ગાંધીનગર: 14મી જાન્યુઆરીએ અમદાવાદમાં ઉત્તરાયણ (Uttarayan 2022 Gujarat)ની હર્ષોલ્લાસથી ઉજવણી થતી હોય છે. લોકો વહેલી સવારથી જ ધાબા ઉપર ચડી જતા હોય છે, તે પછી સામાન્ય નાગરિક હોય કે મુખ્યપ્રધાન - ઉત્તરાયણના દિવસે એક વખત પતંગ ચગાવી (Gujarat CM Uttarayan Celebration)ને અનેરો આનંદ લેતા જ હોય છે. આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સવારે જગન્નાથ મંદિર (Jagannath Temple Ahmedabad)ના દર્શન કર્યા બાદ પોતાના નિવાસસ્થાનેથી પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
આસપાસના લોકોને મળ્યા CM
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના જ નિવાસસ્થાન ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના આડોશી-પાડોશી સાથે પણ વાતચીત કરી હતી અને લોકોને મળ્યા હતા. ત્યારબાદ તેમણે ધાબા પર જઈને ઉત્તયરાણની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો: Uttarayan 2022: ભાવનગરવાસીઓએ ફુગ્ગાઓ ખરીદી કરી ઉજવણી
આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે વિસનગર પતંગ ચગાવ્યા
આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Rushikesh Patel Uttarayan Celebration) મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. વહેલી સવારે સૂર્ય નારાયણની ઉપાસના કરીને આ પવિત્ર દિવસે પ્રધાનશ્રીએ રાજ્યના તમામ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી, ત્યારબાદ રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ (Corona Guidelines Gujarat) પ્રમાણે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે માસ્ક પહેરી, કોરોના (Corona In Gujarat) ગાઈડલાઈનના પાલન સાથે પોતાના પરિવારજનો સાથે વિસનગર ખાતેના પોતાના નિવાસસ્થાને ઉમંગ અને ઉલ્લાસ સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી.
પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં ઉજવણી કરી
અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેઓએ તેમના નિવાસસ્થાન ખાતે પતંગ ચગાવીને ઉજવણી કરી હતી.
આ પણ વાંચો: Uttarayan in Rajkot : રંગીલા રાજકોટમાં ઉત્તરાયણમાં જોવા મળ્યો નિરૂત્સાહ