની સ્ત્રીઓ માસિકધર્મના દિવસો દરમિયાન કપડાનો ઉપયોગ કરે છે. જેના કારણે તેઓને સ્વાસ્થ્ય સંબંધી ઘણી તકલીફો વેઠવી પડે છે.

પીરીયડસ દરેક સ્ત્રીને કિશોરાવસ્થાથી શરુ થાય

પીરીયડસ કે માહવારી દરેક સ્ત્રીને કિશોરાવસ્થાથી શરુ થઈ જાય છે. જેના શરીરમાં કોઈ સમસ્યા હોય એના સિવાય લગભગ દરેક સ્ત્રીને નિયમિત રીતે પીરીયડસ આવતા રહે છે અને આ એક એવી વસ્તુ છે જેના વિષે લોકો ખુલીને વાત કરવામાં અચકાય છે. અને જો ભૂલથી આ બાબત પર વાત નીકળી જાય તો લોકો તરત જ વાત બદલી નાખતા હોય છે. તેમજ થોડા ઓછું ભણેલા લોકો આ પ્રક્રિયાને મહિલાઓને થતી અસાધ્ય બીમારી સમજી બેસે છે. પણ અમે તમને જણાવી દઈએ કે, આ કોઈ બીમારી નથી પણ મહિલાઓના શરીરમાં થતી સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ છે.

સેનેટરી પેડ કપડાની સરખામણીએ ઘણા સુરક્ષિત

ભારત દિવસેને દિવસે આધુનિક થયા લાગ્યો છે. ઘણી મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરવાં લાગી છે. આ સેનેટરી પેડ કપડાની સરખામણીએ ઘણા સુરક્ષિત હોય છે. આમ તો તેમાં પણ થોડી ખામીઓ જરૂર છે. દાખલા તરીકે દરેક સ્ત્રીઓ એને ખરીદી નથી શકતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા દોશી અને ડો.ડિમ્પલ રામાણીએ 1323 બહેનોને રૂબરૂ મળીને માહિતી એકઠી કરી હતી.

આ પણ વાંચો: સ્ત્રી સશક્તિકરણનો સુંદર પ્રયાસઃ વાલોડની આદિવાસી મહિલાઓ માટે આત્મનિર્ભરતાનું સાધન બન્યાં સેનેટરી પેડ

સ્ત્રીઓને ગામડાઓમાં પૂછવામાં આવેલા પ્રશ્નો નીચે મુજબ હતા

  • માસિક સ્ત્રાવ વખતે તમે સેનેટરી પેડનો ઉપયોગ કરો છો?

જેમાં 81 ટકા સ્ત્રીઓ પેડનો ઉપયોગ કરતી નથી.

  • માસિક સ્ત્રાવના સમય દરમિયાન તમારા મૂડ કે વર્તનમાં કોઈ ફેરફાર જણાય છે?

જેમાં 72 ટકા સ્ત્રીઓના વર્તન કે મૂડમાં પરિવર્તન જોવા મળે છે એવું જણાવ્યું.

  • સેનેટરી પેડ વિશેની જાણકારી છે?

36 ટકા ગ્રામ્ય સ્ત્રીઓને પેડ વિશેની જાણકારી જ નથી.

માસિકધર્મ દરમિયાન આપની સાથેનો વ્યવહાર ઘરના લોકોનો કેવો હોય છે? 45 ટકા મહિલાઓએ જણાવ્યું કે, આ દિવસોમાં અમને રસોડામાં પ્રવેશ હોતો નથી. કોઈ ખૂણામાં બેસી રહીએ કેમ કે અમે બીજાને અડીએ તો આભડછેટ લાગે. પાંચ દિવસ અમે જાણે કેદી હોઈએ એવો અહેસાસ થતો હોય છે. અમારી બનાવેલી રસોઈ પણ ઘરના કોઈ જમે નહીં.

  • આ સમયમાં સૂતક પાળવું જોઇએ એવું તમે માનો છો?

54 ટકા સ્ત્રીઓ જ પિરિયડ દરમિયાન સૂતક પાળવાના પક્ષે છે. 27 ટકા સ્ત્રીઓએ જણાવ્યું કે અમે તો નથી માનતા, પણ સાસુ, સસરા અને ઘરના જ નક્કી છે માટે પાળવું પડે છે.

