ETV Bharat / city

ગુજરાત સરકાર દ્વારા જુના થયેલા 24 મહેસૂલી કાયદાનું નિરાકરણ લવાયું

author img

By

Published : May 8, 2022, 3:54 PM IST

ગુજરાત સરકાર દ્વારા જુના થયેલા 24 મહેસૂલી કાયદાનું નિરાકરણ લવાયું
ગુજરાત સરકાર દ્વારા જુના થયેલા 24 મહેસૂલી કાયદાનું નિરાકરણ લવાયું

ગુજરાત સરકાર(Gujarat government) દ્વારા જુના પુરાણા- વર્ષો જુના નાબુદ થયેલા 24 જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓ(solve 24 old revenue laws) અન્વયે સત્તાપ્રકારના- જુની-નવી શરતોના ઉદ્દભવતા પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવ્યું છે.

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહેસૂલ વિભાગના(State Revenue Department) જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ થયેલા 24 જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના(solve 24 old revenue laws) સંદર્ભમાં નવી/જુની શરતની અસમંજસતાથી ઉદભવતા લોકોના પ્રશ્નોના નિરાકરણનો અભિગમ અપનાવ્યો છે.

આ પણ વાંચો - Gujarat Assembly Election 2022: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજકીય પક્ષોને જલસા, ચૂંટણી તારીખની ખાસ વાત...

24 મહેસૂલી કાયદાનું નિરાકરણ - મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્યપ્રધાનના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે કરેલા આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતુ કે, મહેસૂલી વહીવટમાં સરળીકરણની ભલામણો માટે રચાયેલી સી.એલ. મીના સમિતિના અહેવાલનો મહદ્દઅંશે સ્વીકાર કરતા મુખ્યપ્રધાને આ નિર્ણયો કર્યો છે.

આ પણ વાંચો - Gujarat Cabinet Meeting: ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટ બેઠક, પાણીની પરિસ્થિતિ અંગે થશે ચર્ચા

અગાઉ આ સંદર્ભે સ્પષ્ટ માર્ગદર્શિકા નહોતી - અગાઉ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા ઉભા થતા પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી આવવું પડતું હતુ. પરિણામે મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ વધતુ અને જુદા જુદા અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખુબ વિલંબ થતો હતો. હવે આ અંગેની વિગતવાર સુચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.