Survey of ADR : ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના વિધાનસભામાં કામકાજના હિસાબકિતાબ આ રહ્યાં

author img

By

Published : Jul 9, 2022, 4:44 PM IST

Survey of ADR : ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના વિધાનસભામાં કામકાજના હિસાબકિતાબ આ રહ્યાં

લોકતંત્રની મજબૂતી કેવી છે તેની જાણ વિધાનસભા ગૃહમાં થતી કામગીરીથી જાણી શકાય છે. ગુજરાત વિઘાનસભા ચૂંટણી 2022 આગામી સમયમાં આવી રહી (Gujarat Assembly Election 2022) છે. ત્યારે પૂર્ણ થઇ રહેલી વિધાનસભામાં બે સરકારોના કામકાજ પ્રજાએ જોયાં છે. ત્યારે સરકારના ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં કેવું કામ રહ્યું (Bhupendra Patel new government) તેની વિગતો બહાર આવી (Survey of ADR ) છે.

ગાંધીનગર : કોરોના વૈશ્વિક મહામારીમાં ગુજરાતની પૂર્વ વિજય રૂપાણીની સરકાર (Vijay Rupani government ) દ્વારા જે કામ થયું હતું તેના સર્વે બાદ ભાજપ દ્વારા રાજ્ય સરકાર બદલવાનો વારો આવ્યો. તાત્કાલિક ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની (Bhupendra Patel new government) નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે વિધાનસભામાં નવી સરકારની કામગીરીની (Work of Bhupendra Patel new government came out)વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં 14 વખત ચર્ચામાં ભાગ (Participated in the debate in the Gujarat Assembly ) લીધો હતો. જ્યારે 77 વખત વિધાનસભાના સત્રમાં હાજરી આપી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 14 વખત ચર્ચામાં ભાગ લીધો અને 77 વખત હાજરી આપી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 14 વખત ચર્ચામાં ભાગ લીધો અને 77 વખત હાજરી આપી

સોથી ઓછી ચર્ચા અરવિંદ રૈયાણી, સૌથી ઓછી હાજરી કીર્તિસિંહ વાઘેલા - ADRના સર્વે (Survey of ADR ) મુજબ મળતી માહિતી પ્રમાણે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં સૌથી ઓછી ચર્ચાની વાત કરીએ તો રાજ્યકક્ષાના પરિવહન અને યાત્રાધામ વિકાસ વિભાગ સૌથી ઓછી વખત ચર્ચામાં ભાગ (Participated in the debate in the Gujarat Assembly ) લીધો છે. જેમાં ફક્ત તેઓએ ત્રણ વખત જ ચર્ચામાં ભાગ લીધો છે. ત્યારબાદ પ્રાંતીજના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે પાંચ વખત અને દેવાભાઈ માડમે આઠ વખત વિધાનસભા ગૃહમાં ચર્ચામાં ભાગ લીધો છે. જ્યારે સૌથી ઓછી હાજરીની વાત કરવામાં આવે તો વિધાનસભા ગૃહમાં રાજ્યકક્ષાના પ્રધાન કીર્તિસિંહ વાઘેલા ફક્ત 15 દિવસ જ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત રાજ્યના મહેસૂલ કેબિનેટપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની હાજરી બાબતની વિગતો પ્રાપ્ત થઈ નથી.

વિધાનસભામાં ઉપસ્થિતિ અને ચર્ચામાં ભાગ લેવા માટેના પ્રધાનોના લેખાજોખાં - આ મુદ્દે મહત્ત્વની વાત કરીએ તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 14 વખત ચર્ચામાં ભાગ લીધો (Participated in the debate in the Gujarat Assembly ) અને 77 વખત હાજરી આપી. રાજેન્દ્ર ત્રિવેદીએ 8 વખત ચર્ચામાં ભાગ લીધો છે અને હાજરી અંગેની વિગતો પ્રાપ્ત થઇ નથી. જીતુ વાઘાણીએ 16 વખત ચર્ચામાં ભાગ લીધો અને 48 વખત હાજરી આપી છે. ઋષિકેશ પટેલે 28 વખત ચર્ચામાં ભાગ લીધો અને 82 વખત હાજરી આપી છે. પૂર્ણેશ મોદીએ 32 વખત ચર્ચામાં ભાગ લીધો અને 74 વખત હાજરી આપી છે. રાઘવજી પટેલે 9 વખત ચર્ચામાં ભાગ લીધો અને 68 વખત હાજરી આપી છે. કનુભાઈ દેસાઈએ 38 વખત ચર્ચામાં ભાગ લીધો અને 80 વખત હાજરી આપી છે. કિરીટસિંહ રાણાની વગતો ઉપલબ્ધ નથી. નરેશ પટેલે 38 વખત ચર્ચામાં ભાગ લીધો અને 80 વખત હાજરી આપી છે. પ્રદીપ પરમારે 11 વખત ચર્ચામાં ભાગ લીધો છે, હાજરીની વિગત ઉપલબ્ધ નથી.

