અતિભારે વરસાદે ખેડૂતોને રડાવ્યા, મોટા ભાગનો પાક થયો નષ્ટ

author img

By

Published : Jul 20, 2022, 8:48 AM IST

અતિભારે વરસાદે ખેડૂતોને રડાવ્યા, મોટા ભાગનો પાક થયો નષ્ટ

જૂનાગઢમાં અતિભારે વરસાદના કારણે મગફળી અને સોયાબીનના પાકને ઘણું નુકસાન (Damage to farmers of Junagadh) થયું છે. ત્યારે હવે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. તો ખેડૂતો હવે સરકાર નુકસાનનો સરવે કરે તેવી માગ કરી (Junagadh Farmers demands for survey of damaged crop) રહ્યા છે.

જૂનાગઢઃ ગીર સોમનાથ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે ચોમાસુ પાકોને ભારે નુકસાન થયું છે, જે પૈકી સૌથી વધારે અસરગ્રસ્ત તાલુકા તરીકે સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાને ગણવામાં આવે છે. આ બંને તાલુકામાં મોટા ભાગના વાવેતર વિસ્તારમાં વરસાદી અને પૂરના પાણીના કારણે મગફળી સોયાબીન (Damage to groundnut and soybean crops) અને પશુઓ માટેના ચારાને ખૂબ નુકસાન થયું છે. તો હવે તેનો સરવે કરવા ખેડૂતો સરકાર સમક્ષ માગ કરી (Junagadh Farmers demands for survey of damaged crop) રહ્યા છે.

આ પણ વાંચો-Flooding in Purna river: નવસારીમાં પૂરના પાણીથી લોકોને ભારે નુક્સાન

ઘાસચારાને પણ થયું નુકસાન - છેલ્લા એક અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લામાં અત્ર તત્ર સર્વત્ર વરસાદી (Heavy Rain in Gir Somnath) માહોલ જોવા મળી રહ્યો છે. અહીં અતિ ભારે વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લામાં ભારે પૂરની પરિસ્થિતિનુ નિર્માણ થયું હતું. આના કારણે ચોમાસુ કૃષિ પાકોને ખૂબ મોટું નુકસાન (Damage to farmers of Junagadh) થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે મગફળી બાદ સોયાબીન અને પશુધનને નિભાવવા માટે ઘાસચારાનું વાવેતર સવિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે

કૃષિ પેદાશો પર ફરી વળ્યું પાણી - જોકે, આ વર્ષે પડેલા અતિભારે વરસાદના કારણે મગફળી સોયાબીન અને પશુઓના ચારાને વ્યાપક પ્રમાણમાં નુકસાન (Damage to groundnut and soybean crops) થયું છે. આથી ખેડૂતોની ચોમાસુ કૃષિ પેદાશોની આશા પર પાણી ફરી વળ્યું છે. વધુમાં પશુધનને નિભાવવા માટે ચોમાસા દરમિયાન આખા વર્ષના ઘાસચારાનું આયોજન પણ વાવેતરના રૂપમાં થતું હોય છે. તેના પર પણ વરસાદી અને પૂરનું પાણી ફરી વળતાં પશુઓનો ચારો પણ (Damage to farmers of Junagadh) નષ્ટ થયો છે.

આ પણ વાંચો- ETV Bharat Inpact : ભારે વરસાદને કારણે નુકસાન પામેલા વિસ્તારનો સરકારે સર્વે કર્યો શરૂ

અતિ ભારે વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત એવા સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાના ખેડૂતો હવે સરકાર સમક્ષ પૂરના કારણે ખેડૂતોને થયેલી નુકસાનીનો સરવે કરવાની માગ કરી રહ્યા છે. તાલુકામાં મગફળી અને સોયાબીનનો પાક (Damage to groundnut and soybean crops) સંપૂર્ણપણે નષ્ટ થયો છે. આથી ખેડૂતોને પારાવાર નુકસાની થવાનો અંદાજો અત્યારથી જ વ્યક્ત થયો છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો હવે સરકાર સમક્ષ કૃષિ પાકોના સરવે કરવાની માંગ કરી રહ્યા (Junagadh Farmers demands for survey of damaged crop) છે. સરવે બાદ ખેડૂતોને નુકસાનીનું આર્થિક વળતર આપવાની પણ ગીર સોમનાથ જિલ્લાનો ખેડૂત સરકાર સમક્ષ માગ કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.