ETV Bharat / city

જૂનાગઢમાં ધનતેરસ નિમિતે સ્વામિનારાયણ મંદિરમાં ધન પૂજાનું કરવામાં આવ્યું આયોજન

author img

By

Published : Nov 2, 2021, 10:19 PM IST

જૂનાગઢમાં ધનતેરસ નિમિતે સ્વામિનારાયણ મંદિરમાં ધન પૂજાનું કરવામાં આવ્યું આયોજન
જૂનાગઢમાં ધનતેરસ નિમિતે સ્વામિનારાયણ મંદિરમાં ધન પૂજાનું કરવામાં આવ્યું આયોજન

જૂનાગઢમાં ધનતેરસ(Dhanteras)નાં પાવન પ્રસંગે જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર(Swaminarayan Temple)માં ધન પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોઠારી સ્વામી સહિત મંદિરનાં સ્વામીઓએ ધનપૂજાનાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમજ ધનતેરસનાં પાવન પ્રસંગે ધન પૂજનનો કાર્યક્રમ ધાર્મિક આસ્થા સાથે સંપન્ન કરવામાં આવ્યો હતો.

  • ધનતેરસનાં દિવસે આયોજિત કાર્યક્રમમાં કોઠારી સ્વામી સહિત મંદિરના સંતોએ આપી હાજરી
  • મુખ્ય મંદિર સ્વામિનારાયણમાં યોજવામાં આવ્યો ધનપૂજાનો ધાર્મિક કાર્યક્રમ
  • પ્રાચીન પરંપરા મુજબ ધનતેરસનાં દિવસે ધન પૂજાનું છે વિશેષ ધાર્મિક મહત્વ

જૂનાગઢ : ધનતેરસ(Dhanteras)ની સાથે ભગવાન ધનવંતરીની જન્મ જયંતી(Birth anniversary of Lord Dhanvantari)નો પણ પાવન પ્રસંગ છે. વર્ષોથી ધનતેરસનાો દિવસે ભગવાન ધનવંતરીની પૂજાની સાથે પ્રત્યેક વ્યક્તિનાં જીવન અને પરિવારમાં સુખ સંપત્તિનું સ્થાપન થાય તે માટે આદી અનાદી કાળથી ધાર્મિક પરંપરા મુજબ ધનતેરસનાં દિવસે ધન પૂજાનું વિશેષ મહત્વ આપણાં ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. જૂનાગઢનાં જવાહર રોડ પર આવેલાં સ્વામિનારાયણનાં મુખ્ય મંદિર માં ધન પૂજાનો વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં મંદિરનાં મુખ્ય કોઠારી સ્વામી, પ્રેમ સ્વરૂપ દાસ સ્વામી એ ધન પુજામાં ભાગ લઈને વિધિવત રીતે ધાર્મિક પરંપરાને સંપન્ન કરી હતી.

જૂનાગઢમાં ધનતેરસ નિમિતે સ્વામિનારાયણ મંદિરમાં ધન પૂજાનું કરવામાં આવ્યું આયોજન

ધનવંતરી વિષ્ણુનાં બારમા અવતાર છે

આપણી પ્રાચીન હિંદુ ધાર્મિક પરંપરા અને માન્યતા અનુસાર દેવો અને દાનવો વચ્ચે જે પ્રકારે અમૃત માટે મંથન ચાલી રહ્યું હતું જેમાં વિષ્ણુનાં બારમા અવતાર તરીકે ભગવાન ધનવંતરીનો દેવો અને દાનવો વચ્ચે થયેલા યુદ્ધ બાદ પ્રાગટ્ય થયા હતાં. આ સમયે ભગવાન ધનવંતરી હાથમાં કળશ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા ત્યારથી ભગવાન ધનવંતરીને સુખ સંપતિ અને આરોગ્યનાં દેવતા તરીકે પૂજવામાં આવે છે. આજનાં દિવસે ભગવાન ધનવંતરીનાં પૂજનની સાથે ધનની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ જોવા મળે છે.

આ પણ વાંચો : જાણો આજે કઇ રીતે કરશો ધનતેરસની પૂજા ?

આ પણ વાંચો : ગુજરાતમાં એકમાત્ર અષ્ટ લક્ષ્મી માતાનું ભવ્ય મંદિર અદાવાદમાં, જ્યાં ધનતેરસમાં થાય છે વિશેષ પૂજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.