આ પણ વાંચો: સુરતઃ પીઝા રેસ્ટોરન્ટમાં મહિલાઓ માટે ખાસ સુવિધા, સેનેટરી પેડ વેન્ડીંગ મશીન ઉપલબ્ધ કરાયું

સેનેટરી પેડ્સ શા માટે નથી વાપરતા?

  • મોંઘા હોય તો કેમ લેવા.
  • દિવસમાં 4થી 5 વાર બદલવા ન પોસાય.
  • એવી વસ્તુ ઘરમાં ન રાખીએ. માતાજીને સૂતક લાગે.
  • આ કુદરતી પ્રક્રિયા છે એમાં માનવીની બનાવેલી વસ્તુ શું કામ વાપરવી?
  • અમારે તો ઉપયોગમાં લેવા હોય પણ ઘરનાનું માનવું એવુ કે કોથળામાં સુવાનું હોય આખો દિવસ ક્યાં બહાર જવું હોય કે તમારે આવા કપડાનો ઉપયોગ કરવો જોઈએ.
  • આવું નવું-નવું નીકળ્યા કરે બધું થોડું લેવા બેસાય?
  • પહેલા તો આવુ કશું ન હતુ. લોકો કપડાનો ઉપયોગ કરે છે અને કરતા જ તો ત્યારે તો કશું ન થતું હવે જ રોગ થાય?
  • અમારા ગ્રામ્ય વિસ્તારમાં પેડ્સનો ઉપયોગ કરતા જોવે તો કોઈ અમને બોલાવે નહીં અને ઘરે પણ ન આવવા દે તેમજ નિકાલ માટે કોઈ ઉપાય નથી. ગંદુ કહે એટલે ઉપયોગમાં લેતા વિચાર આવે.
  • કોઈ જોવે અને લેવા જતા શરમ આવે.
  • પેડ્સ બહાર ફેંકવાથી તે પર્યાવરણને નુકસાન કરે છે એવુ કહી ઉપયોગ કરવા દેતા નથી.
  • પેડસનો ઉપયોગ કરવાથી કોઈ રોગ થશે એવો ડર લાગે છે.
  • તે પ્લાસ્ટિકનું બનેલું હોવાથી પ્રાઇવેટ પાર્ટસને નુકસાન પહોંચાડે એવુ વલણ.
  • ક્યાંક ગર્ભ ન રહે એનું ચેપ લાગી જાય તો શું કરવું?

સેનેટરી પેડ્સ ઉપયોગ કરવાના ફાયદા

  • સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી કપડાં બેદાગ રહે છે. અને વારંવાર કપડાં ચેક કરવા પડતા નથી. શરમનો અનુભવ કરવો પડતો નથી.
  • આ સ્ત્રીઓને લાંબા સમય સુધી સ્વચ્છ રાખે છે.
  • વર્કિંગ વુમનની કામ કરવાની ક્ષમતા ઘણી વધી જાય છે.
  • કપડાંની સાથે ઇન્ફેક્શનનો ખતરો બનેલો રહે છે. જેના કારણે આગળ જતાં ગર્ભાશયમાં સોજો કે કેન્સર થવાની શકયતા ખૂબ વધી જાય છે.
  • સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાથી શરીરમાંથી કોઈ દુર્ગંધ આવતી નથી જેને કારણે તમારો મૂડ પણ સારો રહે છે.
  • કોઈ પણ પ્રકારના ઇન્ફેકશનનો ડર ઓછો થઈ જાય છે.
  • આ નેપકીન શરીરમાંથી થતા રક્તસ્ત્રાવને સૂકવવાનું કામ કરે છે. જેથી ભીનાશનો અનુભવ કરવા દેતું નથી. જેથી છોકરીઓનું ધ્યાન એ તરફ રહેતું નથી.
  • આરામ દાયક હોય છે જેથી બહેનોને વધુ ટેન્શન રહેતું નથી. આ પેડસનો ઉપયોગ કરવાથી વારંવાર કપડાં ધોવા કે એવી કોઈ માથાકૂટ રહેતી નથી. ડાયરેક્ટ કચરાપેટીમાં જ નાખવાનું રહે છે.
  • શારીરિક અને માનસિક રીતે હળવાશ અનુભવીએ છીએ.
  • ડાઘા કે કપડાં બગડવાનો તણાવ રહેતો નથી.
  • બીજા કોઈપણ કામ સરળથી થઇ શકે છે.
  • બહાર આવાન જાવનમાં કોઈ તકલીફ કે સમસ્યા લાગતી નથી. સરળતાથી બહાર ફરી શકીએ છીએ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.