રાજેશ્વરી શક્તિપીઠમાં કરો એકસાથે નવ શક્તિના દર્શન, દરેકની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા

author img

By

Published : Sep 27, 2022, 4:12 PM IST

રાજેશ્વરી શક્તિપીઠમાં કરો એકસાથે નવ શક્તિના દર્શન, દરેકની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા

જૂનાગઢમાં આવેલું રાજેશ્વરી શક્તિપીઠ (Rajeshwari Shakti Peeth in Junagadh) નવરાત્રિ દરમિયાન (Navratri Festival) ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીં એકસાથે નવ શક્તિઓ પ્રત્યેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે તેવી પણ માન્યતા હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો આવો અન્ય શું વિશેષતા છે આ શક્તિપીઠની.

જૂનાગઢ નવરાત્રિ મહાપર્વનો શુભારંભ (Navratri Festival) થઈ ગયો છે. આજે બીજું નોરતું છે. આ નવે નવ દિવસ દરમિયાન ગરબાની સાથે જગત જનની માં જગદંબાની (jagdamba mata ) આરાધનાનું પણ વિશેષ મહત્વ છે. ત્યારે નવરાત્રિના નવ દિવસો દરમિયાન એક સાથે નવ શક્તિઓની રાજ રાજેશ્વરી શક્તિપીઠના (Rajeshwari Shakti Peeth in Junagadh) દર્શન કરવાથી માઈભક્તોને મનવાંછિત ફળ મળતું હોવાની માન્યતા છે.

આ શક્તિપીઠ પરિવારની આપત્તિ દૂર કરતું હોવાની માન્યતા સાથે જ અહીં એક સાથે નવ શક્તિઓ પ્રત્યેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરવાની સાથે, પરિવાર પર આવેલી આપત્તિ અને વિપ્તિઓને દૂર કરતી હોવાની ધાર્મિક માન્યતાને લઈને રાજ રાજેશ્વરી શક્તિપીઠ (Rajeshwari Shakti Peeth in Junagadh) નવરાત્રિ દરમિયાન ખૂબ ધાર્મિક મહત્વ ધરાવે છે.

ઘરે બેઠા કરો શક્તિપીઠના દર્શન

નવરાત્રિ દરમિયાન રાજ રાજેશ્વરી શક્તિપીઠના દર્શન નવરાત્રિના (Navratri Festival) નવ દિવસો દરમિયાન રાજ રાજેશ્વરી શક્તિપીઠના (Rajeshwari Shakti Peeth in Junagadh) દર્શન કરવાથી પ્રત્યેક માઈ ભક્તને મનવાંછિત ફળ મળતુ હોવાની સનાતન હિન્દુ ધર્મમાં (sanatan hindu dharma) ધાર્મિક માન્યતા જોવા મળે છે. ત્યારે નવરાત્રિના (Navratri Festival) નવ દિવસો દરમિયાન શક્તિ સ્વરૂપે રાજ રાજેશ્વરી શક્તિપીઠના (Rajeshwari Shakti Peeth in Junagadh) દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની ધાર્મિક માન્યતા આજે પણ અકબંધ જોવા મળે છે.

રાજેશ્વરી શક્તિપીઠ નવરાત્રિ દરમિયાન ધાર્મિક મહત્વ ધરાવે છે
રાજેશ્વરી શક્તિપીઠ નવરાત્રિ દરમિયાન ધાર્મિક મહત્વ ધરાવે છે

મા જગદંબાની થાય છે આરાધના તેને લઈને ગિરનારની ગોદમાં આવેલા જટાશંકર મહાદેવ (jatashankar mahadev temple ) સમીપે નવ શક્તિઓના પીઠ તરીકે પૂજાય રહેલા રાજ રાજેશ્વરી શક્તિપીઠના દર્શન કરીને માઈ ભક્તો નવરાત્રીના નવ દિવસ દરમિયાન માં જગદંબાની (jagdamba mata) આરાધના કરીને તેમની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે

એક સાથે નવ શક્તિના દર્શનનો લાભ રાજ રાજેશ્વરી શક્તિપીઠમાં (Rajeshwari Shakti Peeth in Junagadh) એક સાથે નવ જગદંબાના દર્શન થાય છે, જેમાં નવદુર્ગા શૈલપુત્રી માતા, બ્રહ્મચારિણી માતા, ચંદ્રઘંટા માતા, સ્કંધમાતા, કાત્યાયની માતા, કાલરાત્રી માતા, મહાગૌરી માતા અને સિદ્ધિ દાત્રિના એક સાથે રાજ રાજેશ્વરી શક્તિપીઠના (Rajeshwari Shakti Peeth in Junagadh) રૂપે દર્શન થઈ રહ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર, એક સાથે નવ શક્તિઓના દર્શનનું મહત્વ નવરાત્રિના દિવસો દરમિયાન ખૂબ જ વિશેષ હોઈ છે જેને કારણે રાજ રાજેશ્વરી શક્તિપીઠના દર્શન (Rajeshwari Shakti Peeth in Junagadh) મહત્વના બની રહ્યા છે

લોકોની માન્યતા પૂર્ણ થતી હોવાની લોકવાયકા
લોકોની માન્યતા પૂર્ણ થતી હોવાની લોકવાયકા

નવદુર્ગા સ્ત્રીના જીવન ચરિત્રનું સ્વરૂપ જ્યારે કોઈપણ પુત્રી જન્મ લેતી હોય છે. ત્યારે તેને શૈલપુત્રી માતાના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. જ્યારે પુત્રી કોમાર્ય અવસ્થામાં પ્રવેશ કરે છે. ત્યારે તેને બ્રહ્માચારિણી સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. લગ્ન પહેલા ચંદ્રની સામે નિર્મળ બનવાથી તેને ચંદ્રઘંટા સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. લગ્ન બાદ કોઈ પણ સ્ત્રી નવા જીવને જન્મ આપવા માટે ગર્ભનું ધારણ કરે છે. તેથી તેને કુષ્માડા સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે.

માઈભક્તોને મનવાંછિત ફળ મળતું હોવાની માન્યતા
માઈભક્તોને મનવાંછિત ફળ મળતું હોવાની માન્યતા

માતાજીના સ્વરૂપ સંતાનને જન્મ આપ્યા બાદ મહિલા સ્કંદમાતા તરીકે ઓળખાય છે સંસારિક જીવનમાં સંયમ અને સાધનાને વરેલી પ્રત્યેક મહિલા કાત્યાયની સ્વરૂપ તરીકે ઓળખ મેળવે છે પોતાના સંકલ્પથી પતિના આ અકાળે મૃત્યુને પણ જીતી લેનાર સૌભાગ્યવતી સ્ત્રી કાલરાત્રિ સ્વરૂપે પુજવામાં આવે છે જે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના કુટુંબને સંસાર તરીકે માને છે આવી તમામ સ્ત્રીઓ મહાગૌરી તરીકે સનાતન હિંદુ ધર્મમાં (sanatan hindu dharma) ઓળખાય છે. જીવન ચક્ર પૂરું કરીને સ્વર્ગ તરફ પ્રયાણ કરતી પ્રત્યેક મહિલા સંસારમાં તેના સંતાનોને સિદ્ધિ મળે તેવા આશીર્વાદ આપતી મહિલા આજે પણ સનાતન હિંદુ ધર્મમાં સિદ્ધિદાત્રી તરીકે પૂજાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.