ETV Bharat / city

Adi Sankaracharya Jayanti: સનાતન ધર્મના સ્થાપક આદી જગતગુરુ શંકરાચાર્યની આજે છે જયંતી

author img

By

Published : May 6, 2022, 5:32 AM IST

સનાતન ધર્મ સંસ્કૃતીના સ્થાપક(Founder of Sanatan Dharma Sanskriti) આદિ શંકરાચાર્યની આજે જન્મજયંતિ(Birth anniversary of Adi Shankaracharya) છે. આજ(ગુરુવારે)થી 1300 વર્ષ પૂર્વે પંચદેવની ઉપાસના કરતા આદિ શંકરાચાર્યે સનાતન ધર્મની રચના કરી હતી.

Adi Sankaracharya Jayanti: સનાતન ધર્મના સ્થાપક આદી જગતગુરુ શંકરાચાર્યની આજે છે જયંતી
Adi Sankaracharya Jayanti: સનાતન ધર્મના સ્થાપક આદી જગતગુરુ શંકરાચાર્યની આજે છે જયંતી

જૂનાગઢ: આજે સનાતન ધર્મના સ્થાપક આદિ ગુરુ શંકરાચાર્યની જન્મ જયંતી છે આજથી 1300 વર્ષ પૂર્વે પંચદેવની ઉપાસના કરતા આદિગુરુ શંકરાચાર્યએ પણ સનાતન ધર્મની સ્થાપના કરી હતી જગતગુરુ શંકરાચાર્ય ના 32 વર્ષના આયુષ્ય દરમિયાન તેમણે ચાર વખત સમગ્ર ભારતવર્ષની પદયાત્રા(Walking all over India) કરી હતી. તેમની આ પદયાત્રાના નિષ્કર્ષ રૂપે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ભારતમાં ચાર મઠોની સ્થાપના કરવામાં આવી હતી. જે આજે પણ જોવા મળે છે દરેક મઠના ગાદીપતિને આજે પણ શંકરાચાર્ય તરીકે પૂજવામાં આવે છે. જગદ્ગુરુ શંકરાચાર્ય દ્વારા સાત અખાડાઓની સ્થાપના(Akhadas Jagadguru Shankaracharya) પણ કરવામાં આવી હતી. આજે સનાતન ધર્મ સંસ્કૃતિનુ પ્રતીક જાળવીને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ અખાડાના માધ્યમથી થઈ રહ્યો છે.

મહાદેવ ગીરી સંત ભવનાથ

આ પણ વાંચો: Hanuman Jayanti 2022: ભવનાથમાં હનુમાન જયંતીએ 11,000 મોતીચૂર લાડુનો મનોરથ પૂર્ણ કરાશે

એક જ પરમ તત્વમાં માનતા હતા જગતગુરુ શંકરાચાર્ય - આદિ જગતગુરુ શંકરાચાર્ય એક જ પરમ તત્વમાં વિશ્વાસ રાખતા હતા માનવ માનવ વચ્ચેનો ભેદભાવ જગતગુરુ શંકરાચાર્ય નષ્ટ કર્યો હતો. તેથી જ તેમણે સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની શરૂઆત કરી હતી. આદિ જગતગુરુ શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર ઉપનિષદો(Brahmasutra Upanishads) અને ભાગવત ગીતાનું જેવા ધાર્મિક ગ્રંથોનુ ગહન અધ્યયન કર્યા બાદ સનાતન ધર્મની તેમની જે પરિકલ્પના હતી.

શંકરાચાર્યે ભાષ્યની રચના કરી - સમગ્ર જગત સમક્ષ પ્રસ્તુત કરી અને તેના આધારે આદિ જગતગુરુ શંકરાચાર્યે ભાષ્યની રચના કરી શંકરાચાર્ય પોતે એવું ગંભીરતાપૂર્વક માનતા હતા કે પ્રત્યેક વ્યક્તિમાં એક પરમાત્મા ચોક્કસ પણે રહેલો હોય છે. તેને કારણે જ જગતગુરૂ શંકરાચાર્યે વિવિધ ધર્મના વાડાઓનો વિરોધ કરીને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. સમગ્ર જગત આદિ ગુરુ શંકરાચાર્યને જગતગુરુ તરીકે પણ પૂજા કરી જે સનાતન ધર્મમાં થતી જોવા મળે છ.

જૂનાગઢ ભવનાથ
જૂનાગઢ ભવનાથ

કંકરમાં શંકરની પરિકલ્પના પણ શંકરાચાર્યએ આપી - પ્રત્યેક કંકરમાં શંકર જોવાની કલ્પના પણ આદિ જગતગુરુ શંકરાચાર્યે સનાતન ધર્મમાં પ્રસ્થાપિત કરી એટલા માટે ખ્રિસ્તી ધર્મમાં જે માન pope john polનું(Pope john pol in christianism) છે. બૌદ્ધ ધર્મમાં જે માન આજે દલાઈ લામાનું છે. એવું જ માન સનાતન હિન્દુ ધર્મમાં યુગોયુગોથી આદિગુરુ શંકરાચાર્યનું જોવા મળે છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય જીવ અને શિવને એકરૂપ માનતા હતા શંકરાચાર્ય માનતા હતા કે બ્રહ્મ જ સત્ય છે સમગ્ર જગત મિથ્યા છે. તેમની આ પરિકલ્પના સનાતન ધર્મ માટે આજે પણ પાયાના પત્થર સમાન બની રહી છે. જગતગુરુ શંકરાચાર્ય માનતા હતા કે પ્રત્યેક વ્યક્તિએ જ્ઞાની થવું પડશે એટલા માટે કે અજ્ઞાનથી આત્માનુ મૂળ સ્વરૂપ ઢંકાઈ જાય છે. ઢંકાયેલા આત્મા સાથે કોઈપણ વ્યક્તિ બ્રહ્મ તત્વને પામી શકતો નથી.

આ પણ વાંચો: Khodiyar Jayanti 2022: માં જગદંબાના અવતાર સ્વરૂપમાં ખોડલની જન્મ જયંતીની ઉજવણી

મોક્ષ આત્મા અને બ્રહ્મ તત્વની એકતાની અનુભૂતિ - આદિ જગતગુરુ શંકરાચાર્ય મોક્ષ વિશે પોતાની પરિકલ્પના રજૂ કરતા જણાવતા હતા કે મોક્ષ એ આત્મા અને બ્રહ્મતત્વની એકતાની અનુભૂતિ કરાવે છે. મારું અને તારુ આ ભેદભાવથી કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને દૂર રાખશે તો તે તમામ વ્યક્તિઓનુ જીવન સંન્યાસી જીવન છે. તેવું આદિ ગુરુ શંકરાચાર્ય દ્રઢ પણે માનતા હતા. આદિ ગુરુ શંકરાચાર્ય કર્મ અને ભક્તિને પણ ખૂબ પ્રાધાન્ય આપતા હતા. તેઓ માનતા હતા કે સાચું કર્મ અને ભક્તિથી ચિત્ત વૃત્તિ શુદ્ધ થાય છે. બ્રહ્મતત્વની પ્રાપ્તિ સુધી જ્ઞાન જ દોરી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.