અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લઇ એરફોર્સનો C 17 વિમાન જામનગર પહોંચ્યું

author img

By

Published : Aug 17, 2021, 12:19 PM IST

Updated : Aug 17, 2021, 1:37 PM IST

અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત લવાયા ભારત

આજે અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર 11.15 કલાક આસપાસ પહોંચ્યું હતું. જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલા નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ ઉમટ્યા હતા, સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો.

  • અફઘાનીસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એલિફન્ટ કરી એરફોર્સ જામનગર ખાતે પહોંચ્યું વિમાન
  • ભારતીયોને વતન પરત લાવવાના મિશન પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સતત મોનીટરીંગ
  • વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષાશ્રુનો વરસાદ

જામનગર: ભારતીય નાગરિકોની સુરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ચિંતિત અને તત્પર હોય છે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ વડાપ્રધાન માટે ભારતમાં વસતા નાગરિકો જેટલી જ અગ્રતા ધરાવતી હોય છે. આજ રોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એલિફન્ટ પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર 11.15 કલાક આસપાસ પહોંચ્યું હતું.

આ પણ વાંચો- કાબુલથી ITBPના જવાનો સહિત ભારતીયોને લઈ C-17 વિમાન પહોંચ્યું જામનગર

ભારતીય નાગરિકોને એરલિફટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરાઇ

અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને તાલિબાનથી સુરક્ષિત રાખવા વતન પરત લાવવા વડાપ્રધાને તત્કાલ ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી ત્યાં વસતા ભારતીય નાગરિકોને એરલિફટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. જેમાં ગઈકાલે એક હેલિકોપ્ટર દિલ્હી ખાતે પહોંચ્યું હતું, સાથે જ આજે એરફોર્સના વિમાન C-17 દ્વારા મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે.

વડાપ્રધાને સતત મોનીટરીંગ કરીને આ સમગ્ર મિશન પર સ્વયં દેખરેખ રાખી

જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલા નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ ઉમટ્યા હતા, સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો. વડાપ્રધાને સતત મોનીટરીંગ કરીને આ સમગ્ર મિશન પર સ્વયં દેખરેખ રાખી હતી. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ છે.

150 જેટલા ભારતીય નાગરિકો સુરક્ષિત વતન પરત ફર્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના પ્રથમ તબક્કામાં પણ વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા તેમજ હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ અરાજકતા સર્જતા ભારતીય નાગરિકોને કોઈ તકલીફ ન રહે તે માટે તત્કાલ વડાપ્રધાને ભારતીય નાગરિકોની સુરક્ષા હેતુ ભારતીયોને એરલિફટ કરવા મિશન મોડમાં કામગીરી હાથ ધરી હતી. જેમાં આજરોજ 150 જેટલા ભારતીય નાગરિકો સુરક્ષિત વતન પરત ફર્યા છે.

અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત લવાયા ભારત
અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત લવાયા ભારત
અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત લવાયા ભારત

આ પણ વાંચો- કાબૂલ એરપોર્ટ પર અફરા-તફરીનો માહોલ, ઉડતા વિમાનમાં લટકાયેલા બે વ્યક્તિ જમીન પર પટકાયા, જૂઓ વીડિયો...

જામનગર એરપોર્ટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન સહિતના સભ્યો હાજર રહ્યા

વાયુસેના એરબેઝ ખાતે પહોંચેલું વિમાન જામનગર ખાતે ઇંધણ ભરીને દિલ્હી જવા રવાના થશે. આ સમયે જામનગર એરપોર્ટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહાપ્રધાનો પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, કલેક્ટર સૌરભ પારઘી, પ્રાંત અધિકારી જામનગર શહેર આસ્થા ડાંગર, ડેપ્યુટી ડી.ડી.ઓ પાર્થ કોટડીયા, મામલતદાર અક્ષર વ્યાસ વગેરે અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય રાજદૂતનું નિવેદન

તેમણે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી અફઘાનિસ્તાનમાં ભયાનક સ્થિતિ છે.તેમણે વધુમાં કહ્યું કે, એક હજારથી વધુ ભારતીયો અફઘાનિસ્તાનમાં છે. તેઓએ ગુજરાત સરકાર અને ઇન્ડીયન એરફોર્સને ધન્યાવદ કહ્યું હતું.

Last Updated :Aug 17, 2021, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.