બે મહિલા પ્રધાનની હાજરી- ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ 17 વખત ચર્ચામાં ભાગ લીધો (Participated in the debate in the Gujarat Assembly ) અને 72 વખત હાજરી આપી છે. અર્જુનસિંહ ચૌહાણે 10 વખત ચર્ચામાં ભાગ લીધો અને 83 હાજરી આપી.જગદીશ પંચાલે 32 વખત ચર્ચામાં ભાગ લીધો અને 80 વખત હાજરી આપી છે. બ્રિજેશ મેરજાએ 52 વખત ચર્ચામાં ભાગ લીધો અને 80 વખત હાજરી આપી છે. જીતુભાઇ ચૌધરીએ 18 વખત ચર્ચામાં ભાગ લીધો અને 88 વખત હાજરી આપી હતી. મૂકેશ પટેલે 14વખત ચર્ચામાં ભાગ લીધો અને 84 વખત હાજરી આપી હતી. મનીષા વકીલે 22 વખત ચર્ચામાં ભાગ લીધો અને 81 હાજરી આપી હતી. નિમિષા સુથારની વિગતો ઉપલબ્ધ નથી.

આ પણ વાંચોઃ અધધ… રાજકીય પક્ષોને કુલ આવકની 70 ટકા રકમ અજ્ઞાત સ્ત્રોતમાંથી મળે છેઃ ADR

સૌથી ઓછો અરવિંદ રૈયાણીએ 3 વખત ચર્ચામાં ભાગ લીધો અને 73 વખત હાજરી આપી છે. કુબેરભાઈ ડીંડોરે 34 વખત ચર્ચામાં ભાગ લીધો અને 86 વખત હાજરી આપી હતી. કીર્તિસિંહ વાઘેલાએ 15 વખત ચર્ચામાં ભાગ લીધો અને 15 વખત હાજરી આપી હતી. ગજેન્દ્રસિંહ પરમારે 5 વખત ચર્ચામાં ભાગ લીધો અને 72 વખત હાજરી આપી હતી. આર સી મકવાણાએ 12 વખત ચર્ચામાં ભાગ લીધો અને 75 વખત હાજરી આપી હતી. વિનોદ મોરડીયાએ 18 વખત ચર્ચામાં ભાગ લીધો અને 82 વખત હાજરી આપી હતી. જ્યારે દેવાભાઈ માડમે 08 વખત ચર્ચામાં ભાગ લીધો (Participated in the debate in the Gujarat Assembly ) અને 80 વખત હાજરી આપી હતી.

17 ધારાસભ્યોએ 5 વર્ષમાં ફક્ત 5 વખત કરતા ઓછી વખત ચર્ચામાં ભાગ લીધો -ખાનગી સંસ્થાના સર્વેમાં અને વિધાનસભામાંથી મળેલી માહિતી પ્રમાણે રાજ્યના ભાજપના અને કોંગ્રેસ સહિતના કુલ 17 જેટલા ધારાસભ્યોએ વર્ષ 2017થી મળેલ વિધાનસભા સત્રના પ્રથમ સત્રથી લઇ 2022ના બજેટ સત્ર સુધીના પાંચ વર્ષમાં 17 જેવા ધારાસભ્ય એવા છે જેમણે ફક્ત 5 વખત અથવા તેના ઓછી વખત વિધાનસભાની ચર્ચામાં ભાગ લીધો છે. જ્યારે સૌથી ઓછી વખત ચર્ચાની વાત કરવામાં આવે તો વીરેન્દ્રસિંહ જાડેજા માંડવીના ધારાસભ્ય અને પુરુષોત્તમ સોલંકી જે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય છે તેઓએ પાંચ વર્ષમાં ફક્ત 1-1 વખત જ ચર્ચામાં ભાગ લીધો છે. જ્યારે સોમાભાઈ પટેલ, મોહમ્મદ પીરજાદા, જવાહર ચાવડા અને મધુ શ્રીવાસ્તવ જેવા ધારાસભ્યોએ ફક્ત બે વખત જ વિધાનસભા ગૃહમાં ચર્ચામાં ભાગ (Participated in the debate in the Gujarat Assembly ) લીધો હતો.

આ પણ વાંચોઃ ADR Survey : આપણાં ધારાસભ્યોએ પાંચ વર્ષમાં શું કામગીરી કરી ? જુઓ આ રિપોર્ટમાં

આ 5 ધારાસભ્યો સૌથી વધુ બોલ્યાં- ગુજરાત વિધાનસભાની વર્ષ 2017થી વર્ષ 2022 સુધીની વાત કરવામાં આવે તો સૌથી વધુ વિધાનસભામાં ચર્ચામાં રહ્યાં હોય તેવા પાંચ જ ધારાસભ્યો છે. જેમાં વિજય રૂપાણીની સરકારના (Vijay Rupani government )પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ 191 વખત, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી 139 વખત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 136 વખત, પ્રદીપસિંહ જાડેજા 123 વખત, પ્રતાપ દૂધાત 104 વખત, અને શૈલેષ પરમારે 102 વખત વિધાનસભા ગૃહમાં ચર્ચામાં ભાગ (Participated in the debate in the Gujarat Assembly ) લીધો છે.આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) પ્રચાર સમયે આ વિગતો મતદારો માટે નિર્ણયાત્મક બની શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.