Har Ghar Tiranga Campaign: ખાનગી શાળામાં બાળકોને રાષ્ટ્રભક્તિ ઉજાગર કરવા, હર ગાલ પર તિરંગા

author img

By

Published : Aug 2, 2022, 9:43 PM IST

Etv BharatHar Ghar Tiranga Campaign: ખાનગી શાળામાં બાળકોને રાષ્ટ્રભક્તિ ઉજાગર કરવા, હર ગાલ પર તિરંગા

જૂનાગઢનની એક ખાનગી પ્રાથમિક શાળામાં(Junagadh Primary private School) હર ઘર તિરંગા અભિયાન(Har Ghar Tiranga Campaign) અંતર્ગત રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે શાળા સંચાલકે અનોખી વ્યવસ્થા કરી હતી. જેમાં રાષ્ટ્રીયભક્તિ ઉજાગર કરવાના પ્રયાસને લઈને વિધ્યાર્થીઓના ગાલ પર તિરંગાના ચિન્હને લગાવીને બાળકોને ઉત્સાહિત કર્યા હતા.

જૂનાગઢ: આગામી 13થી 15 ઓગસ્ટ દરમિયાન ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં 15મી ઓગસ્ટના દિવસે તિરંગા ફરકાવવાનું આયોજન થઈ રહ્યું છે. જૂનાગઢની ખાનગી અલ્ટ્રા પ્રાથમિક શાળામાં(Private Ultra Primary School Junagadh) બાળકોએ પોતાના ગાલ પર તિરંગા(Tricolor Flag on every cheek) લગાવીને રાષ્ટ્રભક્તિ ઉજાગર કરવાનો માસુમ પ્રયત્ન કર્યો છે. શાળા કક્ષાએથી બાળકોમાં આ પ્રકારની રાષ્ટ્ર ભાવના જાગૃત થાય તે માટે શાળા સંચાલકે પણ અનુકૂળ વ્યવસ્થા ઊભી કરીને બાળકોના આ પ્રયાસને વધુ જીવંત બનાવ્યો હતો.

જૂનાગઢની ખાનગી અલ્ટ્રા પ્રાથમિક શાળામાં બાળકોએ પોતાના ગાલ પર તિરંગા ઉપસાવીને રાષ્ટ્રભક્તિ ઉજાગર કરવાનો માસુમ પ્રયત્ન કર્યો છે

આ પણ વાંચો: Har Ghar Tiranga Campaign: ભારતીય ત્રિરંગાએ 6 વખત તેનો રંગ બદલ્યો

ઘર ઘર તિરંગા અભિયાન અભિયાનમા બાળકો પણ જોડાયા - હર ઘર તિરંગા અભિયાન સમગ્ર દેશમાં હાથ ધરવા જઈ રહ્યું છે, ત્યારે પ્રત્યેક ઘરમાં તિરંગો ફરકે તેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢની ખાનગી અલ્ટ્રા પ્રાથમિક શાળામાં પણ બાળકોમાં રાષ્ટ્રભક્તિ પ્રાથમિક શાળાએથી જાગૃત થાય અને પ્રત્યેક બાળક રાષ્ટ્રભક્તિને લઈને વધુ જાગૃત થાય તે માટે શાળામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજન કરાયું હતું.

શાળા સંચાલકે કરી તમામ વ્યવસ્થા
શાળા સંચાલકે કરી તમામ વ્યવસ્થા

આ પણ વાંચો: મોંઘવારીના મારે ધોરણ 1માં ભણતી બાળકીએ પીએમ મોદીને લખ્યો પત્ર

શાળા સંચાલકે કરી તમામ વ્યવસ્થા - જેમાં શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહ સાથે પોતાના ગાલ પર તિરંગો બનાવીને રાષ્ટ્રભક્તિને પોતાના માસુમ અંદાજમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ખાનગી અલ્ટ્રા પ્રાથમિક શાળાના સંચાલક સોહેલ સિદ્દીકીએ સમગ્ર વ્યવસ્થા કરી હતી. ETV Bharat સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, જે પ્રકારે બાળકો શાળા કક્ષાએથી જ રાષ્ટ્ર ભાવનાને લઈને સમજદાર બને તેમજ બાળકોમાં રાષ્ટ્રીય પ્રત્યેનો પ્રેમ ઉજાગર થાય તેના માટે આ તિરંગા પ્રત્યેક બાળકના ગાલ પર લગાવીને આઝાદીનું મહા પર્વ ઉજવ્યું હતું. આ અભિયાનમાં બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.