ETV Bharat / city

જૂનાગઢમાં સંક્રમણ ઘટ્યું છતાં પ્રતિદિન 8થી 10 જેટલા મૃતદેહો આવી રહ્યા છે અંતિમવિધિ માટે

author img

By

Published : Jun 4, 2021, 8:20 PM IST

Junagadh News
Junagadh News

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે દિનપ્રતિદિન ઘટી રહ્યું છે. જેને કારણે સંક્રમણથી થયેલા મોતના આંકડાઓ શુન્ય સુધી પહોંચી ગયા છે તેમ છતાં જૂનાગઢમાં આવેલા એકમાત્ર સ્મશાનમાં પ્રતિદિન 8થી લઈને 10 જેટલા મૃતદેહો અંતિમવિધિ માટે આવી રહ્યા છે.

  • જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત ઘટી રહ્યું છે કોરોના વાઈરસનું સંક્રમણ
  • પાછલા 57 દિવસ બાદ જિલ્લામાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નહીં થયાનું સામે આવ્યું
  • મોતના આંકડાઓ શૂન્ય સુધી પહોંચ્યા છતાં પણ સ્મશાનમાં થઈ રહ્યા છે 8થી 10 વ્યક્તિના અંતિમ સંસ્કાર

જૂનાગઢ : શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ સતત ઘટતું જોવા મળી રહ્યું છે. જેના કારણે મોતના આંકડાઓ પણ ખૂબ જ નીચા જોવા મળી રહ્યા છે. પાછલા 56 દિવસની સરખામણી ગત બે દિવસ દરમિયાન એક પણ વ્યક્તિનું મોત કોરોના સંક્રમણથી થયું નથી, પરંતુ વાત પાછલા એપ્રિલ અને મે મહિનાની કરીએ તો આ સમય દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણે હાહાકાર મચાવતા સંક્રમિત સંખ્યા 550 નજીક પહોંચી ગઈ હતી અને કરોનાને કારણે 15 કરતાં વધુ વ્યક્તિઓના મોત એક દિવસમાં થતા જોવા મળ્યા હતા. આ પરિસ્થિતિ જૂનાગઢ શહેર અને જિલ્લા માટે ખૂબ જ ચિંતાજનક હતી. જેમાં હવે રાહત મળી રહી છે અને સંક્રમિત કેસની સામે મોતનો આંકડો પણ શૂન્ય સુધી પહોંચી જતો જોવા મળ્યો છે.

સ્મશાન
સ્મશાન

આ પણ વાંચો : ભરૂચમાં આજે 5 તો 3 મેએ 62 મૃતદેહોના કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

જૂનાગઢ શહેર અને જિલ્લા માટે ચિંતાનો વિષય

સ્મશાનમાં પ્રતિદિન 8થી લઈને 10 જેટલા મૃતદેહો
સ્મશાનમાં પ્રતિદિન 8થી લઈને 10 જેટલા મૃતદેહો

કોરોનાનું સંક્રમણ જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત દિનપ્રતિદિન ઘટી રહ્યું છે. સતત ઘટતા સંક્રમણની વચ્ચે કોરોનાથી મોત થવાનો આંકડો પણ શૂન્ય સુધી પહોંચી ગયો છે. તેમ છતાં આજે પણ જૂનાગઢના ભવનાથમાં આવેલું એક માત્ર સોનાપુર સ્મશાનમાં પ્રતિદિન 8થી 10 જેટલા મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે આવી રહ્યા છે. આ આંકડો ખૂબ જ ચિંતાજનક પણ માનવામાં આવી રહ્યો છે. એક તરફ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. બીજી તરફ કોરોનાથી મોતનો આંકડો પણ શૂન્ય સુધી પહોંચી ગયો છે. આવી પરિસ્થિતિમાં પ્રતિદિન 8થી 10 જેટલા મૃતદેહોનો અગ્નિ સંસ્કાર જૂનાગઢ શહેર અને જિલ્લા માટે ચિંતાનો વિષય બની શકે છે.

જૂનાગઢમાં સંક્રમણ ઘટ્યું છતાં પ્રતિદિન 8થી 10 જેટલા મૃતદેહો આવી રહ્યા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.