દેવાધિદેવ સોમનાથ મહાદેવને કરાયો એક લાખ રુદ્રાક્ષના પારાનો શણગાર

author img

By

Published : Aug 24, 2021, 3:42 PM IST

સોમનાથ મહાદેવને કરાયો એક લાખ રુદ્રાક્ષના પારાનો શણગાર

ગઇ કાલે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવ પર એક લાખ રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. ગઇ રાલે દિવસ દરમિયાન 30 હજાર જેટલા ભક્તોએ સોમનાથ મહાદેવના રુદ્રાક્ષ શણગારને પ્રત્યક્ષ નિહાળીને ધન્ય બન્યા હતા.

  • સોમનાથ મહાદેવને ત્રીજા સોમવારે કરાયો 1 લાખ રૂદ્રાક્ષનો શણગાર
  • સોમનાથ મંદિરના પૂજારીઓએ સ્વયં મહાદેવને કર્યો રૂદ્રાક્ષનો શણગાર
  • 30 હજાર કરતાં વધુ ભાવિકોએ રુદ્રાક્ષ શણગારના કર્યા

જૂનાગઢ- પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને ગઇ કાલે એક લાખ રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. દેવાધિદેવ મહાદેવ પર કરવામાં આવેલા એક લાખ રુદ્રાક્ષના શણગાર બાદ સોમનાથ મહાદેવ ખૂબ જ દર્શનીય લાગતા હતા, ત્યારે ગઇ કાલે સોમનાથ પધારેલા 30 હજાર કરતાં વધુ શિવભક્તોએ દેવાધિદેવ મહાદેવ પર થયેલા એક લાખ રુદ્રાક્ષના શણગારના પ્રત્યક્ષ દર્શન કરીને પોતાની જાતને ધન્ય બનાવી હતી.

આ પણ વાંચો- મોટી સંખ્યામાં શિવભક્તો બર્ફાની બાબાના દર્શન માટે ડુંગરેશ્વેર મહાદેવ પહોંચ્યા

રૂદ્રાક્ષના 1લાખ પારા મહાદેવને શણગાર રૂપે અર્પણ કરાયા

રૂદ્રાક્ષના 1લાખ પારા સ્વયંમ સોમનાથ મહાદેવના પૂજારીઓ દ્વારા મહાદેવને શણગાર રૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. રૂદ્રાક્ષના શણગાર બાદ સોમનાથ મહાદેવ સાક્ષાત દેવ તરીકે દીપી રહ્યા હોવાનો સાક્ષાત્કાર શિવ ભક્તોને થયો હતો.

સોમનાથ મહાદેવને કરાયો એક લાખ રુદ્રાક્ષના પારાનો શણગાર

સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને વિવિધ શણગાર કરાઈ રહ્યો છે

સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ સોમનાથ મહાદેવને દરરોજ દિવ્ય શણગાર કરવામાં આવી રહ્યો છે. સ્વાતંત્ર પર્વ નિમિત્તે તિરંગાનો શણગાર, રક્ષાબંધનના પવિત્ર તહેવારે રાખડીનો શણગાર, ચંદ્ર દર્શનનો શણગાર આવા અનેકવિધ શણગાર થકી સોમનાથ મહાદેવને શ્રાવણ માસમાં રિઝવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો- જુઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા કઇ વસ્તુઓ ચઢાવવામાં રાખવું પડે છે ધ્યાન

શણગારના દર્શન કરી ભોળાનાથના ભક્તો ભાવવિભોર બન્યા

શણગારના દ્રશ્યો નજર સમક્ષ નિહાળીને ભોળાનાથના ભક્તો શ્રાવણ મહિનામાં ભાવવિભોર બની રહ્યા છે. જે પ્રકારે સોમનાથ મહાદેવ શણગાર બાદ જે રીતે ઔલોકિત દર્શન આપી રહ્યા છે, તેને નજર સમક્ષ નિહાળવાનું અહોભાગ્ય શિવભક્તો શ્રાવણ મહિનામાં પ્રાપ્ત કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.