ETV Bharat / city

Republic Day 2022 : રાજ્યના તમામ પ્રધાનો અલગ અલગ જિલ્લામાં કરશે ધ્વજવંદન, જૂઓ લિસ્ટ

author img

By

Published : Jan 20, 2022, 7:20 AM IST

Republic Day 2022 : રાજ્યના તમામ પ્રધાનો અલગ અલગ જિલ્લામાં કરશે ધ્વજવંદન, જૂઓ લિસ્ટ
Republic Day 2022 : રાજ્યના તમામ પ્રધાનો અલગ અલગ જિલ્લામાં કરશે ધ્વજવંદન, જૂઓ લિસ્ટ

રાજ્ય સરકાર (State Government) દ્વારા ૨૬મી જાન્યુઆરીના (Republic Day 2022) ઉજવણીનો કાર્યક્રમ જાહેર કરવામાં (program celebration 26th January has been announced) આવ્યો છે.

ગાંધીનગર: પ્રજાસત્તાક દિવસમાં કોરોનાને ધ્યાનમાં લઈને ખૂબ જ ગણતરીની સંખ્યામાં ઉજવણી (Republic Day will be celebrated with Corona in mind) કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ગીર સોમનાથ ખાતે પ્રજાસત્તાક દિનની (CM Bhupendra Patel will celebrate Republic Day in Gir Somnath) ઉજવણી કરશે.

કેબિનેટ પ્રધાનો ક્યાં જિલ્લામાં ધ્વજવંદન કરશે

ક્રમકેબિનેટ પ્રધાનોજિલ્લો
1ભુપેન્દ્ર પટેલ ગિરસોમનાથ
2નીમાબેન આચાર્ય મોરબી
3રાજેન્દ્ર ત્રિવેદી આણંદ
4જીતુભાઈ વાઘાણી રાજકોટ
5ઋષિકેશ પટેલ અમદાવાદ
6પુણ્નેસ મોદી બનાસકાંઠા
7રાઘવજી પટેલ પોરબંદર
8કનુભાઇ દેસાઇ સુરત
9કિરીટસિંહ રાણા ભાવનગર
10નરેશ પટેલ વલસાડ
11પ્રદીપ પરમાર બરોડા
12અર્જુન સિંહ ચૌહાણ પંચમહાલ

રાજયકક્ષાના પ્રધાનો ક્યાં જિલ્લામાં ધ્વજવંદન કરશે

ક્રમરાજયકક્ષાના પ્રધાનો જિલ્લો
1હર્ષ સંઘવી ગાંધીનગર
2જગદીશ પંચાલ મહેસાણા
3
બ્રિજેશ મેરજા
જામનગર
4
જીતુ ચૌધરી
નવસારી
5મનીષા વકીલ ખેડા
6મુકેશ પટેલ તાપી
7નિમિષા સુથાર છોટાઉદેપુર
8અરવિંદ રૈયાણી જૂનાગઢ
9કુબેર ડીંડોર સાબરકાંઠા
10કિર્તીસિંહ વાઘેલા કચ્છ
11ગજેન્દ્ર પરમાર ભરૂચ
12આર.સી. મકવાણા અમરેલી
13 વિનોદ મોરવાડિયા બોટાદ
14દેવાભાઈ માલમ સુરેન્દ્રનગર


7 જિલ્લામાં કલેકટર કરશે ધ્વજવંદન

રાજ્ય સરકારના કેબિનેટ અને રાજ્ય કક્ષાના તમામ પ્રધાનોને અનેક જિલ્લાઓમાં ધ્વજવંદન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત 7 જેટલા જિલ્લામાં કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. જેમાં દાહોદ, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા અને અરવલ્લીમાં જે તે જિલ્લા કલેક્ટરો દ્વારા જ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે.

સાંસ્કૃતિક કાર્યક્રમો રદ્દ કરાયા

રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તમામ જિલ્લાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, પરંતુ ધ્વજવંદન કાર્યક્રમમાં ફક્ત ગણતરી સંખ્યામાં લોકોને જ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે તમામ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

રાજ્ય સરકાર એક્શન મોડમાં: જાહેર જનતાને સ્પર્શતા અનેક નિર્ણયો અને પ્રોજેક્ટ 100 દિવસમાં પૂર્ણ કરશે

રાજ્ય સરકાર દ્વારા પશુઓની ગણતરી, સુરત ગ્રામ્યમાં 5.41 પશુધન, માંડવી તાલુકામાં સૌથી વધુ ભેસો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.