ETV Bharat / city

સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર રોક લગાવી, ગુજરાત કોંગ્રેસે કોર્ટના નિર્ણયને આવકાર્યો

author img

By

Published : Jan 12, 2021, 4:41 PM IST

Supreme Court
Supreme Court

સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ નિર્ણયને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આવકાર્યો છે. આ સાથે જ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સરકાર હવે આ કાયદા પરત નહીં ખેંચે અને જો પરત નહીં ખેંચે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ દ્વારા દેશ બચાવો આંદોલન શરૂ કરવામાં આવશે.

  • સુપ્રીમ કોર્ટમાં કૃષિ કાયદા પર રોક
  • સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરેશ ધાનાણીએ આવકર્યો
  • સરકાર કૃષિ કાયદા પરત નહીં ખેંચે તો કોંગ્રેસ હવે દેશ બચાવો આંદોલન કરશે

ગાંધીનગર : કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં પણ કૃષિ કાયદા પસાર કર્યા છે. ત્રણ કૃષિ કાયદાને પગલે છેલ્લા 60 દિવસથી દિલ્હી ખાતે ઘણા થઇ રહ્યા છે. જેમાં આજે સુપ્રીમ કોર્ટે ત્રણેય કાયદા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ નિર્ણયને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આવકાર્યો છે. આ સાથે જ પરેશ ધાનાણીએ જવા જણાવ્યું હતું કે, સરકાર હવે આ કાયદાને પરત નહીં ખેંચે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ દ્વારા દેશ બચાવો આંદોલન શરૂ કરવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસે કોર્ટના નિર્ણયને આવકાર્યો

ઉદ્યોગપતિઓને માલામાલ કરવાના કાયદા પર સુપ્રીમ કોર્ટની રોક : પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ઘાનાણીએ આક્ષેપ કર્યા હતા કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે આ દેશની સંસદમાં આ ગૃપની અંદર બહુમતી ન હોવા છતાં સ્થાનિક રીતે પસાર કરેલા ખેડૂત વિરોધી કાયદા દેશવિરોધી કાયદાઓને નામદાર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે, મોટી કંપનીઓ ખેડૂતને છેતરશે અને નાના વેપારીઓ બેરોજગાર બનશે.

અહિંસાના માર્ગે આંદોલન, સરકારના પેટનું પાણી ન હલ્યું : પરેશ ધાનાણી

પરેશ ધાનાણી આંદોલન બાબતે વધુ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગત કેટલાય દિવસોથી દિલ્હી ખાતે અહિંસાના માર્ગે આંદોલન થઇ ગયું છે. કડકડતી ઠંડીમાં ખેડૂતોની સહાય રસ્તા પર આંદોલન કરી રહ્યા છે. તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હલતું કેમ નથી. તેવા પણ પ્રશ્નો ઉદ્દભવન થઈ રહ્યા છે. મનમાં સવાલ થાય છે, સરકાર હોય તો તાત્કાલિક રીતે પસાર કરેલા ત્રણેય કાળા કાયદાને નાબૂદ કરવા જોઈએ તેવી સરકારને પણ વિનંતી કરું છું.

સરકાર કાયદા પરત ખેંચે, નહીં તો ભારત બચાવ આંદોલન

પરેશ ધાનાણી વધુમાં ચીમકી આપી હતી કે, સુપ્રીમ કોર્ટે જે કાયદા પર રોક લગાવી છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે પણ આ તમામ કાયદા પરત ખેંચવા જોઈએ અને જો કેન્દ્ર સરકાર આ કાયદા પરત નહીં ખેંચે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આવનારા સમયમાં સમગ્ર દેશમાં રાજ્યમાં જિલ્લામાં શહેરમાં અને તાલુકામાં દેશ બચાવો આંદોલન શરૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.