25 જુલાઈએ વેપારીઓ અને કર્મચારીઓ માટે સ્પેશિયલ વેક્સિનેશન કેમ્પ, 31 જુલાઈ પહેલા વેપારીઓએ ફરજીયાત લેવી પડશે વેક્સિન

author img

By

Published : Jul 22, 2021, 7:30 PM IST

નીતિન પટેલ

ગુજરાતના વેપારીઓના વેક્સિનેશનને લઈને આરોગ્ય પ્રધાન નિતીન પટેલે મહત્વની જાહેરાત કરી છે. જેમાં 31 જુલાઈ સુધી તમામ વેપારીઓ અને કર્મચારીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લેવાના હુકમ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આરોગ્ય પ્રધાને રવિવારના રોજ વેપારીઓ માટે સ્પેશ્યવ વેક્સિનેશન પ્રોગ્રામનું આયોજન કર્યુ છે.

  • રાજ્યમાં 31 જુલાઈ સુધી લેવાની વેપારીઓ ફરજીયાત વેકસીન
  • વેપારીઓના વેકસીન માટે જુલાઈના અંતિમ રવિવારે વેકસીનેશન યથાવત
  • રાજ્યના 1800 સેન્ટર પર આપવામાં આવશે વેકસીન
  • ફક્ત વેપારીઓ અને કર્મચારીઓને જ આપવામાં આવશે વેકસીન

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા વેપારીઓને ફરજિયાત વેક્સિન લેવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 31 જુલાઈ સુધી તમામ વેપારીઓ અને કર્મચારીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લેવાના હુકમ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે 22 જુલાઈના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાંના આઠ દિવસ બાકી છે ત્યારે વેપારીઓને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે રવિવારે સ્પેશ્યલ વેપારીઓ માટે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કર્યું છે.

આ પણ વાંચો: વેપારીઓને વેક્સિન લેવા માટેની મુદતમાં 10 જુલાઈ સુધીનો કરાયો વધારો

રાજ્યના 1,800 કેન્દ્રો પર થશે વેક્સિનેશન

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, આજની કેબિનેટમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વ્યાપારીઓને 31 જુલાઈ સુધી વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો હતો. ત્યારે હવે જુલાઈ મહિનાના આઠ દિવસ બાકી છે, ત્યારે રવિવારના દિવસે સ્પેશ્યલ વેપારીઓ માટે ખાસ વેક્સિનેશનનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 1,800 જેટલા કેન્દ્રોમાં વેપારીઓની વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આરોગ્ય પ્રધાન નીતિન પટેલ

પોલીસ દ્વારા થશે તપાસ

રાજ્ય સરકાર દ્વારા તમામ વેપારીઓ માટે વેક્સિનેશનના પ્રથમ ડોઝ લેવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવશે કે, કયા વેપારીઓએ વેક્સિન લીધી છે અને કયા વેપારીઓએ વેક્સિન લીધી નથી. જો વેપારીઓ દ્વારા વેક્સિન લેવામાં આવી નહીં હોય તો 31 જુલાઈ બાદ રાજ્ય સરકારના હુકમ પ્રમાણે વેપારીઓ વેપાર કરી શકશે નહીં.

આ પણ વાંચો: અમદાવાદમાં Super spreaders Categoryમાં આવતા 629 નાગરિકોનું થયું Special covid-19 vaccination

અત્યારે રોજના 3 લાખ નવા ડોઝ પ્રાપ્ત થઈ રહ્યા છે

આરોગ્ય પ્રધાન નીતીન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે પ્રતિ દિવસે અઢીથી ત્રણ લાખ જેટલા વ્યક્તિના નવા ડોઝ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને મળી રહ્યા છે. જ્યારે અત્યારે 22 જુલાઇના રોજ રાજ્ય સરકાર પાસે 15,18,250 જેટલા વ્યક્તિના ડોઝ ઉપલબ્ધ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 31,74,879 ડોઝ વાપરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.