Thalassemia Day 2022: એકવાર કરી જુઓ તમારું દાન બે વ્યક્તિનું જીવન બચાવી શકશે

author img

By

Published : May 8, 2022, 4:06 PM IST

Thalassemia Day 2022: એકવાર કરી જુઓ તમારું દાન બે વ્યક્તિનું જીવન બચાવી શકશે

આજે સમગ્ર વિશ્વમાં થેલેસેમીક્સ ડે (Thalassemia Day 2022) મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહે અને ખાસ કરીને રક્તદાન કેમ્પ થકી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહીની જરૂરિયાત પૂરી કરી શકાય તેવી જાગૃતિ લાવવા માટે આજના દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી.

જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં થેલેસેમીયા ડે (Thalassemia Day 2022) ઉજવવામાં આવી રહ્યો છે સમગ્ર વિશ્વમાં થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ ને લોહી પૂરતા પ્રમાણમાં મળી રહે લોકો થેલેસેમિયા બીમારીથી જાગૃત થાય અને જાણકારી મેળવે તેવા આશય સાથે થેલેસેમિયા દિવસ (junagadh thalassemia day)ની ઉજવણી કરવામાં આવી રહી છે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દર્દીઓને તેની જરૂરિયાત મુજબ દર મહિને અથવા તો દર 15 દિવસે બહારથી લોહીનો પુરવઠો પૂરો પાડવો પડે તેની તબીબી ઇમરજન્સી ઊભી થાય છે. આવી પરિસ્થિતિમાં દર્દીઓને લોહીની કોઈ ઉણપ કે અછત ન સર્જાય તે માટે આજના દિવસની ખાસ (thalassemia day 2022 celebration) ઉજવણી કરવામાં આવે છે.

Thalassemia Day 2022: એકવાર કરી જુઓ તમારું દાન બે વ્યક્તિનું જીવન બચાવી શકશે

આ પણ વાંચો: કેશુભાઇ મુખ્યપ્રધાન બન્યા ત્યારથી વર્તમાન ભુપેન્દ્ર પટેલ સુધી મહેસૂલી સરળીકરણ પ્રક્રિયા સરળ થવાની રાહમાં

થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને લોહીનો પુરવઠો સમયસર મળી રહે તે માટે નિયમિત અને સમયાંતરે રક્તદાન કેમ્પ (Junagadh blood donation camp) કરીને ખાસ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે લોહી એકત્ર કરવામાં આવી રહ્યું છે. હાલ આપણા રાજ્યમાં રક્તદાન પ્રવૃત્તિને લઇને હજુ પણ જોઈએ તેટલો પ્રતિભાવ મળતો નથી. આજે પણ સ્વૈચ્છિક રક્તદાન થકી એકત્ર થતાં લોહીના જથ્થામાં ઘટાડો જોવા મળે છે, ત્યારે લોકો સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવે તે માટે આજના દિવસની ખાસ જાણ કરાઈ છે.

Thalassemia Day 2022: એકવાર કરી જુઓ તમારું દાન બે વ્યક્તિનું જીવન બચાવી શકશે
Thalassemia Day 2022: એકવાર કરી જુઓ તમારું દાન બે વ્યક્તિનું જીવન બચાવી શકશે

આ પણ વાંચો: શું તમને ખબર છે હિંસક પ્રાણીઓ પણ માતૃત્વ ભાવને લઇને રહે છે ખૂબ જ સચેત, જાણો અમારો વિશેષ અહેવાલ

તમારું દાન બે વ્યક્તિનું જીવન બચાવશે: થેલેસેમિયા ગ્રસ્ત દર્દી અભયે જણાવ્યું હતું કે, એક વાર રક્તદાન કરી જુઓ મજા આવે તો બીજી વખત કરજો, પરંતુ તમારુ એક વખતનું રક્તદાન બે જીવન બચાવવા માટે મહત્વનું છે. થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓની સાથે હોસ્પિટલમાં અકસ્માત સર્જરી અને ગર્ભાવસ્થા દરમિયાન મોટા પ્રમાણમાં દર્દીઓને બહારથી લોહી પૂરું પાડવું પડે છે.આવી પરિસ્થિતીમાં એક માત્ર રક્તદાન કેમ્પ થકી લોહીની જરૂરિયાતને પૂરી કરી શકાય તેમ છે. તો ચાલો આજે આપણે સંકલ્પ કરીએ વર્ષમાં બે વખત અચૂક રક્તદાન કરીને જાણે-અજાણે મુશ્કેલીમાં મુકાયેલા કોઈ પણ જીવને નવજીવન આપવા માટેનો એક પ્રયાસ કરી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.